ભારતે રશિયા સાથે AK-203 એસોલ્ટ રાઈફલ ડીલ પર હસ્તાક્ષર કર્યા, ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા INSAS ની જગ્યા લેશે
રાજનાથ સિંહે કહ્યું, સંરક્ષણ સહયોગ એ અમારી ભાગીદારીના સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે. હું આશા રાખું છું કે ભારત-રશિયાની ભાગીદારી સમગ્ર ક્ષેત્રમાં શાંતિ લાવશે અને પ્રદેશને સ્થિરતા પ્રદાન કરશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) આજે રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ (Russian Defence Minister Sergey Shoigu) સાથે મુલાકાત કરી હતી. નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવનમાં બંને દેશોના રક્ષા મંત્રીઓ વચ્ચે આ બેઠક થઈ. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. માહિતી અનુસાર, ચર્ચા કરવામાં આવેલ મુદ્દાઓમાં તમામ પાંચ S400 મિસાઇલોની સમયસર સપ્લાય સુનિશ્ચિત કરવી અને આગામી બે S400ની તૈનાતીમાં રશિયા દ્વારા મદદની અસરકારક ડિલિવરીનો સમાવેશ થાય છે.
આ સિવાય AK 203 ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે પણ વાતચીત થઈ હતી. બેઠક બાદ રાજનાથ સિંહ અને સર્ગેઈ શોઇગુએ ભારત અને રશિયા (India Russia) વચ્ચેના કરારો પર હસ્તાક્ષર કર્યા. ભારત અને રશિયા વચ્ચે થયેલા કરારોમાં ઈન્ડો-રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કુલ 6,01,427 7.63×39mm એસોલ્ટ રાઈફલ્સ AK-203ની ખરીદી માટેના કરારનો સમાવેશ થાય છે. ઈન્ડિયા-રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ પ્રોગ્રામ 2021-2031 સુધીનો લશ્કરી-તકનીકી સહયોગ કાર્યક્રમ છે.
Russian Defence Minister, General Sergey Shoigu meeting Raksha Mantri Shri @rajnathsingh at Sushma Swaraj Bhawan in New Delhi. pic.twitter.com/MJLRFJxxKh
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) December 6, 2021
ભારતે ચીનના અતિક્રમણનો મુદ્દો ઉઠાવ્યો હતો એટલું જ નહીં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ બેઠકમાં ચીનના (China) અતિક્રમણનો મુદ્દો ઉઠાવ્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે રશિયન રક્ષા મંત્રી જનરલ શોઇગુ સાથેની મુલાકાત દરમિયાન તેમની ટિપ્પણીમાં કહ્યું, ભારત અને રશિયાના સંબંધો બહુપક્ષીયવાદ, વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ, પરસ્પર સમજણ અને વિશ્વાસમાં સમાન હિતના આધારે સમયની કસોટી પર ખરા ઉતર્યા છે.
રાજનાથ સિંહે કહ્યું, આજે વાર્ષિક ભારત-રશિયા સમિટ, વિકસતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિમાં, ફરી એકવાર આપણા દેશો વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના તાત્કાલિક મહત્વ તરફ નિર્દેશ કરે છે.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે સમિટ યોજાશે રાજનાથ સિંહે કહ્યું, સંરક્ષણ સહયોગ એ અમારી ભાગીદારીના સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે. હું આશા રાખું છું કે ભારત-રશિયાની ભાગીદારી સમગ્ર ક્ષેત્રમાં શાંતિ લાવશે અને પ્રદેશને સ્થિરતા પ્રદાન કરશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શિખર સંમેલન થશે, જેમાં સંરક્ષણ માટે ઘણા કરાર થવાની સંભાવના છે. વેપાર અને રોકાણ, ઉર્જા અને ટેકનોલોજીના મુખ્ય ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા માટે હસ્તાક્ષર કરવામાં આવશે.
આ પણ વાંચો : ઈસ્લામ છોડી વસીમ રિઝવી બન્યા જિતેન્દ્ર નારાયણ ત્યાગી, યતિ નરસિંહાનંદે ગ્રહણ કરાવ્યો સનાતન ધર્મ