AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રિયંકા ગાંધી વાયનાડ પરથી પેટાચૂંટણી લડશે? રાહુલ ગાંધી અદાણી કેસ મામલે ધ્યાન કેન્દ્રિત કરશે?

રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ રદ થવાની સાથે વાયનાડની સીટ ખાલી પડી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ શુક્રવાર, 24 માર્ચની સાંજે યોજાયેલી બેઠકમાં સમગ્ર પરિસ્થિતિને સંભાળવાની જવાબદારી લીધી છે.

પ્રિયંકા ગાંધી વાયનાડ પરથી પેટાચૂંટણી લડશે? રાહુલ ગાંધી અદાણી કેસ મામલે ધ્યાન કેન્દ્રિત કરશે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 9:06 PM
Share

શુક્રવારે 24 માર્ચે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવાના સમાચાર સામે આવ્યા બાદ તરત જ કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાહુલના ઘરે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી લડવા અંગે ચર્ચા થઈ હતી. પરંતુ રાહુલ નહીં તો પ્રિયંકા જ હશે. પ્રિયંકાએ શુક્રવારે કરેલા ટ્વીટ દ્વારા આની શરૂઆત કરી છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

રાહુલ ગાંધી નહીં, તો હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે

રાહુલનો કેસ કાયદાકીય હોવાથી હાલમાં, પાર્ટી નેતૃત્વએ નક્કી કર્યું છે કે કાનૂની લડત કોંગ્રેસની કાનૂની ટીમ દ્વારા જોવામાં આવશે. આ દરમિયાન રાહુલ પીછેહઠ કરશે નહીં અને જનતા વચ્ચેની ખરી લડાઈ તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે. 24 માર્ચની બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત તમામ મોટા નેતાઓ આના પર એકમત હતા. રાહુલ ગાંધી પોતે આ બેઠકથી દૂર રહ્યા હતા.

રાહુલ ગાંધી અદાણીના મુદ્દા પર ફોક્સ જાળવી રાખશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી સભ્યપદના મુદ્દે પાર્ટીની ગતિવિધિઓથી પોતાને દૂર રાખવા માંગે છે. તેઓ અદાણીના મુદ્દા પર ફોકસ જાળવી રાખવા માંગે છે. 25 માર્ચે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં પણ તે સ્પષ્ટ થઈ ગયું હતું. પાર્ટીના નેતૃત્વને પણ આ મુદ્દે આક્રમક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

સંસદની સદસ્યતા સમાપ્ત થયાના 23 કલાક બાદ શનિવારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું કે શું તે મને અયોગ્ય ઠેરવશે, મને મારશે કે જેલમાં નાખશે. મને વાંધો નથી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, ‘આ લોકો રાહુલ ગાંધીને સત્ય બોલતા રોકવા માંગે છે. રાહુલ જી લડશે અને આખી પાર્ટી તેમની સાથે છે. રાહુલજીએ જે કહ્યું છે તે અમે 100 વખત પુનરાવર્તિત કરીશું.કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીથી લઈને નાના જિલ્લાઓ અને નગરોમાં આ લડાઈને ગ્રાઉન્ડ સ્વરૂપ આપવાની યોજના બનાવવામાં આવી છે.

25 માર્ચથી જ આ યોજના હેઠળ કોંગ્રેસ રાજઘાટ પર વિરોધ પ્રદર્શન શરૂ કરશે. આ પછી કોંગ્રેસના રાજ્ય એકમોને સક્રિય કરવામાં આવશે અને રાજધાનીઓમાં દેખાવો કરવામાં આવશે. ત્યારબાદ રાહુલ ગાંધીએ ઉઠાવેલા મુદ્દાઓને જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા નાના શહેરોમાં લઈ જવામાં આવશે. પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડી શકે છે, જે તેમને કરેલા ટ્વિટ પરથી અંદેશો આવી જાય છે.

આ પણ વાચો: કોંગ્રેસ પાસે વકીલોની ફોજ, તે ઉપલી અદાલતમાં કેમ ન ગયા? રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">