પ્રિયંકા ચતુર્વેદીએ શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ થયા બાદ સંસદ ટીવીના એન્કર પદેથી રાજીનામું આપ્યું, વેંકૈયા નાયડુને લખ્યો પત્ર

|

Dec 05, 2021 | 7:24 PM

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ રવિવારે સંસદ ટીવીના એક શોના એન્કર પદેથી રાજીનામું આપ્યું હતું. સંસદના સમગ્ર શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ થયા બાદ તેમણે આ પગલું ભર્યું હતું.

પ્રિયંકા ચતુર્વેદીએ શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ થયા બાદ સંસદ ટીવીના એન્કર પદેથી રાજીનામું આપ્યું, વેંકૈયા નાયડુને લખ્યો પત્ર
Priyanka Chaturvedi

Follow us on

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ (Priyanka Chaturvedi) રવિવારે સંસદ ટીવીના એક શોના એન્કર પદેથી (Anchor Post) રાજીનામું આપ્યું હતું. સંસદના સમગ્ર શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ થયા બાદ તેમણે આ પગલું ભર્યું હતું. ઉપલા ગૃહના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુને લખેલા પત્રમાં શિવસેના સાંસદે કહ્યું છે કે, ખૂબ જ દુખની વાત છે કે હું સંસદ ટીવીના શો મેરી કહાનીના એન્કરનું પદ છોડી રહી છું.

તેમણે કહ્યું કે વર્તમાન સત્રમાંથી 12 સાંસદોનું વધુ સસ્પેન્શન (MP’s Suspension From Winter Session) સંસદના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. તેમણે પત્રમાં લખ્યું છે કે, હું માનું છું કે એ મારી ફરજ બની જાય છે કે જ્યારે આજે રાજ્યસભાના ઈતિહાસમાં સૌથી વધુ સંખ્યામાં મહિલા સાંસદોને આ દેશના લોકો માટે બોલવા બદલ આખા સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે મારે તેમના માટે બોલવા અને એકસાથે ઉભા રહેવાની જરૂર છે. એ પણ ક્યારેય ન ભૂલવું જોઈએ કે છેલ્લા સત્રના આધાર પર 12 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવું સંસદના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી.

નાયડુ અને બિરલાને ધન્યવાદ કહ્યું
પ્રિયંકા ચતુર્વેદીએ નાયડુ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાનો પણ આભાર માન્યો છે કે, તેઓ તેમને આ જવાબદારી માટે લાયક માની અને તેમને તક આપી. 12 વિપક્ષી સાંસદોને ઓગસ્ટમાં છેલ્લા સત્રમાં તેમના અશાંત વર્તન બદલ સંસદના સમગ્ર શિયાળુ સત્રમાંથી રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વિપક્ષે સસ્પેન્શનને ઉપલા ગૃહના અલોકતાંત્રિક અને પ્રક્રિયાના તમામ નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના છ, તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેનાના બે-બે અને સીપીઆઈ અને સીપીઆઈ(એમ)ના એક-એક સાંસદનો સમાવેશ થાય છે.

વિરોધ કરી રહ્યા છે સાંસદો
તેઓ સંસદ સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે દિવસભર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જ્યાં સુધી સસ્પેન્શન રદ ન થાય ત્યાં સુધી દરરોજ તેમ કરવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રિયંકા ચતુર્વેદીએ અગાઉ કેન્દ્રને નબળું ગણાવ્યું હતું અને નિયમ 256 નો ઉલ્લેખ કર્યો હતો, જે રાજ્યસભાના સભ્યને સંસદના બાકી રહેતા સત્ર માટે સસ્પેન્ડ કરવાની મંજૂરી આપતું નથી.

 

આ પણ વાંચો : સંસદીય સમિતિઓએ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા

આ પણ વાંચો : Goa Election: ભ્રષ્ટાચારના પૈસા બચાવીને મહિલાઓને 1-1 હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે, અરવિંદ કેજરીવાલે ગોવામાં કરી ઘણી મોટી જાહેરાતો

Next Article