AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravidas Jayanti : PM નરેન્દ્ર મોદી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરમાં કરશે દર્શન, કહ્યું- કુરિવાજોને સમાપ્ત કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા

બુધવારે દેશભરમાં રવિદાસ જયંતિની ઉજવણી કરવામાં આવશે. પીએમ મોદી આ પ્રસંગે શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરની પણ મુલાકાત લેશે. ટ્વિટ કરીને તેમને યાદ કરતાં PM એ કહ્યું કે સમાજમાં દુષ્ટ પ્રથાઓને સમાપ્ત કરવામાં તેમની ભૂમિકા પ્રેરણાદાયી છે.

Ravidas Jayanti : PM નરેન્દ્ર મોદી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરમાં કરશે દર્શન, કહ્યું- કુરિવાજોને સમાપ્ત કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા
Prime Minister Narendra Modi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 9:43 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિદાસ જયંતિના (Ravidas Jayanti) અવસર પર બુધવારે કરોલ બાગમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરની (Ravidas Vishram Dham Temple) મુલાકાત લેશે. પીએમ મોદીએ આજે ​​ટ્વિટ કરીને તેમને યાદ કર્યા અને કહ્યું કે ‘રવિદાસ જયંતિના શુભ અવસર પર આવતીકાલે સવારે 9 વાગ્યે હું દિલ્હીના કરોલબાગમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિર જઈશ અને ત્યાંના લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરીશ’.

PMએ કહ્યું, ‘આવતીકાલે મહાન સંત ગુરુ રવિદાસ જીની જન્મજયંતિ છે, તેમણે જે રીતે સમાજમાંથી જાતિ અને અસ્પૃશ્યતા જેવી દુષ્ટ પ્રથાઓને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તે આજે પણ આપણા બધા માટે પ્રેરણારૂપ છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, ‘મને સંત રવિદાસજીના પવિત્ર સ્થાન વિશે કેટલીક વાતો યાદ આવી રહી છે. વર્ષ 2016 અને 2019 માં, મને તે સ્થાન પર પ્રણામ કરવાનો લહાવો મળ્યો. સાંસદ હોવાને કારણે આ યાત્રાધામના વિકાસના કામોમાં કોઈ કમી આવવા દેવામાં નહીં આવે તેવો નિર્ણય લેવાયો હતો. રવિદાસ જયંતિના અવસર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પણ બનારસની મુલાકાત લેવાની યોજના બનાવી છે. રવિદાસ જયંતિના અવસર પર પંજાબમાંથી મોટી સંખ્યામાં લોકો બનારસ જાય છે. સંત રવિદાસનું જન્મસ્થળ વારાણસીમાં છે.

સંત રવિદાસની જન્મજયંતિ દેશભરમાં ઉજવાશે 15મી સદીના મહાન સમાજ સુધારક અને કવિ સંત રવિદાસની જન્મજયંતિ બુધવારે દેશભરમાં ઉજવવામાં આવશે. આ અવસર પર દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં જાહેર રજા રહેશે. શાળાઓમાં પણ રજા રહેશે, પરંતુ તમામ બેંકો ખુલ્લી રહેશે. પંજાબમાં સંત રવિવાદ જયંતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે તાજેતરમાં વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો હતો. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સહિત અન્ય નેતાઓએ ચૂંટણી પંચને પત્ર લખીને જણાવ્યું હતું કે રાજ્યની બહુમતી વસ્તીના 32 ટકા દલિતો છે. 10 થી 16 ફેબ્રુઆરી સુધી, રાજ્યમાંથી મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના ભક્તો બનારસ જાય છે. આથી ચૂંટણી મુલતવી રાખવી જોઈએ. હવે પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે.

આ પણ વાંચોઃ

Punjab Election: પંજાબમાં NDAની સરકાર બનશે એ નિશ્ચિત છે, વિકાસનો એક નવો અધ્યાય શરૂ થશે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">