AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODIની સુરક્ષા અંગે ઓડીસા CM નવીન પટનાયકે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Naveen Patnaik : તેમણે કહ્યું કે વડાપ્રધાન એક સંસ્થા છે. દરેક સરકારની ફરજ છે કે તેમને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે અને આ સંસ્થાની ગરિમાનું રક્ષણ કરે.

PM MODIની સુરક્ષા અંગે ઓડીસા CM નવીન પટનાયકે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
Odisha CM Naveen Patnaik
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 10:29 PM
Share

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે. ત્રણ સભ્યોની સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવાલયના સચિવ (ડીફેન્સ) સુધીર કુમાર સક્સેના કરશે.

ODISHA : પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ની સુરક્ષામાં ક્ષતિના મામલે ભાજપ તેમજ અન્ય પક્ષો પણ હવે પંજાબની ચન્ની સરકાર પર નિશાન સાધી રહ્યાં છે. આ અંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે (Naveen Patnaik) પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન એક સંસ્થા છે. દરેક સરકારની ફરજ છે કે તેમને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે અને આ સંસ્થાની ગરિમાનું રક્ષણ કરે. આપણી લોકશાહીમાં તેનાથી વિપરીત કંઈપણ અસ્વીકાર્ય હોવું જોઈએ.

તપાસ સમિતિની રચના બીજી તરફ ગૃહ મંત્રાલયે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે. ત્રણ સભ્યોની સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવાલયના સચિવ (ડીફેન્સ) સુધીર કુમાર સક્સેના કરશે. તેમની સાથે IBના જોઈન્ટ ડાયરેક્ટર બલબીર સિંહ અને એસ સુરેશ (IG) SPGને પણ તપાસ સમિતિમાં સામેલ કરવામાં આવશે. સમિતિને વહેલી તકે અહેવાલ સુપ્રત કરવાની સલાહ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર, પંજાબના ફિરોઝપુરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં જે રીતે ખોડખાંપણ કરવામાં આવ્યા હતા તેને લઈને ગૃહ મંત્રાલય ખૂબ જ ગંભીર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે ભટિંડા પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે પીએમ હવામાન સાફ થવા માટે લગભગ 20 મિનિટ રાહ જોતા હતા. જ્યારે હવામાનમાં સુધારો થયો ન હતો, ત્યારે તે નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રોડ દ્વારા રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લેશે, જેમાં 2 કલાકથી વધુ સમય લાગવાનો હતો.

સુરક્ષાની જવાબદારી પંજાબ સરકારની હતી ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે પંજાબ સરકારને વડાપ્રધાનના કાર્યક્રમ અને યાત્રાની યોજના વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ, તેઓએ લોજિસ્ટિક્સ, સુરક્ષા તેમજ આકસ્મિક યોજના તૈયાર રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની હતી. ઉપરાંત, આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલને સુરક્ષિત કરવા અને રોકવા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવાની હતી. પરંતુ આ બન્યું નહીં.

સુરક્ષામાં ક્ષતિ અંગે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે ગૃહ મંત્રાલયે કહ્યું કે સુરક્ષામાં ખામી બાદ પીએમ મોદીના કાફલાને ભટિંડા એરપોર્ટ પર પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સુરક્ષામાં આ ગંભીર ક્ષતિની નોંધ લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ક્ષતિની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે.

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં રહેલી ચૂક મુદ્દે ગૃહ મંત્રાલયે રચી ત્રણ સભ્યોની તપાસ સમિતિ

આ પણ વાંચો : નારી શક્તિ પુરસ્કારમાં મળે છે 2 લાખ રૂપિયા અને પ્રમાણપત્ર, આ રીતે ભરો તમારું નોમિનેશન

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">