AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટોક લિમિટ લાદવાના સમાચારથી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થયો, હજુ પણ ઘટી શકે છે તેલના ભાવ

ખાદ્યતેલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને સંગ્રહખોરીને રોકવા માટે સ્ટોક લિમિટના વિકલ્પ પર વિચાર કરવા વિનંતી કરી છે. ત્યારબાદ આ પ્રતિબંધના અમલના ડરથી વેપારીઓએ તેમનો સ્ટોક ખાલી કરી દીધો હતો.

સ્ટોક લિમિટ લાદવાના સમાચારથી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થયો, હજુ પણ ઘટી શકે છે તેલના ભાવ
Edible Oil Price
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 12:13 PM
Share

દેશમાં ખાદ્યતેલ-તેલીબિયાં પર સ્ટોક લિમિટ (Stock Limit) લાદવામાં આવી હોવાના અહેવાલોને કારણે, વેપારીઓ અને તેલ મિલોએ તેમનો સ્ટોક ખાલી કર્યો હોવાથી તેલના ભાવમાં (Edible Oil Price) ઘટાડો નોંધાયો છે. સ્થાનિક બજારના ભાવ કરતાં આયાત સસ્તી હોવાને કારણે સોયાબીનના ભાવમાં પણ ઘટાડો થયો છે.

બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સરકારે રાજ્યોને ખાદ્યતેલની (Edible Oil) ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને સંગ્રહખોરીને રોકવા માટે સ્ટોક લિમિટના વિકલ્પ પર વિચાર કરવા વિનંતી કરી છે. ત્યારબાદ આ પ્રતિબંધના અમલના ડરથી વેપારીઓએ તેમનો સ્ટોક ખાલી કરી દીધો હતો. તેની અસર ખાદ્યતેલના ભાવ (Edible Oil Price) પર પણ પડી છે.

સરસવના ભાવમાં વધારો થયો તેમણે કહ્યું કે આ પછી સરસવની માગ ફરી શરૂ થવાને કારણે અને સ્ટોક ખતમ થઈ જવાના ભયને કારણે સરસવના તેલ-તેલીબિયાંમાં સુધારાનો ટ્રેન્ડ પ્રસ્થાપિત થયો છે. સરસવની વધતી માગ વચ્ચે સલોની શમસાબાદમાં સરસવનો ભાવ અગાઉના રૂ. 8,800 થી વધીને રૂ. 9,200 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે જયપુરમાં સરસવના ભાવમાં 250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો હતો.

પામોલીન કરતાં સૂર્યમુખી સસ્તું થયું બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે તેલના કારોબારના ઈતિહાસમાં કદાચ આ પ્રથમ વખત બન્યું છે કે આયાતી પામોલિન કરતાં સૂર્યમુખી તેલની કિંમત સસ્તી છે. તેમણે કહ્યું કે સૂર્યમુખી તેલ છ મહિના પહેલા સરસવના તેલ કરતાં 40 રૂપિયા પ્રતિ કિલો વધુ હતું અને પામોલીન કરતાં 55-60 રૂપિયા પ્રતિ કિલો મોંઘું હતું. સૂર્યમુખીની આયાત પરની ડ્યુટી રૂ. 46-47 પ્રતિ કિલો હતી. તે હવે ઘટીને રૂ.7 પ્રતિ કિલો થઈ છે.

દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ જેવા રાજ્યોમાં સૂર્યમુખી તેલનો વપરાશ ઉત્તર ભારતમાં સરસવના તેલ જેવો જ છે. સરકારે જોવું જોઈએ કે સૂર્યમુખીના ભાવ ઓછા હોવા છતાં તે ગ્રાહકોને સસ્તામાં ઉપલબ્ધ નથી. પંજાબ અને હરિયાણામાં કપાસિયાના નવા પાકની આવકમાં વધારો અને ગુજરાત અને રાજસ્થાનમાં નવા મગફળીના પાકના આગમનને કારણે કપાસિયા તેલ અને મગફળીના તેલના ભાવમાં ઘટાડો થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે જો વિદેશમાંથી આયાત થતા 75 થી 80 ટકા તેલ પર સ્ટોક મર્યાદા ન હોય તો તેને સ્થાનિક તેલ પર લાદવાનું કોઈ કારણ નથી કારણ કે ખેડૂતોના નવા સોયાબીન અને મગફળીના પાકનું આગમન શરૂ થઈ ગયું છે. તેના બદલે સરકારે તેમની કિંમતો પર નજર રાખવી જોઈએ.

આ પણ વાંચો : Mandi: બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6828 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો : મત્સ્યપાલન અને પશુપાલન ક્ષેત્રમાં કિસાન ક્રેડિટ કાર્ડ માટે ચાલશે રાષ્ટ્રવ્યાપી અભિયાન, આ લોકોને પણ મળશે લાભ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">