બાંગ્લાદેશની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ શેખ હસીના સાથે દ્વિપક્ષીય સહયોગના ઘણા મુદ્દાઓ પર થઈ ચર્ચા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની પ્રથમ ત્રણ દિવસીય રાજકીય મુલાકાત પર પહેલા દિવસે રાજધાની ઢાકા પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે તેમના સમકક્ષ અબ્દુલ હમીદ સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ વડાપ્રધાન શેખ હસીનાને પણ મળ્યા હતા.

બાંગ્લાદેશની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ શેખ હસીના સાથે દ્વિપક્ષીય સહયોગના ઘણા મુદ્દાઓ પર થઈ ચર્ચા
President Ram Nath Kovind and PM Sheikh Hasina
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 11:51 PM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) બાંગ્લાદેશની (Bangladesh) તેમની પ્રથમ ત્રણ દિવસની મુલાકાતે છે, જે દરમિયાન તેઓ વડાપ્રધાન શેખ હસીના (Prime Minister Sheikh Hasina) અને રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ (President Abdul Hamid)ને મળ્યા હતા. રાષ્ટ્રપતિએ બાંગ્લાદેશના બે ટોચના નેતાઓ સાથે પરસ્પર હિત અને દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રાષ્ટ્રપતિ કોવિંદે વડાપ્રધાન શેખ હસીના અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ સાથે ઢાકામાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. બંને નેતાઓએ કનેક્ટિવિટી અને વેપાર,  કોવિડ-19 સામેની લડાઈમાં સહકાર અને વિકાસ ભાગીદારી સહિત બંને દેશોના હિતના વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી.

બાંગ્લાદેશની ત્રણ દિવસની યાત્રા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની પ્રથમ ત્રણ દિવસીય રાજકીય મુલાકાત પર પહેલા દિવસે રાજધાની ઢાકા પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે તેમના સમકક્ષ અબ્દુલ હમીદ સાથે વાતચીત કરી હતી અને 1971માં બાંગ્લાદેશની પાકિસ્તાનમાંથી મુક્તિની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો.

રાષ્ટ્રપતિ ભવને એક ટ્વીટમાં કહ્યું “બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પરસ્પર હિત અને દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.” બંને પક્ષોએ બહુપક્ષીય અને વ્યાપક દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે બંને નેતાઓએ 1971ના મુક્તિ યુદ્ધની ભાવનાને પણ યાદ કરી અને 6 ડિસેમ્બરે મિત્ર દિવસની સંયુક્ત ઉજવણી પર સંતોષ વ્યક્ત કર્યો.

બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા

એક અન્ય ટ્વીટમાં કહ્યું “બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડૉ એકે અબ્દુલ મોમેને રાષ્ટ્રપતિ કોવિંદ સાથે અલગથી મુલાકાત કરી અને “તેમને દ્વિપક્ષીય સહકાર અને ભાવિ સંયુક્ત પ્રોજેક્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રગતિ વિશે માહિતગાર કર્યા, જેમાં કનેક્ટિવિટી ક્ષેત્રનો સમાવેશ થાય છે.”

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે પણ ટ્વીટ કરીને કહ્યું “વિદેશ પ્રધાન ડૉ. મોમેને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. મહાનુભાવોએ બંને દેશો વચ્ચેના હાલના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવાની તેમની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો. મોહમ્મદ શહરયાર આલમ અને એમ.બી.મોમેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ કોવિંદ સાથે વડાપ્રધાન હસીનાની મુલાકાત પછી મીડિયા બ્રીફિંગમાં વિદેશ પ્રધાન મોમેને જણાવ્યું હતું કે તેમણે ભારતીય નેતાને કહ્યું હતું કે બંને દેશોએ અત્યાર સુધીમાં ઘણા પડતર દ્વિપક્ષીય મુદ્દાઓનું નિરાકરણ કર્યું છે અને બાકીના મુદ્દાઓ ચર્ચા દ્વારા ઉકેલાય તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો :  Jammu Kashmir: આતંકવાદને ખતમ કરવામાં સુરક્ષા દળો માટે સોશિયલ મીડિયા બની રહ્યું છે પડકાર, હવે આ અભિયાન થકી લગાવવામાં આવી રહી છે લગામ

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">