AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ શેખ હસીના સાથે દ્વિપક્ષીય સહયોગના ઘણા મુદ્દાઓ પર થઈ ચર્ચા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની પ્રથમ ત્રણ દિવસીય રાજકીય મુલાકાત પર પહેલા દિવસે રાજધાની ઢાકા પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે તેમના સમકક્ષ અબ્દુલ હમીદ સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ વડાપ્રધાન શેખ હસીનાને પણ મળ્યા હતા.

બાંગ્લાદેશની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ શેખ હસીના સાથે દ્વિપક્ષીય સહયોગના ઘણા મુદ્દાઓ પર થઈ ચર્ચા
President Ram Nath Kovind and PM Sheikh Hasina
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 11:51 PM
Share

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) બાંગ્લાદેશની (Bangladesh) તેમની પ્રથમ ત્રણ દિવસની મુલાકાતે છે, જે દરમિયાન તેઓ વડાપ્રધાન શેખ હસીના (Prime Minister Sheikh Hasina) અને રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ (President Abdul Hamid)ને મળ્યા હતા. રાષ્ટ્રપતિએ બાંગ્લાદેશના બે ટોચના નેતાઓ સાથે પરસ્પર હિત અને દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.

રાષ્ટ્રપતિ કોવિંદે વડાપ્રધાન શેખ હસીના અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ સાથે ઢાકામાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. બંને નેતાઓએ કનેક્ટિવિટી અને વેપાર,  કોવિડ-19 સામેની લડાઈમાં સહકાર અને વિકાસ ભાગીદારી સહિત બંને દેશોના હિતના વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી.

બાંગ્લાદેશની ત્રણ દિવસની યાત્રા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની પ્રથમ ત્રણ દિવસીય રાજકીય મુલાકાત પર પહેલા દિવસે રાજધાની ઢાકા પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે તેમના સમકક્ષ અબ્દુલ હમીદ સાથે વાતચીત કરી હતી અને 1971માં બાંગ્લાદેશની પાકિસ્તાનમાંથી મુક્તિની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો.

રાષ્ટ્રપતિ ભવને એક ટ્વીટમાં કહ્યું “બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પરસ્પર હિત અને દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.” બંને પક્ષોએ બહુપક્ષીય અને વ્યાપક દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે બંને નેતાઓએ 1971ના મુક્તિ યુદ્ધની ભાવનાને પણ યાદ કરી અને 6 ડિસેમ્બરે મિત્ર દિવસની સંયુક્ત ઉજવણી પર સંતોષ વ્યક્ત કર્યો.

બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા

એક અન્ય ટ્વીટમાં કહ્યું “બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડૉ એકે અબ્દુલ મોમેને રાષ્ટ્રપતિ કોવિંદ સાથે અલગથી મુલાકાત કરી અને “તેમને દ્વિપક્ષીય સહકાર અને ભાવિ સંયુક્ત પ્રોજેક્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રગતિ વિશે માહિતગાર કર્યા, જેમાં કનેક્ટિવિટી ક્ષેત્રનો સમાવેશ થાય છે.”

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે પણ ટ્વીટ કરીને કહ્યું “વિદેશ પ્રધાન ડૉ. મોમેને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. મહાનુભાવોએ બંને દેશો વચ્ચેના હાલના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવાની તેમની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો. મોહમ્મદ શહરયાર આલમ અને એમ.બી.મોમેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ કોવિંદ સાથે વડાપ્રધાન હસીનાની મુલાકાત પછી મીડિયા બ્રીફિંગમાં વિદેશ પ્રધાન મોમેને જણાવ્યું હતું કે તેમણે ભારતીય નેતાને કહ્યું હતું કે બંને દેશોએ અત્યાર સુધીમાં ઘણા પડતર દ્વિપક્ષીય મુદ્દાઓનું નિરાકરણ કર્યું છે અને બાકીના મુદ્દાઓ ચર્ચા દ્વારા ઉકેલાય તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો :  Jammu Kashmir: આતંકવાદને ખતમ કરવામાં સુરક્ષા દળો માટે સોશિયલ મીડિયા બની રહ્યું છે પડકાર, હવે આ અભિયાન થકી લગાવવામાં આવી રહી છે લગામ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">