AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ શેખ હસીના સાથે દ્વિપક્ષીય સહયોગના ઘણા મુદ્દાઓ પર થઈ ચર્ચા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની પ્રથમ ત્રણ દિવસીય રાજકીય મુલાકાત પર પહેલા દિવસે રાજધાની ઢાકા પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે તેમના સમકક્ષ અબ્દુલ હમીદ સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ વડાપ્રધાન શેખ હસીનાને પણ મળ્યા હતા.

બાંગ્લાદેશની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ શેખ હસીના સાથે દ્વિપક્ષીય સહયોગના ઘણા મુદ્દાઓ પર થઈ ચર્ચા
President Ram Nath Kovind and PM Sheikh Hasina
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 11:51 PM
Share

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) બાંગ્લાદેશની (Bangladesh) તેમની પ્રથમ ત્રણ દિવસની મુલાકાતે છે, જે દરમિયાન તેઓ વડાપ્રધાન શેખ હસીના (Prime Minister Sheikh Hasina) અને રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ (President Abdul Hamid)ને મળ્યા હતા. રાષ્ટ્રપતિએ બાંગ્લાદેશના બે ટોચના નેતાઓ સાથે પરસ્પર હિત અને દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.

રાષ્ટ્રપતિ કોવિંદે વડાપ્રધાન શેખ હસીના અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ સાથે ઢાકામાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. બંને નેતાઓએ કનેક્ટિવિટી અને વેપાર,  કોવિડ-19 સામેની લડાઈમાં સહકાર અને વિકાસ ભાગીદારી સહિત બંને દેશોના હિતના વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી.

બાંગ્લાદેશની ત્રણ દિવસની યાત્રા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની પ્રથમ ત્રણ દિવસીય રાજકીય મુલાકાત પર પહેલા દિવસે રાજધાની ઢાકા પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે તેમના સમકક્ષ અબ્દુલ હમીદ સાથે વાતચીત કરી હતી અને 1971માં બાંગ્લાદેશની પાકિસ્તાનમાંથી મુક્તિની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો.

રાષ્ટ્રપતિ ભવને એક ટ્વીટમાં કહ્યું “બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પરસ્પર હિત અને દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.” બંને પક્ષોએ બહુપક્ષીય અને વ્યાપક દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે બંને નેતાઓએ 1971ના મુક્તિ યુદ્ધની ભાવનાને પણ યાદ કરી અને 6 ડિસેમ્બરે મિત્ર દિવસની સંયુક્ત ઉજવણી પર સંતોષ વ્યક્ત કર્યો.

બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા

એક અન્ય ટ્વીટમાં કહ્યું “બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડૉ એકે અબ્દુલ મોમેને રાષ્ટ્રપતિ કોવિંદ સાથે અલગથી મુલાકાત કરી અને “તેમને દ્વિપક્ષીય સહકાર અને ભાવિ સંયુક્ત પ્રોજેક્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રગતિ વિશે માહિતગાર કર્યા, જેમાં કનેક્ટિવિટી ક્ષેત્રનો સમાવેશ થાય છે.”

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે પણ ટ્વીટ કરીને કહ્યું “વિદેશ પ્રધાન ડૉ. મોમેને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. મહાનુભાવોએ બંને દેશો વચ્ચેના હાલના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવાની તેમની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો. મોહમ્મદ શહરયાર આલમ અને એમ.બી.મોમેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ કોવિંદ સાથે વડાપ્રધાન હસીનાની મુલાકાત પછી મીડિયા બ્રીફિંગમાં વિદેશ પ્રધાન મોમેને જણાવ્યું હતું કે તેમણે ભારતીય નેતાને કહ્યું હતું કે બંને દેશોએ અત્યાર સુધીમાં ઘણા પડતર દ્વિપક્ષીય મુદ્દાઓનું નિરાકરણ કર્યું છે અને બાકીના મુદ્દાઓ ચર્ચા દ્વારા ઉકેલાય તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો :  Jammu Kashmir: આતંકવાદને ખતમ કરવામાં સુરક્ષા દળો માટે સોશિયલ મીડિયા બની રહ્યું છે પડકાર, હવે આ અભિયાન થકી લગાવવામાં આવી રહી છે લગામ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">