Droupadi Murmu: પરિણામ પહેલા જ દ્રૌપદી મુર્મુના ગામમાં ઉજવણીની તૈયારીઓ, ગ્રામજનો કરશે વિજય દિવસની ઉજવણી, મીઠાઈ વહેંચીને આદિવાસી નૃત્ય કરાશે

દેશમાં 18મી જુલાઈએ 15મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયા બાદ આજે એટલે કે 21મી જુલાઈએ મતગણતરી થવાની છે. દ્રૌપદી મુર્મુના વિજયની સંભાવના વધારે હોવાનું માનવામાં આવે છે.

Droupadi Murmu: પરિણામ પહેલા જ દ્રૌપદી મુર્મુના ગામમાં ઉજવણીની તૈયારીઓ, ગ્રામજનો કરશે વિજય દિવસની ઉજવણી, મીઠાઈ વહેંચીને આદિવાસી નૃત્ય કરાશે
Village of Murmu located in Rairangpur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 9:31 AM

દેશમાં 18મી જુલાઈએ 15મી રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election) માટે મતદાન થયા બાદ આજે એટલે કે 21મી જુલાઈએ મતગણતરી થવાની છે. બપોર સુધીમાં પરિણામ આવે તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં NDA તરફથી દ્રૌપદી મુર્મુ અને વિપક્ષ તરફથી યશવંત સિંહા મેદાનમાં હતા. બેમાંથી દ્રૌપદી મુર્મુના વિજયની સંભાવના વધારે હોવાનું માનવામાં આવે છે. માત્ર ભાજપ જ નહીં, પરંતુ ઓડિશામાં સ્થિત તેમના ગ્રામજનો પણ તેમની જીતને લઈને આશ્વસ્ત છે. ઓડિશાના રાયરંગપુર સ્થિત ઉપરબેડા ગામમાં તેમની જીતની ખુશી મનાવવા માટે મોટી માત્રામાં મીઠાઈઓ બનાવવામાં આવી રહી છે. આ સાથે ગામના લોકો પણ આદિવાસી નૃત્ય રજૂ કરવાનું આયોજન કરી રહ્યા છે.

દ્રૌપદી મુર્મુનું ગામ ભવનેશ્ર્વરથી 260 કિમી દૂર છે. તેના ગ્રામજનો પહેલેથી જ તેની જીતનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિનું કહેવું છે કે, ગુરુવારનો દિવસ રાયરંગપુર અને સમગ્ર ઓડિશા માટે મોટો દિવસ હશે કારણ કે દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઈ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવા જઈ રહી છે. જેને લઈને ગામમાં ઉત્સવનો માહોલ છે. આ દરમિયાન 20 હજાર મીઠાઈઓ બનાવવામાં આવી રહી છે. ગુરુવારે આતશબાજી થશે અને આદિવાસી નૃત્ય પણ થશે.

વિજય દિવસની ઉજવણી કરવાની જાહેરાત

ગામના લોકોનું કહેવું છે કે, ગુરુવારે તેઓ વિજય દિવસની ઉજવણી કરશે. લોકોએ જણાવ્યું કે, ઉજવણી માટે ગામના ઘરોમાં લાઇટ લગાવવામાં આવી છે અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. આ ઉપરાંત રસ્તાઓ અને શેરીઓની સફાઈ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે ખેડૂતોએ ગુરુવારે કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ખેતી માટે આ વ્યસ્ત સમય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શિક્ષકે મુર્મુના શાળાના દિવસોને યાદ કર્યા

ગામની ઉચ્ચ પ્રાથમિક શાળા જ્યાં દ્રૌપદી મુર્મુ ભણતા હતા ત્યાંની મુખ્ય શિક્ષિકાને પણ તેના શાળાના દિવસો યાદ આવ્યા. તેણીના શાળાના દિવસોને યાદ કરતાં તેણે કહ્યું કે, મુર્મુ ખૂબ જ સારી વિદ્યાર્થી હતી. તે હંમેશા લોકો માટે કામ કરવા માંગતી હતી. મુખ્ય શિક્ષક બિશ્વેશ્વર મોહંતી કહે છે કે 1968 થી 1970 સુધી હું આ શાળામાં મુખ્ય શિક્ષક હતો. તે દરમિયાન મુર્મુ શાળામાં અભ્યાસ કરતી હતી. જ્યારે મને દ્રૌપદી મુર્મુની ઉમેદવારી વિશે ખબર પડી ત્યારે હું ખૂબ જ ખુશ થયો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">