AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Birthday : મોદીના જન્મદિવસને ઐતિહાસિક બનાવવાની તૈયારી, 1 દિવસમાં 1.5 કરોડ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય

PM Modi's birthday : આજના દિવસે બીજેપી મોટી સંખ્યામાં Covid-19 રસીકરણ (Covid-19 Vaccination) નો રેકોર્ડ બનાવવા માંગે છે. આ રેકોર્ડને પહોંચી વળવા માટે, પાર્ટી આ દિવસે વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય સ્વયંસેવકોને તૈયાર કરી રહી છે.

PM Modi Birthday : મોદીના જન્મદિવસને ઐતિહાસિક બનાવવાની તૈયારી, 1 દિવસમાં 1.5 કરોડ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય
Preparations to make PM Modi's birthday historic!
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 8:02 AM
Share

ભારતીય જનતા પાર્ટી (BJP) નું લક્ષ્ય શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના જન્મ દિવસને ઐતિહાસિક બનાવવાનું છે. આજના દિવસે બીજેપી મોટી સંખ્યામાં Covid-19 રસીકરણ (Covid-19 Vaccination) નો રેકોર્ડ બનાવવા માંગે છે. આ રેકોર્ડને પહોંચી વળવા માટે, પાર્ટી આ દિવસે વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય સ્વયંસેવકોને તૈયાર કરી રહી છે. ભારતે અગાઉ એક જ દિવસમાં એક કરોડથી વધુ કોવિડ -19 રસીઓ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.

બીજી બાજુ, ભાજપે આ દિવસને યાદગાર બનાવવા માટે એક દિવસમાં 1.5 કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પક્ષના વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ દિવસે રસીકરણની સંખ્યા એટલી વધારે હોવી જોઈએ કે આ દિવસ ઈતિહાસમાં નોંધાય. ભાજપના મહાસચિવ અને આરોગ્ય સ્વયંસેવકોની પહેલના પ્રભારી તરુણ ચુગે જણાવ્યું હતું કે પક્ષના વડા જેપી નડ્ડા વડાપ્રધાનનો જન્મદિવસ ખાસ રીતે ઉજવવા માગે છે.

પ્રધાનમંત્રી દિવસ-રાત કરી રહ્યા છે કામ

ચુગે કહ્યું, “જે લોકો માટે રાતદિવસ કામ કરી રહ્યા છે તેવા લોકોની સુરક્ષા કરતાં વિશેષ શું હોઈ શકે? આ ગૌરવની વાત છે કે અમારી પાસે બે કોવિડ રસી છે અને અમે નાગરિકોને આ જીવલેણ રોગચાળાથી બચાવી શકીએ છીએ. આ દિવસે રેકોર્ડબ્રેક રસીકરણ પીએમ મોદીને યોગ્ય ભેટ હશે કારણ કે તેમણે લોકોને કોવિડથી સુરક્ષિત રાખવા માટે સખત મહેનત કરી છે.

ગુરુવારે 77 કરોડ લોકોને કરાયા વેક્સિનેટ

ભાજપના વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે, આ તે લોકો માટે પણ યોગ્ય જવાબ હશે જેમણે અશુદ્ધ રાજકીય કારણોસર લોકોમાં ખચકાટ પેદા કરવાનો પ્રયાસ કર્યો અને આમ લોકોના જીવનને જોખમમાં મૂક્યું. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનમાં, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ ગુરુવારે 77 કરોડનો સીમાચિહ્ન (77,17,36,406) પાર કરી ગયું. ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધી રસીના 57,11,488 ડોઝ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો –

Covid Vaccine: માટે લોકોને પ્રેરિત કરો, પીએમ મોદીને તેમના જન્મદિવસ પર સૌથી મોટી ભેટ આપો, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી અપીલ

આ પણ વાંચો –

PM Modi Untold Stories : મગર પકડવાથી લઇને પીએમ બનવાની ભવિષ્યવાણી સુધી, પીએમ મોદીની કેટલીક અજાણી વાતો

આ પણ વાંચો –

Maharashtra: બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મોટો અકસ્માત, બાંધકામ હેઠળનો ફ્લાયઓવર ધરાશાય, 9 કામદાર ઘાયલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">