Punjabનાં સીએમ કેપ્ટન અમરિન્દર સિંહના મુખ્ય સલાહકાર બન્યા પ્રશાંત કિશોર, નવા પક્ષ સાથે નવી ઈનીંગ
Punjab ના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પ્રશાંત કિશોરને તેમના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. ખુદ અમરિંદરસિંહે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે પંજાબના લોકોની સુખાકારી માટે એક સાથે કામ કરવા માટે તત્પર છીએ. Punjab માં આગામી વર્ષે વિધાનસભા ચુંટણી યોજવવાની છે.
Punjab ના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પ્રશાંત કિશોરને તેમના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. ખુદ અમરિંદરસિંહે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે પંજાબના લોકોની સુખાકારી માટે એક સાથે કામ કરવા માટે તત્પર છીએ. Punjab માં આગામી વર્ષે વિધાનસભા ચુંટણી યોજાવાની છે.
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની ટીમ ‘આઈ-પેક’ હાલમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને તમિલનાડુમાં ડીએમકેના ચૂંટણી પ્રચારની યોજના કરવાની જવાબદારી સંભાળી રહી છે. આ પૂર્વે પ્રશાંત કિશોરે પીએમ મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડી માટે કામ કર્યું છે.
પશ્ચિમ બંગાળમાં તેમણે દાવો કર્યો છે કે ભાજપ ફક્ત બે આંકડામાં જીતશે. તેમણે રવિવારે ટિ્વટ કર્યું હતું કે રાજ્યના લોકો ઈચ્છે છે કે તેમની પુત્રી ફરીથી સત્તા પર આવે અને 2 મેના રોજ ચૂંટણીનાં પરિણામોની ઘોષણા સાથે લોકો આ ટ્વીટને દૂર કરીને જોઈ શકે છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ભારતમાં “લોકશાહી માટે મહત્વપૂર્ણ લડત” પશ્ચિમ બંગાળમાં લડવામાં આવશે અને બંગાળના લોકો તેમનો સંદેશ આપવા તૈયાર છે.