IAS-IPS અધિકારીઓની પોસ્ટિંગને લઈને કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, આ વિસ્તારમાં પોસ્ટીંગને માનવામાં આવશે ‘મુશ્કેલ ક્ષેત્ર’ 

જમ્મુ-કાશ્મીરને 5 ઓગસ્ટ 2019ના રોજ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ - કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન પછી જમ્મુ અને કાશ્મીર કેડરનું જાન્યુઆરી 2021 માં AGMUT કેડરમાં મર્જ કરવામાં આવ્યું હતું.

IAS-IPS અધિકારીઓની પોસ્ટિંગને લઈને કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, આ વિસ્તારમાં પોસ્ટીંગને માનવામાં આવશે 'મુશ્કેલ ક્ષેત્ર' 
ગૃહ મંત્રાલય (સાંકેતીક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 10:55 PM

એજીએમયુટી કેડર (AGMUT Cadre) ના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને જમ્મુ – કાશ્મીર અને લદ્દાખમાં પોસ્ટીંગને હવેથી ‘મુશ્કેલ વિસ્તારોમાં’ પોસ્ટીંગ તરીકે માનવામાં આવશે. એક અધિકૃત પ્રકાશન અનુસાર, કેન્દ્ર સરકારે આ સંબંધમાં નિર્ણય લીધો છે અને આ સંદર્ભમાં અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ કેન્દ્ર શાસિત પ્રદેશ (AGMUT) કેડર-2016 ના IAS અને IPS અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર માટેની માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે. પૂર્વવર્તી રાજ્ય જમ્મુ કાશ્મીરને 5 ઓગસ્ટ 2019ના રોજ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ – કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન પછી જમ્મુ અને કાશ્મીર કેડરનું જાન્યુઆરી 2021 માં AGMUT કેડરમાં મર્જ કરવામાં આવ્યું હતું.

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર કેડરના AGMUT સાથે વિલીનીકરણ પછી, સક્ષમ અધિકારીની મંજૂરીથી આ મામલાની તપાસ કરવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યો, કે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખને સંયુક્ત AGMUT કેડરમાં B કેટેગરી (કઠિન વિસ્તારો) તરીકે ગણવામાં આવશે. રીલીઝ મુજબ, AGMUT કેડર-2016 ના IAS, IPS અધિકારીઓની બદલી અને પોસ્ટિંગમાં આંશિક ફેરફારો કરવામાં આવ્યા છે.

દિલ્હી, ચંદીગઢ, ગોવા, પુડુચેરી, દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં પોસ્ટિંગને ‘રેગ્યુલર એરિયા’ અથવા ‘A’ કેટેગરી તરીકે ગણવામાં આવશે, જ્યારે અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પોસ્ટિંગને ‘મુશ્કેલ વિસ્તાર’ અથવા ‘B’ કેટેગરી તરીકે ગણવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

AGMUT શું છે?

મોટાભાગના રાજ્યોની પોતાની કેડર છે, પરંતુ કેટલાક રાજ્યો માટે સંયુક્ત કેડરની પણ રચના કરવામાં આવી છે. હાલમાં, દેશમાં ત્રણ સંયુક્ત કેડર છે, જેમાં આસામ-મેઘાલય, મણિપુર-ત્રિપુરા અને એજીએમયુટી. AGMUT એ અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરતી સંયુક્ત કેડર છે. હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે, કારણ કે તે હવે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે.

અન્ય રાજ્યોમાં થઈ શકશે ટ્રાન્સફર

જમ્મુ-કાશ્મીર કેડર નાબૂદ થયા બાદ હવે જમ્મુ-કાશ્મીરના IAS, IPS અને IFS અધિકારીઓની અન્ય રાજ્યોમાં પણ બદલી થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓ અન્ય રાજ્યોમાં પણ સેવા આપી શકશે. અગાઉ જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની અન્ય રાજ્યોમાં નિમણૂક કરવામાં આવતી ન હતી. જો કે, તેમની નિમણૂક એજીએમયુટી હેઠળના રાજ્યોમાં જ થશે. આ પછી, આ સંયુક્ત કેડરના અધિકારીઓની જમ્મુમાં પણ બદલી થઈ શકે છે.

આ પણ વાંચો :  Compensation For Covid Affected Families: તમામ રાજ્યો કોવિડ અસરગ્રસ્ત પરિવારોના વળતરની વિગતો 10 દિવસમાં રજૂ કરે – સુપ્રીમ કોર્ટ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">