Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMની સુરક્ષામાં ચૂક: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, તપાસ માટે નિવૃત્ત SC જજની અધ્યક્ષતામાં કમિટી બનાવાશે

ગયા અઠવાડિયે પંજાબના ફિરોઝપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિઓની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની રચના કરવા માટે સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે.

PMની સુરક્ષામાં ચૂક: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, તપાસ માટે નિવૃત્ત SC જજની અધ્યક્ષતામાં કમિટી બનાવાશે
Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 3:06 PM

Supreme Court on PM Modi: ગયા અઠવાડિયે પંજાબના ફિરોઝપુર(Ferozepur)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સુરક્ષામાં ક્ષતિઓની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની રચના કરવા માટે સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. સુપ્રીમ કોર્ટે ડીજીપી ચંદીગઢ, આઈજી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને એડીજીપી (security) પંજાબને સમિતિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે અમને આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાનની સુરક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજો મળ્યા છે. 

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ચન્ની સરકારને પીએમ મોદીની સડક યાત્રાની પહેલાથી જ જાણકારી હતી. આ કેસમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વડાપ્રધાનની સુરક્ષાને લઈને એસપીજી એક્ટ વિશે માહિતી આપી હતી, સાથે જ સુરક્ષાને લઈને બ્લુ બુકમાં આપવામાં આવેલી માહિતી પણ શેર કરી હતી. તેમણે કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે આ સમગ્ર પ્રક્રિયાને અનુસરવામાં ભૂલ થઈ છે. આ અંગે કોઈ વિવાદ થઈ શકે નહીં. સુરક્ષામાં ક્ષતિ અને બેદરકારી રહી છે તે હકીકતને નકારી શકાય તેમ નથી. ‘બ્લુ બુક’માં સ્પષ્ટ છે કે પોલીસ મહાનિર્દેશકની દેખરેખ હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે. 

આ મામલામાં પંજાબ સરકારના વકીલ ડીએસ પટવાલિયાએ કહ્યું, ‘અમારા અધિકારીઓને 7 કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. તેને મનની વાત કહેવાનો મોકો ન મળ્યો. જ્યારે કમિટીની તપાસ પર સ્ટે છે તો પછી કારણ બતાવો નોટિસ આપવાનું શું વ્યાજબી છે?

આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?

પટવાલિયાએ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ ઇચ્છે છે, તો તેણે આ મામલે એક અલગ તપાસ સમિતિની રચના કરવી જોઈએ. અમે તે સમિતિમાં સહકાર આપીશું, પરંતુ અમારી સરકાર અને અમારા અધિકારીઓને હવે દોષ ન આપવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે નહીં. કૃપા કરીને એક સ્વતંત્ર સમિતિની નિમણૂક કરો અને અમને ન્યાયી ટ્રાયલ આપો. 

શું છે સમગ્ર મામલો?

પીએમ મોદી 42,750 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા પંજાબના ફિરોઝપુર પહોંચવાના હતા. આ માટે તેમને રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક લઈ જવામાં આવી રહ્યા હતા કારણ કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરથી જવું શક્ય ન હતું. પરંતુ ઘટનાસ્થળથી થોડે દૂર ખેડૂતોએ વિરોધ કર્યો અને રસ્તો રોકી દીધો, જેના કારણે વડાપ્રધાનનો કાફલો 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો. રસ્તો ખાલી ન હોવાથી તેમણે રેલી કેન્સલ કરીને પરત ફરવું પડ્યું હતું.

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના વકીલોને PM મોદી સુરક્ષા ભંગની જવાબદારી લેતા આવ્યા કોલ, સુપ્રીમ કોર્ટને કેસની સુનાવણી ન કરવાની આપી ધમકી

આ પણ વાંચો:કોરોના કેસમાં વધારો થતાં સુપ્રીમ કોર્ટે કેસ દાખલ કરવાની મર્યાદાનો સમયગાળો વધારવા માટે સંમત

ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
g clip-path="url(#clip0_868_265)">