વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રિપુરા પ્રવાસ પહેલા BSF એલર્ટ પર, ભારત-બાંગ્લાદેશ સરહદે વધારી સુરક્ષા

ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ દેવે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાજા બીર બિક્રમ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાત લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રિપુરા પ્રવાસ પહેલા BSF એલર્ટ પર, ભારત-બાંગ્લાદેશ સરહદે વધારી સુરક્ષા
BSF - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 7:53 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પ્રવાસ (PM Modi Tripura Visit)ને લઈને રાજ્યમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. આ સિવાય બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની વધારાની તૈનાતી પણ કરવામાં આવી છે.

વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેવાના છે. પીએમ મોદી રાજધાની અગરતલામાં એક જનસભાને પણ સંબોધિત કરવાના છે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા, BSFના 120 બટાલિયન કમાન્ડન્ટ રત્નેશ કુમારે કહ્યું, જ્યારે પણ VVIP લોકો મુલાકાત લે છે, ત્યારે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે તકેદારી વધારવામાં આવે છે. આ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૂત્રોએ એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન અગરતલાના સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધશે. નવા ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન સાથે, મહારાજા બીર બિક્રમ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની યાદીમાં જોડાવા માટે તૈયાર છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઉડ્ડયન મંત્રી સિંધિયા પીએમ મોદી સાથે રહેશે

ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ દેવે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાજા બીર બિક્રમ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાત લેશે. સીએમ દેવે કહ્યું કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. નવી ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગ (NITB) રૂ. 3,400 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે.

મહારાજા બીર બિક્રમ એરપોર્ટ એ ઉત્તર પૂર્વનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ

ત્રિપુરાના મુખ્યમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મને વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી એક ફોન આવ્યો છે જેમાં વડાપ્રધાનની ત્રિપુરાની મુલાકાતની પુષ્ટિ અને મહારાજા બીર બિક્રમ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટનની પુષ્ટિ કરવામાં આવી છે, જે ઉત્તર પૂર્વમાં બીજા નંબરનું સૌથી વ્યસ્ત છે. આ સિવાય તે એ જ દિવસે વિવેકાનંદ મેદાનમાં એક રેલીને પણ સંબોધિત કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 20 ચેક-ઇન કાઉન્ટરો સાથે, NIBT એક દિવસમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો સહિત 1,200 મુસાફરોને હેન્ડલ કરી શકશે.

આ પણ વાંચો : UP Election: પીએમ મોદી આજે મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે, પશ્ચિમ યુપીને મળશે નવા વર્ષની ભેટ

આ પણ વાંચો : બોર્ડર પર ભારતની સુરક્ષા વધુ મજબૂત: આવતા મહિને S-400 મિસાઈલ સિસ્ટમ થશે તૈનાત, પ્રક્રિયા શરૂ

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">