AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi unveils Alluri statue in AP : બ્રિટિશરો સામે લડનાર જંગલ યોદ્ધા વિશે તમારે જાણવું જરૂર છે

National News : PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક અને જાહેર રેલી માટે તેલંગાણાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે આંધ્રપ્રદેશ (Andhra Pradesh) ના ભીમાવરમ શહેરની મુલાકાત લીધી હતી.

PM Modi unveils Alluri statue in AP : બ્રિટિશરો સામે લડનાર જંગલ યોદ્ધા વિશે તમારે જાણવું જરૂર છે
PM Narendra Modi (PC: TV9 Telugu)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 1:21 PM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક અને જાહેર રેલી માટે તેલંગાણાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે આંધ્રપ્રદેશ (Andhra Pradesh) ના ભીમાવરમ શહેરની મુલાકાત લીધી હતી. PM મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) ના ભાગરૂપે તેમની 125મી જન્મજયંતિ પર સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારમા રાજુ (Alluri Sitharama Raju) ની 30 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું.

ટીવી9 તેલુગુના જણાવ્યા અનુસાર આ પ્રતિમા 3 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી અને તેને બનાવવામાં 30 દિવસનો સમય લાગ્યો હતો. આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી (Jagan Mohan Reddy), કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી (Kishan Reddy), રાજ્યપાલ બિશ્વભૂષણ હરિચંદન, મેગા સ્ટાર ચિરંજીવીએ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોણ હતા અલ્લુરી સીતારામ રાજુ

અલ્લુરી સીતારામ રાજુ એક ક્રાંતિકારી હતા. જેમણે ભારતમાં બ્રિટિશ શાસન સામે સશસ્ત્ર અભિયાન ચલાવ્યું હતું. તેમના દળોમાં આદિવાસીઓ, ખેડૂતો અને તેમના હેતુ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો હતા. તેઓ પૂર્વ ગોદાવરી અને વિશાખાપટ્ટનમના જિલ્લાઓનો ભાગ મદ્રાસ પ્રેસિડેન્સીના સરહદી વિસ્તારોમાં બ્રિટિશ સત્તાવાળાઓ સામે ગેરિલા અભિયાનોમાં રોકાયેલા હતા.

માન્યમ વીરુડુનું ઉપનામ

અંગ્રેજો સામે તેમની સેનાનું નેતૃત્વ કરવાને કારણે તેમને ‘માન્યમ વીરુડુ’ (Hero of the jungle) તરીકે ઉપનામ આપવામાં આવ્યું હતું. તેમના મોટાભાગના અનુયાયીઓ આદિવાસી સમુદાયના હતા. ઓગસ્ટ 1922 માં શરૂ કરીને તેમણે ચિંતાપલ્લી, અન્નાવરમ, કૃષ્ણા દેવી પેટા, રામ્પા ચોડાવરમ અને અન્ય વિસ્તારોમાં અને તેની આસપાસના પોલીસ સ્ટેશનોમાં લૂંટ અને દરોડામાં 500 લોકોના જૂથનું નેતૃત્વ કર્યું. આ સમયગાળામાં થયેલા હુમલાઓની પુષ્ઠી એ હતી કે દરેક હુમલા બાદ તે લૂંટની વિગતો આપતો એક પત્ર તેના હસ્તાક્ષર સાથે છોડીને જતો અને તે પોલીસને તેને રોકવા માટે પડકારતો હતો.

લગભગ 2 વર્ષ સુધી ભારે પ્રયત્નો કર્યા બાદ અંગ્રેજોએ તેમને ચિંતાપલ્લીના જંગલોમાં પકડી લીધા. તેમને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા અને 7 મે, 1924ના રોજ ફાયરિંગ સ્ક્વોડ દ્વારા તેમને મારી નાખવામાં આવ્યા. તેમનું વિશ્રામ સ્થાન કૃષ્ણા દેવી પેટા ગામમાં આવેલ છે.

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">