PM નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના લોકતંત્રના વખાણ કર્યા, નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈ વિપક્ષ પર કર્યા પ્રહાર

સમર્થકોને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની લોકશાહીને ટાંકતા કહ્યું કે, સિડનીમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં સત્તાધારી પક્ષથી લઈને વિપક્ષ સુધીના તમામ સભ્યો અને નેતાઓ હાજર હતા. વર્તમાન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ ત્યાં હતા અને ભૂતપૂર્વ વડાપ્રધાને પણ ભાગ લીધો હતો.

PM નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના લોકતંત્રના વખાણ કર્યા, નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈ વિપક્ષ પર કર્યા પ્રહાર
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 12:48 PM

નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈ વિપક્ષ એકત્ર થઈ રહ્યો છે. ઉદ્ઘાટન કાર્યક્રમનો વિરોધ 19 વિપક્ષી દળો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદી (PM Narendra Modi)પણ ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને ગુરુવારે સવારે ભારત પહોંચ્યા હતા. ભારત પહોંચતા જ પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની લોકશાહીનો હવાલો આપીને પાલમ એરપોર્ટથી જ વિપક્ષ પર ઈશારામાં પ્રહારો કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાને પણ ભાગ લીધો હતો

પાલમ એરપોર્ટ પર હાજર સમર્થકોને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની લોકશાહીને ટાંકતા કહ્યું કે સિડનીમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં સત્તાધારી પક્ષથી લઈને વિપક્ષ સુધીના તમામ સભ્યો અને નેતાઓ હાજર હતા. વર્તમાન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ ત્યાં હતા અને ભૂતપૂર્વ વડાપ્રધાને પણ ભાગ લીધો હતો.

વડાપ્રધાને કહ્યું કે ઓસ્ટ્રેલિયાના પીએમ માટે સિડની કાર્યક્રમમાં હાજરી આપવી એ ગર્વની વાત છે. લોકશાહીનું આ વાતાવરણ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બંને પક્ષોએ ભારતના લોકોને આદર અને સન્માન આપ્યું. આ પ્રસિદ્ધિ મોદીની નથી. આ ખ્યાતિ ભારતની તાકાત અને 140 કરોડ ભારતીયોની ભાવનાને કારણે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

G-20ને લઈને સમગ્ર વિશ્વએ ભારતની પ્રશંસા કરી

પોતાના વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન તેઓ જે નેતાઓ અને વ્યક્તિઓને મળ્યા હતા તે બધા મંત્રમુગ્ધ હતા અને G-20ના ભારતના અધ્યક્ષપદની પ્રશંસા કરતા હતા. તમામ ભારતીયો માટે આ ખૂબ જ ગર્વની વાત છે.

આ પણ વાંચો : PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને બતાવી લીલી ઝંડી, કહ્યુ- ઉત્તરાખંડના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન

વિપક્ષી નેતાઓ અને ટીકાકારો પર કટાક્ષ કરતા પીએમએ કહ્યું કે કેટલાક લોકોએ કોરોના રોગચાળા દરમિયાન વિશ્વના અન્ય દેશોમાં રસી મોકલવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ તેઓએ એ ન ભૂલવું જોઈએ કે આ બુદ્ધની ભૂમિ છે, આ ગાંધીની ભૂમિ છે. અમારા દુશ્મન માટે પણ, અમે કરુણા દ્વારા પ્રેરિત લોકો છીએ.

પીએમ મોદી ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને આજે સ્વદેશ પરત ફર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 મેના રોજ ત્રણ દેશોના પ્રવાસે ગયા હતા. આ યાત્રા જાપાનથી શરૂ થઈ હતી જ્યાં હિરોશિમામાં G-7ની બેઠક યોજાઈ હતી. પીએમ પણ આ બેઠકમાં અતિથિ તરીકે હાજર રહ્યા હતા. અહીં પીએમ મોદી વિશ્વના ઘણા નેતાઓને મળ્યા હતા. આ પછી તે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યો અને ત્યાંથી ઓસ્ટ્રેલિયા ગયા હતા. જ્યાં સિડનીમાં ભારતીય સમુદાયને સંબોધિત પણ કર્યા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">