AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે કરી શકે છે મહત્વપૂર્ણ બેઠક, આ રહેશે Agenda

ખાનગી સમાચારના અહેવાલ અનુસાર પ્રધાનમંત્રી મોદીની જમ્મુ કાશ્મીરના મોટા નેતાઓ સાથે 24 જૂનના રોજ બેઠક થઇ શકે છે. ચાલો જાણીએ આ બેઠકનો શું હોઈ શકે છે એજેન્ડા.

PM નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે કરી શકે છે મહત્વપૂર્ણ બેઠક, આ રહેશે Agenda
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
| Updated on: Jun 19, 2021 | 11:51 AM
Share

અહેવાલ અનુસાર PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કેન્દ્ર શાસિત પ્રદેશના તમામ પક્ષોના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી શકે છે. અહેવાલ અનુસાર બેઠકમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા અંગે ચર્ચા થઈ શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો પણ આ બેઠકમાં ભાગ લે તેવી સંભાવના છે. સ્વાભાવિક છે કે કાશ્મીરી નેતાઓ સાથેની આ મુલાકાત ઘણી રીતે ખાસ સાબિત થઈ શકે છે.

આ તારીખે થઇ શકે છે બેઠક

અહેવાલમાં જણાવ્યા અનુસાર અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા, પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી, જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના (જેકેએપી) અલ્તાફ બુખારી અને પીપલ્સ કોન્ફરન્સના વડા સજ્જાદ લોનને બેઠકમાં આમંત્રણ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાનગી સમાચારના અહેવાલ અનુસાર આ બેઠક 24 જૂનના રોજ થઇ શકે છે. ઓગસ્ટ 2019 માં કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાના નાબૂદ બાદ ઉઠેલી ગતિવિધિઓને નાબૂદ કરવાની કેન્દ્રની આ પહેલી પહેલ છે.

તમને જણાવી દઈએ કે પીએજીડી જમ્મુ-કાશ્મીરની કેટલીક પાર્ટીઓનું ગઠબંધન છે, જેમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી શામેલ છે. ઓગસ્ટ 2019 માં કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પછી આ ગઠબંધનની રચના કરવામાં આવી હતી.

મહેબૂબા થશે આ બેઠકમાં શામેલ?

જાણવા મળ્યું છે કે જમ્મુ મહબૂબા મુફ્તીને આ બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્ર તરફથી ફોન આવ્યો હતો. મુફ્તી જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી છે. જો કે તેઓ એ કહ્યું છે કે “મેં હજુ નિર્ણય નથી લીધો. હું મારી પાર્ટીને સભ્યો સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશ.

તારિગામીને હજુ સુધી બેઠકનું આમંત્રણ નથી

ખાનગી સમાચાર અહેવાલ અનુસાર PAGD ના પ્રવક્તા એમવાય તારિગામીને હજુ સુધી બેઠકનું આમંત્રણ નથી મળ્યું. તેમનું કહેવું છે કે સંદેશ મળતા તેઓ બેઠકમાં ભાગ લેશે. તારિગામીએ કહ્યું કે “અમે કેન્દ્ર સાથે સાર્થક વાતચીત માટે દરવાજા ક્યારેય બંધ નથી કર્યા. પરંતુ મને આ બેઠક વિશે કોઈ માહિતી નથી. જો આવું થાય છે તો તેનું સ્વાગત કરવામાં આવશે.”

રિપોર્ટ થઇ શકે છે રજુ

અહેવાક અનુસાર અહીકારીઓનું કહેવું છે કે સંસદમાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલ પસાર થયા પછી, ન્યાયાધીશ આર. દેસાઇની આગેવાની હેઠળ રચાયેલ સીમાંકન પંચ પણ આ બેઠકમાં પોતાનો અહેવાલ રજૂ કરી શકે છે. આપને જણાવી દઇએ કે બુખારી સિવાય જમ્મુ-કાશ્મીરના અન્ય તમામ નેતાઓ રાજ્યના વિશેષ દરજ્જાને રદ કર્યા પછી કસ્ટડીમાં રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: આ રાજ્યની સરકારે બે ધારાસભ્યોના પુત્રોને આપી દીધી સરકારી નોકરી, મામલો ગરમાયો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">