PM મોદીએ ‘અર્જુન સહાયક પ્રોજેક્ટ’નું કર્યું ઉદ્ઘાટન, 4 લાખ લોકોને મળશે પાણી

|

Nov 19, 2021 | 5:47 PM

રુપિયા 2,655 કરોડની કિંમતના અર્જુન સહાયક પ્રોજેક્ટ મહોબા, હમીરપુર, બાંદાના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ પ્રોજેક્ટથી ખેડૂતોને 59485 હેક્ટર જમીનની સિંચાઈ સુવિધાનો લાભ મળશે.

PM મોદીએ અર્જુન સહાયક પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન, 4 લાખ લોકોને મળશે પાણી
PM Narendra Modi

Follow us on

દુષ્કાળ (Drought)ની ઝપેટમાં આવેલા ઉત્તરપ્રદેશના બુંદેલખંડ (Bundelkhand)માં પાણીની સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકારે મહત્વકાંક્ષી અર્જુન સહાયક પ્રોજેક્ટ (Arjun Sahayak Project)ની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ મહોબામાં રુપિયા 2,655 કરોડની કિંમતના અર્જુન સહાયક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. જેના કારણે બુંદેલખંડમાં સિંચાઈ સહિત પાણીની અછત દૂર થશે.

 

 

પ્રોજેક્ટથી પાણીની સમસ્યા હલ થશે

રુપિયા 2,655 કરોડની કિંમતના અર્જુન સહાયક પ્રોજેક્ટ મહોબા, હમીરપુર, બાંદાના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ પ્રોજેક્ટથી ખેડૂતોને 59,485 હેક્ટર જમીનની સિંચાઈ સુવિધાનો લાભ મળશે. આ સાથે આ પ્રોજેક્ટ દ્વારા મહોબા જિલ્લામાં 200 લાખ ઘનમીટર પીવાનું પાણી પણ ઉપલબ્ધ થશે. અંદાજે 4 લાખ લોકોને આ પ્રોજેક્ટથી પાણી મળશે.

 

પ્રોજેક્ટને વેગ મળ્યો

અર્જુન સહાયક પ્રોજેક્ટની શરૂઆત કેન્દ્ર અને યુપી સરકાર દ્વારા વર્ષ 2009-10માં કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ દ્વારા સરકારે કેનાલને ધાસણ નદીમાંથી કાઢીને અન્ય રાજ્યોમાં લઈ જવાની યોજના બનાવી હતી. જો કે 71 કિલોમીટર લાંબી નહેર બનાવવામાં સરકારને ઘણા વર્ષો લાગ્યા. યોગી સરકારમાં ફરી એકવાર આ પ્રોજેક્ટને વેગ મળ્યો છે.

 

ધાસણ નદીમાંથી કાઢવામાં આવી લાંબી નહેર

વર્ષ 2009માં યુપી સરકારે પ્રસ્તાવ મૂક્યો હતો કે જો ધાસન નદીમાંથી નહેર બનાવવામાં આવે તો મહોબા, બાંદા અને હમીરપુર જિલ્લાના ગામોની અંદરથી નીકળતી નદીને કારણે આ ગામોમાં પાણીની સમસ્યા દૂર થઈ જશે. અર્જુન સહાયક પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2009માં કેન્દ્ર સરકારે યુપી સરકારના આ પ્રસ્તાવને સ્વીકાર્યા બાદ કરવામાં આવી હતી.

 

પરંતુ થોડા વર્ષોમાં તે બંધ થઈ ગયું. પરંતુ માર્ચ 2021માં યોગી સરકારે તેને ફરીથી શરૂ કર્યું. પીએમ મોદી દ્વારા આ પ્રોજેક્ટના લોકાર્પણ પહેલા સીએમ યોગીએ પોતે 17 નવેમ્બરે અર્જુન ડેમ અને કબરાઈ ફીડરનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ અર્જુન બંધ પરથી અર્જુન જળાશયનું પણ નિરીક્ષણ કર્યું હતું.

 

બુંદેલખંડમાં ઝડપી વિકાસ કાર્ય

સીએમ યોગીએ આજે ​​બુંદેલખંડના લોકો વતી પીએમ મોદીનું સ્વાગત કર્યું હતુ અને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે આઝાદી પછી પણ બુંદેલખંડના સંસાધનોનો ઉપયોગ અહીંના લોકોના વિકાસ માટે થાય તે માત્ર સપનું જ રહ્યું.

 

સીએમ યોગીએ કહ્યું કે વર્ષ 2014માં પીએમ મોદીએ દેશમાં સમાન વિકાસનો ખ્યાલ અપનાવ્યો હતો. સીએમ યોગીએ કહ્યું કે બુંદેલખંડમાં વિકાસના કામો ઝડપથી થઈ રહ્યા છે. સિંચાઈ પરિયોજનાઓની પૂર્ણતા હોય કે બુંદેલખંડ હર ઘર નાલ દ્વારા લેવામાં આવેલા પગલાં હોય. બુંદેલખંડમાં તમામ કાર્યક્રમોને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

 

 

આ પણ વાંચો : Winter Health: શિયાળામાં તલ છે અતિ ગુણકારી, પરંતુ શું તમે જાણો છો તેના આ અદ્ભુત ફાયદા?

 

આ પણ વાંચો : ના હોય! આ તેલ અપાવશે તમને ખીલથી છૂટકારો, જોજોબા ઓઈલનો આ રીતે કરો ઉપયોગ અને જુઓ પરિણામ

 

Next Article