ના હોય! આ તેલ અપાવશે તમને ખીલથી છૂટકારો, જોજોબા ઓઈલનો આ રીતે કરો ઉપયોગ અને જુઓ પરિણામ

Skin Tips: જોજોબા તેલ ત્વચાની વિવિધ સમસ્યાઓની સારવાર માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. શુષ્ક ત્વચાથી લઈને વૃદ્ધત્વના સંકેતોથી લઈને ખીલ સુધી, તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

ના હોય! આ તેલ અપાવશે તમને ખીલથી છૂટકારો, જોજોબા ઓઈલનો આ રીતે કરો ઉપયોગ અને જુઓ પરિણામ
Problem of pimples (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 8:52 AM

Beauty Tips: ખીલ (pimples) વાળી ત્વચા ધરાવતા લોકો કોઈપણ તેલથી માઈલ દૂર રહે છે. સામાન્ય માન્યતા એવી છે કે તેલ ખીલને વધારે છે. પરંતુ કેટલાક કુદરતી તેલ છે જે તમને ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. જોજોબા તેલ (Jojoba Oil Benefits) તે અસરકારક કુદરતી તેલોમાંનું એક છે જેનો ઉપયોગ ખીલની સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય છે. જોજોબા તેલ (Jojoba Oil) ત્વચાની વિવિધ સમસ્યાઓની સારવાર માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. શુષ્ક ત્વચાથી લઈને વૃદ્ધત્વના સંકેતોથી લઈને ખીલ સુધી, તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ તેલ લગભગ તમામ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં વિટામિન બી-કોમ્પ્લેક્સ, વિટામિન ઇ, કોપર, ઝિંક, સેલેનિયમ, આયોડિન, ક્રોમિયમ વગેરે હોય છે. જોજોબા તેલનો ઉપયોગ ખીલથી છુટકારો મેળવવા માટે ઘણી રીતે કરી શકાય છે.

ખીલથી છુટકારો મેળવવા માટે આ 4 રીતે જોજોબા તેલનો ઉપયોગ કરો

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

જોજોબા તેલ મસાજ

જોજોબા તેલના 4-6 ટીપાં લો અને તેને તમારી સ્વચ્છ ચહેરાની ત્વચા પર ત્મયાં સુધીસાજ કરો જ્યાં સુધી તે શોષાઈ ન જાય. તેને ધોવાની જરૂર નથી. શ્રેષ્ઠ પરિણામો માટે, જોજોબા તેલનો ઉપયોગ રાત્રે મોઇશ્ચરાઇઝર તરીકે કરો. સૂતા પહેલા તમારા સ્વચ્છ ચહેરા પર જોજોબા તેલના થોડા ટીપાંથી મસાજ કરો અને બીજા દિવસે સવારે તેને ધોઈ લો. જોજોબા તેલનો નિયમિત ઉપયોગ ખીલની સમસ્યા દૂર કરે છે.

જોજોબા તેલ અને લીંબુનો રસ

એક ચમચી તાજા લીંબુનો રસ લો અને તેમાં જોજોબા તેલના 3-4 ટીપાં ઉમેરો. તેને મિક્સ કરીને ચહેરા પર લગાવો. થોડી મિનિટો માટે તમારી આંગળીઓથી ત્વચાને હળવા હાથે મસાજ કરો. આ મિશ્રણને ચહેરા પર 15-20 મિનિટ માટે રહેવા દો. ધોવા માટે સાદા પાણીનો ઉપયોગ કરો અને તમે અઠવાડિયામાં બે કે ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો.

જોજોબા તેલ અને એલોવેરા

એક ચમચી એલોવેરા જેલમાં જોજોબા તેલના 3-4 ટીપાં મિક્સ કરો. અને મિશ્રણને આખા ચહેરા પર લગાવો. તેને 20 થી 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. કુદરતી રીતે ખીલથી છુટકારો મેળવવા માટે તમે દર બીજા દિવસે તેનો ઉપયોગ કરી શકો છો.

જોજોબા તેલ અને ખાવાનો સોડા

એક બાઉલમાં એક ચમચી ખાવાનો સોડા લો. તેમાં જરૂરી માત્રામાં જોજોબા તેલ ઉમેરો. તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તમારા ચહેરાને સારી રીતે સાફ કરો અને આખા ચહેરા પર પેસ્ટ લગાવો. હળવા હાથે બે મિનિટ મસાજ કરો અને પછી તેને લગભગ 5-8 મિનિટ માટે રહેવા દો. તે પછી તાજા અને ઠંડા પાણીથી ધોઈ લો. ખીલની સારવાર માટે અઠવાડિયામાં બે કે ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો: Health Tips: શું તમને રાત્રે ઊંઘ નથી આવતી ? આ સરળ ઉપાયો અપનાવવાથી ઘસઘસાટ આવી જશે ઉંઘ

આ પણ વાંચો: Work From Home કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો શું છે કારણ

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
હિંમતનગર માર્કેટયાર્ડ બહાર ખેડૂતોની ભીડ, તહેવારો પહેલા સારા ભાવ મળ્યા
હિંમતનગર માર્કેટયાર્ડ બહાર ખેડૂતોની ભીડ, તહેવારો પહેલા સારા ભાવ મળ્યા
g clip-path="url(#clip0_868_265)">