AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી એક્શનમાં, મંત્રીઓને આપ્યો ‘મોદી મંત્ર’, સાંસદોના કામની થશે સમીક્ષા

બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને મંત્રાલયમાં પ્રગતિશીલ અને રચનાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને નીતિ સાથે આગળ વધવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે ભાજપ હવે સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગયું છે, જેનું નેતૃત્વ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી એક્શનમાં, મંત્રીઓને આપ્યો 'મોદી મંત્ર', સાંસદોના કામની થશે સમીક્ષા
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 1:18 PM
Share

Lok Sabha Election 2024: કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂરા થવા સાથે જ ભાજપ સંપૂર્ણપણે ઈલેકશન મોડમાં આવી ગઈ છે. વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પોતાના મંત્રીઓને મંત્ર આપ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે આગામી ચૂંટણી વંચિતોને ધ્યાનમાં રાખીને થશે, તેથી તમારા મંત્રાલયની નીતિઓ તે મૂજબ જ બનાવો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ મંત્રીઓને તેમના વિસ્તારમાં ગરીબ, શોષિત અને વંચિત વર્ગો પર વિશેષ ધ્યાન આપવાની સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરતી યોજનાઓ બનાવવાની સૂચના આપી છે. પીએમ મોદીએ તમામ મંત્રીઓને પોતપોતાના વિસ્તારોમાં મીટીંગો અને સેમિનાર યોજવાની પણ સૂચના આપી છે.

ભાજપ હવે સંપૂર્ણપણે ઈલેકશન મોડમાં આવી ગયું છે

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને મંત્રાલયમાં પ્રગતિશીલ અને રચનાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આ નીતિ સાથે આગળ વધવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે ભાજપ હવે સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગયું છે, જેનું નેતૃત્વ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે, આવી સ્થિતિમાં પીએમ મોદી એક્શન મોડમાં છે.

સાંસદોને નમો એપમાં કામ વિશેની માહિતી અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું

મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર પાર્ટી ખૂબ જ સક્રિય છે. ભાજપ દ્વારા શરૂ કરાયેલ જનસંપર્ક અભિયાનમાં સાંસદોની ભાગીદારી અંગે હવે સમીક્ષા બેઠક યોજાશે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આ વિષય પર ભાજપના સાંસદો સાથે બેઠક કરી શકે છે, આ બેઠક 4 જુલાઈએ યોજાશે. તમામ સાંસદોને નમો એપમાં તેમના અભિયાન અને કામ વિશેની માહિતી અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ 2024ની લોકસભા ચૂંટણી માટે ટિકિટની વહેંચણીને પણ અસર કરી શકે છે.

આ પણ વાંચો : Lok Sabha Elections: ભાજપનો 2024નો મેગા પ્લાન તૈયાર! પહેલીવાર બદલાઈ રણનીતિ, જાણો શું છે

પીએમ મોદીએ વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ અને નેતાઓ સાથે બેઠક કરી

વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ પીએમ મોદી એક્શન મોડમાં છે અને સતત મીટિંગો કરી રહ્યા છે. બુધવારે પણ પીએમ મોદીએ પીએમ નિવાસસ્થાને વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મંત્રી બીએલ સંતોષ અને અન્ય નેતાઓ સામેલ થયા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">