AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget ના દિલમાં ગામ અને ખેડૂત, આત્મ નિર્ભર ભારત મિશનને મળશે મજબૂતી: પીએમ મોદી

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં Budget રજૂ કર્યું. જેની બાદ પીએમ મોદીએ સામાન્ય બજેટ પર પ્રતિક્રિયા આપી. પીએમ મોદીએ કહ્યું કે Budget નવા ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરશે.

Budget ના દિલમાં ગામ અને ખેડૂત, આત્મ નિર્ભર ભારત મિશનને મળશે મજબૂતી: પીએમ મોદી
Narendra Modi
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 01, 2021 | 6:58 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં Budget રજૂ કર્યું. જેની બાદ પીએમ મોદીએ બજેટ પર પ્રતિક્રિયા આપી. પીએમ મોદીએ કહ્યું કે Budget નવા ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરશે. Budget  દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં બદલાવ લાવશે. તેની સાથે યુવાઓને અનેક અવસર ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે બજેટ એ આત્મનિર્ભરતાનું વિઝન અને દરેક નાગરિક તથા વર્ગની સમાવેશ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ જણાવ્યું કે Budget પાછળના સિદ્ધાંતોમાં વિકાસ માટેની નવી તકોનું વિસ્તરણ, યુવાનો માટે નવી તકો, માનવીય સંસાધનને નવો દ્રષ્ટિકોણ આપવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલપમેન્ટ અને નવા ક્ષેત્રોને વિકસિત બનવામાં મદદ કરવી તેનો સમાવેશ થાય છે. આ બજેટ એ પ્રક્રિયાઓ તથા નિયમોને વધુ સરળ બનાવીને સામાન્ય માનવી માટે જીવન જીવવાની સરળતામાં વધારો કરશે. આ બજેટ વ્યક્તિગત લોકોના જીવનમાં, રોકાણકારો, ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે હકારાત્મક પરિવર્તનો લઈને આવશે.

પીએમ મોદીએ એ કહ્યું કે, બજેટ રજૂ થયાના શરૂઆતના જ કલાકોની અંદર બજેટને પ્રારંભિક હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકારે બજેટના કદને વધારવાની સાથે સાથે નાણાકીય સંતુલિતતા પ્રત્યેની પોતાની જવાબદારી તરફ પણ પૂરતું ધ્યાન આપ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે બજેટની પારદર્શકતાની નિષ્ણાતો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.

શું મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ થાય છે?
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો વરિયાળી, આ છે સૌથી સરળ ટીપ્સ
Vitamin P: આ વસ્તુઓ ખાવાથી તમને વિટામિન P મળશે, તમારા આહારમાં તેનો સમાવેશ કરો
Vastu tips: પૂજા સ્થાનમાં લગાવો સૌભાગ્યના આ 5 રંગો, સુખ-શાંતિ ઘરમાં રહેશે
વિકી કૌશલનો પરિવાર છે ફિલ્મી, જુઓ ફોટો
ધક ધક ગર્લના પરિવાર વિશે જાણો

બજેટના વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તે સંપત્તિ અને કલ્યાણ, એમએસએમઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કેન્દ્રિત છે. તેમણે આરોગ્ય કાળજી ઉપર મૂકવામાં આવેલ અભૂતપૂર્વ ભારની પણ નોંધ લીધી હતી. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે બજેટમાં દક્ષિણના રાજ્યો, ઉત્તર પૂર્વ અને લેહ લદ્દાખની વિકાસ માટેની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી છે. તેમણે કહ્યું કે આપણાં દરિયાકાંઠા રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળને ઉદ્યોગ પાવર હાઉસમાં પરિવર્તિત કરવાની દિશામાં આ એક વિશાળ પગલું છે. આ બજેટ ઉત્તર પૂર્વના રાજ્યો જેવા કે આસામની વણવપરાયેલી ક્ષમતાઓ સુધી પહોંચવામાં પણ ઘણું મદદગાર સાબિત થશે.

g clip-path="url(#clip0_868_265)">