બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ મુદ્દે PM મોદીએ મોહમ્મદ યુનુસને શું કહ્યુ? શું હવે આ અત્યાચારો અટકશે?
બિમ્સટેક શિખર સંમેલન દરમિયાન PM મોદીએ બાંગ્લાદેશના વડા મોહમ્મદ યુનુસ સાથે અલગથી મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે શું ચર્ચા થઈ. શું બાંગ્લાદેશના હિંદુઓ વિશે કોઈ વાતચીત થઈ હતી કે કેમ? શું બાંગ્લાદેશ હવે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું બંધ કરશે કે કેમ? શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી દેશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ મોહમ્મદ યુનુસની મુલાકાત આ સમયે ભારતીય ઉપખંડ અને તેના પાડોશી દેશો વચ્ચે ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. બાંગ્લાદેશના ચીફ એડવાઇઝર મોહમ્મદ યુનુસ, જે ભારત વિરુદ્ધ વાતો કરવા માટે અને ભારત વિરુદ્ધ નીતિઓ બનાવવા માટે, ભારત વિરુદ્ધ નિવેદનો કરાવવા માટે સુર્ખીઓમાં છે. આવામાં ભારતના પ્રધાનમંત્રીની તેમની સાથે મુલાકાત ચર્ચાનો વિષય બની ગઈ છે. ચર્ચાનો વિષય એટલા માટે કે મોદીએ યુનુસ મળવું જોઈએ કે નહીં તે મોટો સવાલ છે. મોટો સવાલ એ ઉભો થયો છે કે પ્રોફેસર મોહમ્મદ યુનુસ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત કેટલી જરૂરી હતી? શું તેમની મુલાકાત એટલી જરૂરી હતી કે ભારતે પોતાના હિતોને કિનારે રાખીને મુલાકાત કરી લીધી. ‘અમે ગાર્ડિયન ઓફ ઈન્ડિયન ઓશિયન’- યુનુસ યુનુસે ભારત વિરુદ્ધ તાજેતરમાં ચીનમાં જઈને નિવેદન આપ્યું હતું કે અમે ગાર્ડિયન ઑફ ઈન્ડિયન ઓશિયન છીએ અથવા...