વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ રહ્યા હાજર

|

Mar 01, 2022 | 7:44 PM

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને પીએમ મોદીની આ પાંચમી ઉચ્ચ સ્તરીય બેઠક છે. આ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ રહ્યા હાજર
Narendra Modi - File Photo

Follow us on

રશિયન હુમલા બાદ યુક્રેનમાં (Ukraine) ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કવાયત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારે ફરી એકવાર દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને પીએમ મોદીની આ પાંચમી ઉચ્ચ સ્તરીય બેઠક છે. આ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. PM મોદીએ સોમવારે પણ એક ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી હતી, જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવી અને તેમની વતન વાપસી એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. ભારતે સોમવારે કહ્યું હતું કે યુક્રેનમાં સ્થિતિ ખૂબ જ મુશ્કેલ અને જટિલ હોવા છતાં, તે યુદ્ધગ્રસ્ત દેશમાંથી દરેક નાગરિકને લાવશે, તેથી (ત્યાં ફસાયેલા ભારતીયો) ગભરાશો નહીં, વિદેશ મંત્રાલયની ટીમનો સંપર્ક કરો અને સીધા સરહદ પર ન આવો.

મંગળવારે યુક્રેનમાં ભારે ગોળીબાર દરમિયાન એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર, વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છીએ, અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

રશિયન ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત

રશિયન ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. દરમિયાન, યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર ભારત સરકાર એક્શનમાં આવી ગઈ છે. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ યુક્રેન અને રશિયાના રાજદૂતો સાથે મુલાકાત કરી હતી. યુક્રેનના ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીઓના સંયોજક ડૉ. પૂજાએ જણાવ્યું કે મૃત્યુ પામનાર વિદ્યાર્થી કર્ણાટકનો રહેવાસી છે. વિદ્યાર્થીનું નામ નવીન એસ.જી. છે, જે ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં ચોથા વર્ષનો વિદ્યાર્થી હતો.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ પૂર્ણ કરવા માટે પ્રથમ રાઉન્ડની બેઠક યોજાઈ છે. પરંતુ આ હોવા છતાં, રશિયન સૈનિકો યુક્રેનના શહેરો પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. બીજી તરફ યુક્રેનની રાજધાની કિવમાં યુક્રેનની સેનાએ એક રશિયન હેલિકોપ્ટરને તોડી પાડ્યું છે.

આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેનના યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, વડાપ્રધાન મોદીએ મૃતકના પિતા સાથે કરી વાત

આ પણ વાંચો : Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે Helpline Number જાહેર, વિદેશ મંત્રીએ હેમંત સોરેનને પત્ર લખીને આપી માહિતી

Next Article