વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની બેઠક (BJP Parliamentary Party Meeting) માં ભાગ લીધો હતો. બેઠકમાં પીએમ મોદીએ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપનો ઉલ્લેખ કરી ભાવુક થઈ ગયા હતા. ગુજરાતમાં કચ્છના ભૂકંપને યાદ કરતાં પીએમે કહ્યું કે, અમે પણ આવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ભારત તુર્કીને શક્ય તમામ મદદ કરશે.
ભાજપ સંસદીય દળની બેઠકમાં તુર્કી અને સીરિયાના ભૂકંપની દુર્ઘટના પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યાં સર્જાયેલી પરિસ્થિતિ વિશે વાત કરતા પીએમ મોદીએ વર્ષ 2001માં કચ્છના ભૂકંપને યાદ કરતા કહ્યું કે, આપણે પણ આવી ભયાનકતાનો સામનો કર્યો છે. અમે (ભારત) આ મુશ્કેલ સમયમાં તુર્કીને શક્ય તમામ મદદ કરીશું.
આ પણ વાચો: Turkey Earthquake : PM મોદીએ કહ્યું- ભારત તમામ સંભવિત મદદ માટે તૈયાર, અમે તુર્કીના લોકો સાથે
સોમવારે (6 ફેબ્રુઆરી) તુર્કીમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. ભૂકંપ એટલો ગંભીર હતો કે અત્યાર સુધીમાં 4 હજારથી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે 15 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે અને અનેક ઘર વેરવીખેર થઈ ગયા છે.
ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જીએ સર્વસમાવેશક #UnionBudget2023 બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી તથા નાણામંત્રી શ્રીમતી @nsitharaman જીનું સન્માન કર્યું. pic.twitter.com/FiutnEm4ay
— BJP Gujarat (@BJP4Gujarat) February 7, 2023
કેન્દ્રીય બજેટની રજૂઆત બાદ ભાજપના સંસદીય દળની આ બેઠકમાં પીએમ મોદીએ તમામ સાંસદોને બજેટને જનતા સુધી લઈ જવા માટે આહ્વાન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, બજેટમાં ગરીબોના હિતને પ્રાથમિકતા આપવામાં આવી છે. કોઈ તેને ચૂંટણીનું બજેટ કહી રહ્યું નથી. જો કે આગામી લોકસભા ચૂંટણી પહેલા આ છેલ્લું પૂર્ણ બજેટ છે.
પીએમ મોદીના ભાષણને લઈ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે જે લોકો વૈચારિક રીતે ભાજપનો વિરોધ કરી રહ્યા છે, તેમણે પણ બજેટનું સ્વાગત કર્યું છે.
પીએમ મોદીએ સાંસદોને ખાસ કરીને શહેરોમાંથી આવતા લોકોને રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવા કહ્યું. (એવું જોવા મળે છે કે શહેરના યુવાનો રમતગમતમાં વધુ ભાગ લેતા નથી). PMએ આ દરમિયાન એમ પણ કહ્યું કે, વિવિધ G20 બેઠકો માટે ભારત આવતા વિદેશી મહેમાનોએ દેશમાં તેમની આતિથ્યની પ્રશંસા કરી છે.