વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવાર 19મી નવેમ્બરે સવારે 9 વાગે દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટમાં આ જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ‘આજે ગુરુ નાનક જીનું પ્રકાશ પર્વ છે. આજે પીએમ મોદી સિંચાઈ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવા યુપીના મહોબા જશે. ત્યારબાદ સાંજે તેઓ ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં હાજરી આપશે.
ઉતર પ્રદેશ જવા રવાના થતા પહેલા તેઓ સવારે 9 વાગે રાષ્ટ્રને સંદેશ આપશે. PM મોદી શુક્રવારે બુંદેલખંડને ઘણી વિકાસ યોજનાઓ ભેટ આપવાના છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત પર ભાર મૂકવા માટે વડાપ્રધાન સશસ્ત્ર દળોના સર્વિસ ચીફ્સને સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા અને વિકસિત સાધનો ઔપચારિક રીતે સોંપશે. પ્રધાનમંત્રી ઝાંસીમાં ભારત ડાયનેમિક્સ હેઠળના પ્લાન્ટનો શિલાન્યાસ કરશે, જે એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલો માટે પ્રોપલ્શન સિસ્ટમ્સ બનાવવા માટે રૂ. 400 કરોડમાં સ્થાપિત કરવામાં આવશે.
आज गुरु नानक जी का प्रकाश पर्व है।
आज पीएम @narendramodi सिंचाई परियोजनाओं का लोकार्पण करने यूपी के महोबा जाएंगे।
फिर शाम को वो झांसी में राष्ट्र रक्षा समर्पण पर्व में सम्मिलित होंगे।
जाने से पहले वो सुबह 9 बजे राष्ट्र के नाम संदेश देंगे।
— PMO India (@PMOIndia) November 19, 2021
આ પણ વાંચોઃ
Published On - 8:55 am, Fri, 19 November 21