AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Airlines : હવે તમે ફ્લાઈટ્સ અને એરપોર્ટ પર ભારતીય મ્યુઝિક સાંભળી શકશો ! ઉડ્ડયન મંત્રાલયે કહ્યું એરલાઈન્સ કંપનીઓએ વિચારવું જોઈએ

23 ડિસેમ્બરના રોજ, ICCR એ ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમાં ભારતીય સંગીતને પ્રોત્સાહન આપવા માટે દરેક ફ્લાઇટ માટે ભારતીય સંગીત વગાડવું ફરજિયાત બનાવવા જણાવ્યું હતું.

Indian Airlines : હવે તમે ફ્લાઈટ્સ અને એરપોર્ટ પર ભારતીય મ્યુઝિક સાંભળી શકશો ! ઉડ્ડયન મંત્રાલયે કહ્યું એરલાઈન્સ કંપનીઓએ વિચારવું જોઈએ
Play Indian music in flights and airports, says Civil Aviation Ministry
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 11:18 AM
Share

Indian Airlines : ભારતના એરપોર્ટ અને ફ્લાઈટમાં ભારતીય સંગીત (Indian music) ટૂંક સમયમાં સાંભળી શકાશે.નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરલાઇન્સ કંપની (Airlines Company)ઓને સલાહ આપી છે કે તેઓ તેમની ફ્લાઇટ્સ તેમજ દેશના એરપોર્ટ પર ભારતીય સંગીત વગાડે.Indian Council for Cultural Relations(ICCR)એ આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, ત્યાર બાદ તેમણે આ સલાહ આપી છે.

ઉડ્ડયન મંત્રાલયના સંયુક્ત સચિવ ઉષા પાધી વતી DGCA ચીફ અરુણ કુમાર દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “વિશ્વભરની મોટાભાગની એરલાઇન્સ જે દેશની એરલાઇન છે તે દેશમાં શ્રેષ્ઠ સંગીત વગાડે છે. ઉદાહરણ તરીકે અમેરિકન એરલાઇનમાં જાઝ અથવા ઑસ્ટ્રિયન એરલાઇનમાં મોઝાર્ટ અને મિડલ ઇસ્ટ એરલાઇનમાં આરબ મ્યુઝિક, પરંતુ ભારતીય એરલાઇન્સ (Indian Airlines)ફ્લાઇટમાં ભાગ્યે જ ભારતીય સંગીત વગાડે છે, જ્યારે આપણી પાસે સમૃદ્ધ સંગીત વારસો અને સંસ્કૃતિ છે. જેના પર દરેક ભારતીય ખરેખર ગર્વ કરવાનું કારણ છે.

પાધીના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયને ICCR તરફથી ભારતમાં અને એરપોર્ટ પર કાર્યરત એરક્રાફ્ટમાં ભારતીય સંગીત વગાડવાની વિનંતી મળી છે.” આથી નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કરવા માટે કૃપા કરીને વિચારણા કરવા વિનંતી છે.

ICCR એ 23 ડિસેમ્બરે જ્યોતિરાદિત્ય સિંધિયાને એક મેમોરેન્ડમ સુપરત કર્યું

અગાઉ 23 ડિસેમ્બરે, ICCR એ ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમાં ભારતીય સંગીતને પ્રોત્સાહન આપવા માટે દરેક ફ્લાઇટ માટે ભારતીય સંગીત વગાડવું ફરજિયાત બનાવવા જણાવ્યું હતું. ICCRએ ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેના કાર્યક્રમમાં બોલાવ્યા હતા અને તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે જો ઈન્ડિયન એરલાઈન્સમાં આવું થશે તો ભારતીય સંગીતને ઘણી શક્તિ મળશે. સિંધિયાએ કહ્યું હતું કે, ‘હું સંગીત શહેર ગ્વાલિયરમાંથી આવું છું, જે તાનસેનનું શહેર રહ્યું છે અને સંગીતનું જૂનું ઘર પણ રહ્યું છે. ભારતીય પ્રાચીન સંગીતનો ઘણા વર્ષોનો ઈતિહાસ છે અને લોકો પ્રાચીન સંગીતમાં પણ ખૂબ રસ ધરાવે છે.

આ પણ વાંચો : UP: પિયુષ જૈનની વધી શકે છે મુશ્કેલીઓ, સોનાની ઈંટ અને બિસ્કીટ જપ્ત કરાયા, આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરી કરતી ટોળકીના તાર જોડાયેલા હોવાની આશંકા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">