AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોઈંગના વિમાનો વારંવાર કેમ ખોટકાય છે ? તપાસ કરાવો, DGCA સમક્ષ પાયલટ્સ સંગઠને કરી માંગ

એક પછી એક અનેક વિમાનોમાં સર્જાતી ટેકનિકલ ખામીને કારણે, મુસાફરોની સુરક્ષા સામે અનેક સવાલો સર્જાઈ રહ્યાં છે. બર્મિંગહામમાં એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનનું ઈમરજન્સીમાં લેન્ડિગ કરાવ્યા બાદ આ સમસ્યાને પાઈલટના સંગઠને અવાજ ઉઠાવ્યો છે. પાઇલટ સંગઠન FIP એ DGCA ને ભારતમાં તમામ બોઇંગ 787 વિમાનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું નિરીક્ષણ કરવાની માંગ કરી છે.

બોઈંગના વિમાનો વારંવાર કેમ ખોટકાય છે ? તપાસ કરાવો, DGCA સમક્ષ પાયલટ્સ સંગઠને કરી માંગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2025 | 2:45 PM
Share

અમદાવાદમાં ગત 12 જૂન 2025ના રોજ એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના પછી, એર ઇન્ડિયાના વિમાનોની કોઈને કોઈ ક્ષતિ જાહેર થઈ રહી છે. એમ કહી શકાય કે એવુ એક પણ સપ્તાહ નહીં હોય કે, એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામીના સર્જાઈ હોય.

4 ઓક્ટોબરના રોજ એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાન AI117 એ ઈમરજન્સી લેન્ડિગ કરવું પડ્યું. વિમાન અમૃતસરથી બર્મિંગહામ જઈ રહ્યું હતું. લેન્ડિંગ દરમિયાન, વિમાનમાં એકાએક રેમ એર ટર્બાઇન (RAT) સક્રિય થઈ ગઈ. પરિણામે, સાવચેતીના ભાગરૂપે વિમાનને તાત્કાલિક નજીકના એરપોર્ટ ઉપર ઉતરાણ કરવામાં આવ્યું. આના પગલે, બર્મિંગહામથી ભારત પરત ફરતી ફ્લાઇટ પણ રદ કરી દેવામાં આવી હતી.

આ ઘટના બાદ, પાઇલટ્સનું સંગઠન, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) એ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવીએશન (DGCA) ને પત્ર લખીને વિનંતી કરી હતી કે, DGCA દેશના તમામ બોઇંગ 787 વિમાનોની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું નિરીક્ષણ કરે.

RAT 400-500 ફૂટ પર સક્રિય

DGCA ને લખેલા પત્રમાં, FIP ના પ્રમુખ જી.એસ. રંધાવાએ જણાવ્યું હતું કે, એરક્રાફ્ટ હેલ્થ મોનિટરિંગ (AHM) એ બસ પાવર કંટ્રોલ યુનિટ (BPCU) માં ખામી શોધી કાઢી હતી, જેના કારણે RAT આપમેળે સક્રિય થઈ ગયું હતું. બર્મિંગહામમાં પ્રવેશતી વખતે RAT 400-500 ફૂટ પર સક્રિય થયું ત્યારે આ ઘટના બની હતી. AHM એ BPCU માં ખામી શોધી કાઢી હતી.

AAIB બર્મિંગહામમાં આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. FIP પ્રમુખે જણાવ્યું હતું કે, B-787 વિમાનોને લગતા અસંખ્ય અકસ્માતો થયા છે. “અમે દેશના તમામ B-787 વિમાનોની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું નિરીક્ષણ કરવાનો મુદ્દો નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને AAIB સમક્ષ ઉઠાવ્યો છે,”

RAT શું છે?

રેમ એર ટર્બાઇનનો ઉપયોગ વિમાનમાં ટેકનિકલ ખામી દર્શાવવા માટે થાય છે. બંને એન્જિનમાં ખામી, ઇલેક્ટ્રિકલ ખામી અથવા હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાય તો તે આપમેળે સક્રિય થાય છે. આ સિસ્ટમ ઊંચાઈ પર વિમાનને મદદ કરવા માટે સ્થાપિત કરવામાં આવી છે. તે ઊંચાઈ પર ટેકનિકલ ખામી સર્જાય તો સંદેશાવ્યવહાર અને શક્તિ જાળવવામાં મદદ કરે છે.

ટીવી9 ગુજરાતીના લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે તમે અહીં ક્લિક કરો, અહીંયા તમને દરરોજના તાજા અને લેટેસ્ટ સમાચાર જાણવા મળશે.

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
g clip-path="url(#clip0_868_265)">