AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Budget Session Update: પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી પછી MSP પર સમિતિ બનાવવાની જાહેરાત કરશે સરકાર, રાજ્યસભામાં કૃષિપ્રધાનનું નિવેદન

સત્રના પાંચમા દિવસે પણ ઉગ્ર ચર્ચા થવાની અપેક્ષા છે. સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા ત્રીજા દિવસે પણ ચાલુ રહેશે.

Parliament Budget Session Update: પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી પછી MSP પર સમિતિ બનાવવાની જાહેરાત કરશે સરકાર, રાજ્યસભામાં કૃષિપ્રધાનનું નિવેદન
Parliament-Rajya Sabha
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 1:03 PM
Share

MSPને પારદર્શક બનાવવા માટે કમિટી બનાવવાની જાહેરાત

રાજ્યસભામાં મહત્વપૂર્ણ માહિતી આપતાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે કેન્દ્ર સરકાર MSPને પારદર્શક બનાવવા માટે એક સમિતિની રચનાની જાહેરાત કરશે. આ જાહેરાત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ કરવામાં આવશે.

મહિલાઓની ગરિમાની સુરક્ષામાં કોઈ બાંધછોડ નથીઃ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ

‘બુલ્લી બાઈ’ અને ‘સુલ્લી ડીલ્સ’ એપ કેસ પર રાજ્યસભાના ભાજપના સાંસદ સુશીલ મોદી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ કહે છે, “મહિલાઓની ગરિમાનું રક્ષણ કરવું એ અમારા માટે મૂળભૂત રચના છે. અમે આ મુદ્દા પર સમાધાન કરી શકતા નથી.” તેમણે કહ્યું, “તમામ મુદ્દાઓ પર ઝડપથી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે પણ સરકાર સોશિયલ મીડિયાને જવાબદાર બનાવવા માટે કોઈ પગલું ભરે છે, ત્યારે વિપક્ષ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલાનો આરોપ લગાવે છે, જે સાચું નથી.

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કાશ્મીરી પંડિતોનો મુદ્દો ઉઠાવ્યો

હતો કાશ્મીરી પંડિતોનો મુદ્દો ઉઠાવતા શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે કાશ્મીરી પંડિતો છેલ્લા 32 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે અને બે દાયકાથી ઘર છોડીને જીવી રહ્યા છે. 2015માં મોદી સરકારે તેમના માટે 6 હજાર ટ્રાન્ઝિટ હાઉસ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ તે કામ પણ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

ડીએમકે અને ટીએમસીએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું

તમિલનાડુના રાજ્યપાલ દ્વારા રાજ્યને NEET તબીબી પરીક્ષામાંથી મુક્તિ આપતું બિલ પાછું ખેંચવા અંગે સૂત્રોચ્ચાર કર્યા પછી કોંગ્રેસ, ડીએમકે અને ટીએમસીએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું.

DMK સાંસદે વોકઆઉટ અંગે શું કહ્યું?

DMK સાંસદ ત્રિચી સિવાએ કહ્યું કે, તમિલનાડુના મુખ્યમંત્રી બે વખત રાજ્યપાલને મળ્યા અને તેમને NEET બિલ કેન્દ્ર સરકારને મોકલવા વિનંતી કરી, પરંતુ તેમણે તેમ કર્યું નહીં. તેમણે સંઘીય ભાવના વિરુદ્ધ કામ કર્યું. અમે તેને રાજ્યસભામાં હાઈલાઈટ કરવા માગતા હતા પરંતુ મંજૂરી આપવામાં આવી ન હતી. કોંગ્રેસ, CPI(M), CPI, TMC, RJD અને IUML એ વિરોધમાં વોકઆઉટ કર્યું.

‘બેટી બચાવો બેટી પઢાવો’ સૂત્ર બની ગયું ‘બેટી ભુલા પ્રચાર બઢાવો’ – પ્રિયંકા ચતુર્વેદી

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે ભાષણથી એવું લાગી રહ્યું છે કે ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે અને તે ખુશ છે. એગ્રીકલ્ચર એક્ટને કારણે 700 ખેડૂતોના મોત થયાનું ભાષણમાં ફરી એકવાર કહેવામાં આવ્યું નથી. તેમણે કહ્યું, ભાષણમાં મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવી હતી, પરંતુ સત્ય એ છે કે ‘બેટી બચાવો બેટી પઢાવો’નું સૂત્ર ‘બેટી ભુલા પ્રચાર બઢાવો’ બની ગયું છે.

આ પણ વાંચો-Uttar Pradesh Assembly Election 2022 : ઉત્તરપ્રદેશની ચૂંટણીનો ગઢ સર કરવા PM Modi મેદાનમાં, રણનીતિ માટેની બેઠકમાં 6 લાખ ભાજપ કાર્યકર્તાને જોડશે

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">