AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: PAN-Aadhaar લિંક કરવા માટેની સમય મર્યાદામાં કરાયો વધારો, વાંચો કઈ આવી નવી તારીખ

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ થવાથી અનલિંક PAN નિષ્ક્રિય થઈ જશે. જેમણે હજુ સુધી તેમના પાન કાર્ડને તેમના આધાર સાથે લિંક નથી કરાવ્યું તેઓએ પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવી જોઈએ.

Breaking News: PAN-Aadhaar લિંક કરવા માટેની સમય મર્યાદામાં કરાયો વધારો, વાંચો કઈ આવી નવી તારીખ
PAN Aadhaar Link Updates
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 3:40 PM
Share

ઘણા સમયથી સરકાર દ્વારા લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે PAN અને Aadhaar ને લિંક કરવાની છેલ્લી તારીખ વધારી દેવામાં આવી છે. હવે પાન કાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાવવા માટે 30 જૂન 2023 સુધીની સમયમર્યાદામાં વધારો કર્યો છે. જો સરકારના આ નિર્ણય હેઠળ PANને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ પહેલા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 હતી. જે વધારીને હવે 30 જૂન 2023 કરવામાં આવી છે.

પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ ફરી લંબાવવામાં આવી છે. આ કામ કરવા માટે અગાઉ 31 માર્ચ 2023ની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે તેને ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાન કાર્ડ અને આધાર કાર્ડને 30 જૂન 2023 સુધી લિંક કરી શકાશે. નાણા મંત્રાલય દ્વારા પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ વધારવાના નિર્ણય બાદ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો તમે નવી નિયત તારીખ એટલે કે 30 જૂન 2023 સુધીમાં આ કામ કરવામાં નિષ્ફળ રહેશો તો તમારું પાન કાર્ડ કોઈ કામનું રહેશે નહીં.

આ અંગેની માહિતી આવકવેરા વિભાગ દ્વારા પણ ટ્વિટર દ્વારા શેર કરવામાં આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આ મહત્વપૂર્ણ કામ માટે કરદાતાઓને થોડો વધુ સમય આપવા માટે તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. અગાઉ નિર્ધારિત સમયમર્યાદા પૂરી થવાના ત્રણ દિવસ પહેલા કરદાતાઓને આ રાહત આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પાન કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે, જે તમારા કોઈપણ નાણાકીય કાર્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભાજપના કાર્યાલયમાં કાર્યકર્તા વચ્ચે 'દે ધના ધન', જુઓ Video
ભાજપના કાર્યાલયમાં કાર્યકર્તા વચ્ચે 'દે ધના ધન', જુઓ Video
વિજ્ઞાન જાથાએ તંત્ર-મંત્ર કરતો ભૂવો ફિરોઝ સંધિને રંગેહાથ ઝડપ્યો
વિજ્ઞાન જાથાએ તંત્ર-મંત્ર કરતો ભૂવો ફિરોઝ સંધિને રંગેહાથ ઝડપ્યો
PM મોદીનો કોંગ્રેસને સવાલ, પાકિસ્તાન પર હુમલો કરતા કોણે રોક્યા હતા ?
PM મોદીનો કોંગ્રેસને સવાલ, પાકિસ્તાન પર હુમલો કરતા કોણે રોક્યા હતા ?
કોડીનારના ખેડૂતોની હાલત કફોળી ! મગફળી, સોયાબીન સહિતનો પાકને નુકસાન
કોડીનારના ખેડૂતોની હાલત કફોળી ! મગફળી, સોયાબીન સહિતનો પાકને નુકસાન
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન ! જીવાત નીકળી હોવાનો Video વાયરલ
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન ! જીવાત નીકળી હોવાનો Video વાયરલ
અમદાવાદમાં રોગચાળો વકર્યો, UHC અને PHCમાં દરરોજ નોંધાય છે 1500 કેસ
અમદાવાદમાં રોગચાળો વકર્યો, UHC અને PHCમાં દરરોજ નોંધાય છે 1500 કેસ
પુણા વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં લિકેજ બાદ વિસ્ફોટ
પુણા વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં લિકેજ બાદ વિસ્ફોટ
ઝઘડિયાના ભાલોદ ગામે એક મકાનમાં લાગી ભીષણ આગ
ઝઘડિયાના ભાલોદ ગામે એક મકાનમાં લાગી ભીષણ આગ
વિસનગરમાં 14 વર્ષની સગીરા પર 6 યુવકે આચર્યું દુષ્કર્મ
વિસનગરમાં 14 વર્ષની સગીરા પર 6 યુવકે આચર્યું દુષ્કર્મ
આ રાશિ જાતકોનો દિવસ રોમાંચક તેમજ આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ રાશિ જાતકોનો દિવસ રોમાંચક તેમજ આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
g clip-path="url(#clip0_868_265)">