AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂખમરી-ગરીબી સંભાળી નથી શકતાને કાશ્મીર જોઈએ છે, પાકિસ્તાન રચી રહ્યું છે નવું ષડયંત્ર

લાહોરમાં, જમાત-એ-ઇસ્લામી (JI) પાર્ટી બપોરે 1 વાગ્યે લિબર્ટી ચોકથી પંજાબ એસેમ્બલી હોલ સુધી કૂચ કરશે. પીઓકેમાં જમાત-એ-ઇસ્લામીના કાર્યકરો વિસ્તારમાં અને બહારના મુખ્ય માર્ગો પર માનવ સાંકળ બનાવશે.

ભૂખમરી-ગરીબી સંભાળી નથી શકતાને કાશ્મીર જોઈએ છે, પાકિસ્તાન રચી રહ્યું છે નવું ષડયંત્ર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 10:25 AM
Share

પાકિસ્તાન દર વર્ષે 5 ફેબ્રુઆરીએ કાશ્મીર સોલિડેરિટી ડે ઉજવે છે. આ દિવસે સમગ્ર પાકિસ્તાનમાં જાહેર રજા હોય છે. તેને ધ્યાનમાં રાખીને દેશમાં મોટા પાયે રેલીઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં રાજકીય ઉથલપાથલ, આતંકવાદી હુમલા, ભૂખમરો અને ગરીબીથી પીડાઈ રહ્યું છે. પોતાનો દેશ સંભાળી નથી શકતા અને પાકિસ્તાનને કોઈપણ કિંમતે કાશ્મીરની જોઈએ છે. કાશ્મીરને લઈને પાકિસ્તાન દરરોજ નવા ષડયંત્ર રચે છે. હવે તેણે કાશ્મીર વિરોધ પર એક નવી ટૂલકિટ બહાર પાડી છે. પાકિસ્તાન 5 ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસ ઉજવશે. તેને ધ્યાનમાં રાખીને દેશમાં મોટા પાયે રેલીઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

માનવ સાંકળ બનાવશે

પાકિસ્તાનના ધાર્મિક અને રાજકીય જૂથો દિવસની ઉજવણી માટે સરઘસો, રેલીઓ, પરિષદો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે. લાહોરમાં, જમાત-એ-ઇસ્લામી (JI) પાર્ટી બપોરે 1 વાગ્યે લિબર્ટી ચોકથી પંજાબ એસેમ્બલી હોલ સુધી કૂચ કરશે. પીઓકેમાં જમાત-એ-ઇસ્લામીના કાર્યકરો વિસ્તારમાં અને બહારના મુખ્ય માર્ગો પર માનવ સાંકળ બનાવશે.

આ પણ વાચો: Pakistan Petrol Crisis: પાકિસ્તાનમાં પેટ્રોલ થયુ ખાલી, ઓઈલ કંપનીઓએ શાહબાઝને આપી ચેતવણી

એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પ્રેસ ક્લબ, સાર્વજનિક ચોક, મુખ્ય મસ્જિદો, મુખ્ય રસ્તાઓ, યુનિવર્સિટી કેમ્પસ અને ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની નજીક અન્ય રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા રેલીઓ યોજવાની સંભાવના છે.

કેમ આવી આ મુસીબત

દેશની શાહબાઝ સરકારે IMFની શરત પૂરી કરવા માટે ડોલરની મર્યાદા હટાવી દીધી. પરિણામે રૂપિયો ઘટીને 276.58ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો હતો. પાકિસ્તાનની ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (OGRA) અને ઉર્જા મંત્રાલયને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓઇલ કંપની એડવાઇઝરી કાઉન્સિલ (OCAC)એ કહ્યું છે કે રૂપિયાના ભાવમાં અચાનક ઘટાડો થવાથી ઉદ્યોગને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.

250 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ

પાકિસ્તાનની રૂપિયો ઝડપથી ઘટી રહ્યો છે. જેના કારણે આયાતી માલના ભાવ વધી ગયો છે. પાકિસ્તાનના આયાત બિલનો મોટો હિસ્સો એનર્જીનો છે. પાકિસ્તાન સામાન્ય રીતે આયાતી કુદરતી ગેસનો ઉપયોગ કરીને તેની વાર્ષિક વીજળીની માંગ પૂરી કરે છે. જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારથી એનર્જી ઘણી મોંઘી થઈ ગઈ છે.

તાજેતરમાં જ પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 ટકા સુધીનો વધારો થયો છે. દેશમાં અત્યારે પેટ્રોલ 250 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ઘણી જગ્યાએ પેટ્રોલ જ નથી. આવી સ્થિતિમાં આવનારા દિવસો ઘણા કપરા સાબિત થઈ શકે છે.

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">