AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પાકિસ્તાન આર્મી આતંકવાદી સંગઠનો સાથે મળીને કરે છે કામ’, રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ધિલ્લોને આપ્યુ મોટુ નિવેદન

14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં હુમલાખોરેએ એક આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા.

'પાકિસ્તાન આર્મી આતંકવાદી સંગઠનો સાથે મળીને કરે છે કામ', રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ધિલ્લોને આપ્યુ મોટુ નિવેદન
Lt Gen KJS Dhillon (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 6:23 PM
Share

નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ KJS ધિલ્લોને (Lt Gen KJS Dhillon) 2019ના પુલવામા હુમલા (Pulwama attack) દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં 15 કોર્પ્સની કમાન સંભાળી હતી. તેમણે સોમવારે જણાવ્યુ હતું કે સુરક્ષા દળોએ હુમલાના 100 કલાકની અંદર પુલવામા હુમલા પાછળના મોડ્યુલને ખતમ કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની નાગરિક કામરાન આ મોડ્યુલનું નેતૃત્વ કરી રહ્યો હતો. તેણે એમ પણ કહ્યું કે આતંકવાદીઓ એટલી હદે મરવાથી ડરી ગયા હતા કે કોઈ જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) વિરુદ્ધ સુરક્ષા દળોના ઓપરેશનનું નેતૃત્વ કરવા માંગતા ન હતા.

હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા

ANI સાથે વાત કરતા ધિલ્લોને કહ્યુ કે, “અમારી પાસે એવા ઇન્ટરસેપ્ટ છે કે જ્યાં પાકિસ્તાન (Pakistan)  તરફથી આતંકવાદીઓને નેતૃત્વની ભૂમિકા માટે કોલ આપશે, પરંતુ તેઓ ઇનકાર કરશે.” 14 ફેબ્રુઆરી 2019 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં એક આત્મઘાતી હુમલાખોરોએ આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદના આદિલ અહમદ ડાર તરીકે ઓળખાતા આત્મઘાતી હુમલાખોરોએ તેનું વાહન CRPFના કાફલાની બસ સાથે અથડાવી દીધું હતું. જો કે બાદમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરી 2019 ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો.

પાકિસ્તાની સેના, ISI અને આતંકવાદી સંગઠનો સાથે મળીને કરે છે કામ

ઉપરાંત ધિલ્લોનેએમ પણ કહ્યું કે પાકિસ્તાની સેના, ISI અને આતંકવાદી સંગઠનો સાથે મળીને કામ કરે છે, કારણ કે પાકિસ્તાની સેનાની સક્રિય ભાગીદારી અને માર્ગદર્શન વિના કોઈ પણ નિયંત્રણ રેખા પાર કરી શકે નહીં. અમે ગુલમર્ગ સેક્ટરમાં LOC પાસે પાકિસ્તાની નાગરિકોને પકડ્યા, જેમને પાકિસ્તાન દ્વારા અમારી પોસ્ટની સામે LOC પર લાવવામાં આવ્યા હતા.

PM મોદી અને રક્ષા મંત્રીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે 2019માં પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે, તેમની બહાદુરી અને સર્વોચ્ચ બલિદાન દરેક ભારતીયને મજબૂત અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરે છે.ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh) પણ હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોને શ્રદ્ધાંજલિ આપીને કહ્યુ કે, ‘આ દેશ 2019માં પુલવામામાં શહીદ થયેલા બહાદુર CRPF જવાનોના બલિદાનને ક્યારેય નહીં ભૂલે.’

આ પણ વાંચો : સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે સવાલ કરનાર તેલંગાણાના સીએમ કેસીઆર પર કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કર્યા વાકપ્રહાર, કહ્યું- તેમનું નિવેદન મુખ્યમંત્રીની અયોગ્યતા દર્શાવે છે

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">