PoK માં રંગે હાથે પકડાઈ પાકિસ્તાન આર્મી, મ્હોં છુપાવીને લડતી હતી, જુઓ
Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરન આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના નક્કર પુરાવા મળ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદી તાલીમ શિબિરો અને લોન્ચ પેડ્સના સામે આવેલા ફોટા પાકિસ્તાનની સંડોવણીનો પર્દાફાશ કરે છે. જે તસવીરો સામે આવી છે તેમાં પાકિસ્તાન આર્મીનો પણ પર્દાફાશ થયો છે.

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે પાકિસ્તાન જવાબદાર છે. પાકિસ્તાન આર્મીની મદદથી જ આતંકવાદીઓ સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યા હતા. જોકે, પાકિસ્તાને આતંકને પોષવાની આ પ્રવૃત્તિઓ ક્યારેય બંધ કરી નથી. કોઈને કોઈ સંજોગોમાં તે આવી ચેષ્ટાઓ ચાલુ જ રાખતું આવ્યું છે.
પાકિસ્તાને હંમેશા એવું બતાવવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ આતંકવાદને સહેજ પણ પ્રોત્સાહન આપતા નથી. જો કે, આખી દુનિયા પાકિસ્તાનની વાસ્તવિકતા જાણી ચૂક્યું છે કે તે આતંકવાદીઓને કેવી રીતે આશ્રય, સવલત અને તાલિમ આપે છે. ભારત વિરુદ્ધ કામ કરવામાં આતંકવાદીઓને જરૂરી દરેક મદદ કરું હતું અને કરતુ આવ્યુ છે.
તમે અહીં નીચે દર્શાવેલા ફોટામાં જુઓ છો તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર છે. આ તસવીરે પાકિસ્તાન આર્મીનો પર્દાફાશ કર્યો છે. અને પાકિસ્તાન આર્મીની યોજનાઓ નિષ્ફળ ગઈ છે. તસવીરોમાં સ્પષ્ટ દેખાતું હતું કે પાકિસ્તાની સેના આતંકવાદીઓને કેવી રીતે મદદ કરે છે.

આ તસવીર એ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે કેવી રીતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓ પાકિસ્તાની સેનાની મદદથી ઘૂસણખોરી માટે પાકિસ્તાની સેનાની ચોકીઓ નજીક જાસૂસી કરે છે અને તેમને દરેક શક્ય રીતે મદદ કરે છે. બદલામાં, તેમને ખોરાક, પીણા અને શસ્ત્રો પૂરા પાડવામાં આવે છે.
17 તાલીમ શિબિરો 37 લોન્ચ પેડ સક્રિય
પાકિસ્તાન સરકારે હજુ સુધી પહેલગામ આતંકવાદી હુમલા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. જ્યારે સૂત્રો કહે છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 17 તાલીમ શિબિર અને 37 લોન્ચ પેડ સક્રિય છે. જ્યાં સેંકડો આતંકવાદીઓ તાલિમ અને તકની રાહ જોઈ રહ્યા છે કે તેમને પોતાના નાપાક મનસુબા પૂરા કરવાનો મોકો ક્યારે મળશે?
આતંકવાદીઓને ટેકો આપતું પાકિસ્તાન
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે, 28 લોકોની હત્યા કરનારા આતંકવાદીઓના આઝાદીના લડવૈયાઓ ગણાવીને વખાણ કર્યાં હતા. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને પહેલગામના મુસ્લિમ આંતકીઓને સ્વતંત્રતા સેનાની ગણાવ્યા છે. ડારે ઇસ્લામાબાદમાં બોલતા પહેલગામ હુમલા અંગે આ ઝેરી ઓકતા હોય તે પ્રકારનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામ પર હુમલો કરનારા લોકો આતંકવાદી નહીં, સ્વતંત્રતા સેનાની હોઈ શકે છે. નાયબ વડાપ્રધાનના નિવેદન પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે પાકિસ્તાન કઈ રીતે આતંકવાદીઓને ટેકો આપવામાં વ્યસ્ત છે.
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.