AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓવૈસીએ કહ્યું, પાકિસ્તાનને એવો જવાબ આપો કે તે બીજીવાર કોઈ કૃત્ય કરતાં પહેલા 100 વાર વિચાર કરે

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કાશ્મીરની મુલાકાત દરમિયાન પહલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને પાકિસ્તાનને કડક જવાબ આપવાની માંગ કરી છે.

ઓવૈસીએ કહ્યું, પાકિસ્તાનને એવો જવાબ આપો કે તે બીજીવાર કોઈ કૃત્ય કરતાં પહેલા 100 વાર વિચાર કરે
| Updated on: May 06, 2025 | 8:26 PM
Share

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કાશ્મીરની મુલાકાત દરમિયાન પહલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને પાકિસ્તાનને કડક જવાબ આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ભારતે એવી કાર્યવાહી કરવી જોઈએ કે પાકિસ્તાન બીજીવાર કોઈ પગલું ભરતા 100 વાર વિચારે. પાકિસ્તાની સેના સંબંધો બગાડી રહી છે. પાકિસ્તાની સેનાની આદત જ છે કે તેઓ બીજાનું વાતાવરણ બગાડે.

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી મંગળવારે કાશ્મીર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પહલગામ આતંકવાદી હુમલા અંગે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને હવે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ઓવૈસીએ કહ્યું, અમે સરકારને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા કહ્યું છે. પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી છે. પહલગામના ગુનેગારો માણસ કહેવાને લાયક નથી.

પાકિસ્તાન 100 વાર વિચારે

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, યુએનનો ઠરાવ આપણને કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે. પહલગામમાં લોકોને તેમનો ધર્મ પૂછ્યા પછી ગોળી મારી દેવામાં આવી હતી. ભારતે એવી કાર્યવાહી કરવી જોઈએ કે જેથી બીજીવાર આવું કૃત્ય ના કરે. તેમણે વધુમાં કહ્યું કે, જવાબ એવો આપવો કે પાકિસ્તાન 100 વાર વિચાર કરે. પાકિસ્તાની સેના સંબંધો બગાડી રહી છે. પાકિસ્તાની સેના બંને દેશો વચ્ચેના સંબંધો સુધરવા માંગતી નથી. હવે પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં મૂકવું જરૂરી છે.

સીરિયામાં તુર્કીએ જે કર્યું તે હવે ભારતે કરવું જોઈએ

ઓવૈસીએ કહ્યું, આ વખતે ફક્ત હુમલો ન કરો, ત્યાં જઈને બેસી પણ જાઓ. ભારત માટે પાકિસ્તાનના નોન સ્ટેટ એક્ટર્સને સજા આપવી જરૂરી છે. જેમ તુર્કીએ સીરિયામાં ઘૂસીને નોન સ્ટેટ એક્ટર્સ પર હુમલો કર્યો તેમ ભારતે પણ તે જ કરવું જોઈએ. જો પાકિસ્તાન કહે છે કે, સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરવું એ યુદ્ધનું કૃત્ય છે, તો તેમણે પહલગામમાં શું કર્યું છે?

પાકિસ્તાને બધી હદો વટાવી

ઓવૈસીએ પોતાનો મુદ્દો રજૂ કર્યો અને કહ્યું કે, પાકિસ્તાનમાં સુધારાનો સમય આવી ગયો છે. હવે ભારત સરકારે આ નિર્ણય લેવો પડશે. હું સરકારના દરેક નિર્ણય સાથે છું. હવે આતંકવાદ બંધ થવો જ જોઇએ. હવે પાકિસ્તાને બધી હદો વટાવી દીધી છે. તેમણે પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશીને ટ્રોલ કરનારાઓ પર પણ પ્રહારો કર્યા હતા. ઓવૈસીએ કહ્યું, હિમાંશી વિરુદ્ધ બોલતા લોકોને શરમ આવવી જોઈએ.

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">