Coronavirus : કોરોનાની બીજી લહેરથી 1 કરોડ બેરોજગાર, પહેલી-બીજી લહેરથી 97 ટકા કુંટુંબની આવક ઘટી

Coronavirus : કોરોના મહામારીની બીજી લહેરના (Second wave) કારણે દેશમાં એક કરોડથી વધારે લોકો બેરોજગાર થઇ ચૂક્યા છે. જ્યારે પહેલી લહેરને લઇ અત્યારસુધી 97ટકા કુંટુંબોની આવક ઓછી નોંધાઇ છે. Centre for Monitoring Indian Economy (CMIE)ના CEO મહેશ વ્યાસે  આ જાણકારી આપી.

Coronavirus : કોરોનાની બીજી લહેરથી 1 કરોડ બેરોજગાર, પહેલી-બીજી લહેરથી 97 ટકા કુંટુંબની આવક ઘટી
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 01, 2021 | 12:14 PM

Coronavirus : કોરોના મહામારીની બીજી લહેરના (Second wave) કારણે દેશમાં એક કરોડથી વધારે લોકો બેરોજગાર થઇ ચૂક્યા છે. જ્યારે પહેલી લહેરને લઇ અત્યાર સુધી 97 ટકા કુંટુંબની આવક ઓછી નોંધાઇ છે. Centre for Monitoring Indian Economy (CMIE)ના CEO મહેશ વ્યાસે  આ જાણકારી આપી.

વ્યાસના પ્રમાણે શોધ સંસ્થાના આંકલન પ્રમાણે બેરોજગારી દર મે મહિનામાં 12ટકા હતો જે એપ્રિલમાં 8 ટકા હતો. આ દરમિયાન લગભગ એક કરોડ ભારતીયની નોકરી રહી નથી. આનુ મુખ્ય કારણ કોરોના સંક્રમણની બીજી લહેર છે. તેમણે કહ્યુ કે અર્થવ્યવસ્થામાં કામકાજ શરુ થયા બાદ અમુક હદ સુધી સમસ્યાનું સમાધાન થઇ શકે છે. પરંતુ સંપૂર્ણ સમાધાન નહિ થાય.વ્યાસે જણાવ્યુ કે જે લોકોની નોકરી ગઇ છે. તેમને માટે નોકરી શોધવી મુશ્કેલ છે.

આના પરથી ખ્યાલ આવે છે કે  સ્થિતિ સારી થવામાં સમય લાગી શકે છે.મહત્વપૂર્ણ છે કે ગયા વર્ષે મહામારીને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન લગાડવામાં આવ્યુ હતું. જેના કારણે બેરોજગારીનો દર 23.5 ટકાના રેકોર્ડ સ્તર પર ચાલ્યો ગયો હતો. એક્સપર્ટ માને છે કે સંક્રમણની બીજી લહેર ચરમ પર છે. હવે ધીમે-ધીમે રાજ્યો કડકાઇમાં છૂટ આપી રહ્યા છે અને આર્થિક ગતિવિધિઓને મંજૂરી આપવાનું શરુ કરશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વ્યાસે કહ્યુ કે CMIEએ એપ્રિલમાં 1.75લાખ પરિવારનો દેશવ્યાપી સર્વે કર્યો. સર્વેમાં સામેલ પરિવારમાંથી માત્ર 3 ટકા લોકોએ આવક વધવાની વાત કહી જ્યારે 55 ટકા લોકોએ કહ્યુ કે તેમની આવક ઘટી છે. સર્વેમાં 42 ટકા લોકોએ કહ્યુ કે આવક ગયા જેટલી જ છે.દેશમાં 97 ટકા પરિવારની આવક મહામારી દરમિયાન ઓછી થઇ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">