AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Audit Day: PM મોદીએ કહ્યું,”અગાઉની સરકારોમાં NPA વધી, અમે તેમનું સત્ય રજૂ કર્યું, ભવિષ્યમાં ડેટા જ કરશે ડિક્ટેટ”

CAGના પ્રથમ ઑડિટ દિવસ પર પ્રધાન મંત્રીએ CAGની પ્રશંસા કરતા કહ્યુ કે, ''સંસ્થાના રુપે CAG મોટી વિરાસત છે. સમય સાથે CAGનો ઉપયોગ વધ્યો છે. CAGની કામ કરવાની રીત અત્યંત શાનદાર છે.''

Audit Day: PM મોદીએ કહ્યું,''અગાઉની સરકારોમાં NPA વધી, અમે તેમનું સત્ય રજૂ કર્યું, ભવિષ્યમાં ડેટા જ કરશે ડિક્ટેટ''
PM Modi unveils statue of Sardar Patel at CAG headquarters
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 2:54 PM
Share

વડાપ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi)એ દિલ્હીમાં CAG મુખ્યાલયમાં સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)ની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. CAG ઓફિસમાં પ્રથમ ઓડિટ દિવસની ઉજવણીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ”એક સમય એવો હતો જ્યારે દેશમાં ઓડિટને આશંકા, ડરની નજરે જોવામાં આવતું હતું. ‘CAG Vs સરકાર’, આ આપણી સિસ્ટમનો સામાન્ય વિચાર બની ગયો હતો. પરંતુ, આજે આ માનસિકતા બદલાઈ ગઈ છે. આજે ઓડિટને મૂલ્યવર્ધનના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે ગણવામાં આવે છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ”CAG એક સંસ્થા તરીકે માત્ર દેશના ખાતાઓ જ તપાસતી નથી પરંતુ ઉત્પાદકતામાં કાર્યક્ષમતામાં મૂલ્યવર્ધન પણ કરે છે. તેથી, ઓડિટ દિવસ અને તેને લગતા કાર્યક્રમો એ આપણા વિચાર-મંથનનો, આપણા સુધારાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.”

PM Modi addressed the CAG office

PM Modi addressed the CAG office

સરકારે CAGની પ્રશંસા કરી

CAGના પ્રથમ ઑડિટ દિવસ પર પ્રધાન મંત્રીએ કહ્યુ કે, ”સંસ્થાના રુપે CAG મોટી વિરાસત છે. સમય સાથે CAGનો ઉપયોગ વધ્યો છે”. CAGની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ”CAGની કામ કરવાની રીત અત્યંત શાનદાર છે.”

”સમસ્યાઓને ઓળખીશું તો ઉકેલ મળશે”

તેમના સંબોધનમાં, તેમણે કહ્યું, “અગાઉ, દેશના બેંકિંગ ક્ષેત્રમાં પારદર્શિતાના અભાવને કારણે, વિવિધ પ્રથાઓનું પાલન કરવામાં આવતું હતું. પરિણામ એ આવ્યું કે બેંકોની એનપીએ સતત વધી રહી છે. એનપીએને કાર્પેટ હેઠળ આવરી લેવા માટે ભૂતકાળમાં જે કામ કરવામાં આવ્યું હતું તેનાથી તમે સારી રીતે જાણકાર છો. પરંતુ અમે અગાઉની સરકારોની સત્યતા પૂરી ઈમાનદારી સાથે દેશની સામે મૂકી છે. આપણે સમસ્યાઓને ઓળખીશું તો જ આપણે ઉકેલ શોધી શકીશું.”

ફાઇલ CAGને આપતા આનાકાની ન કરવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેગના ઓડિટ ડે કાર્યક્રમમાં સરકારી વિભાગોને જણાવ્યું હતું કે, ”કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) જે પણ દસ્તાવેજો, આંકડાઓ અને ફાઈલો માંગે છે, તે ઉપલબ્ધ કરાવવા જોઈએ. તેમણે કહ્યું, ‘આજે અમે એવી વ્યવસ્થા બનાવી રહ્યા છીએ જેમાં ‘સરકાર સર્વમ’ની વિચારસરણી અને સરકારની દખલગીરી ઓછી થઈ રહી છે અને તમારું કામ પણ સરળ થઈ રહ્યું છે. ‘મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નેન્સ’.”

પીએમ મોદીએ કહ્યું, ”દશકાઓથી આપણા દેશમાં CAGની ઓળખ સરકારી ફાઈલો અને પુસ્તકો વચ્ચે ઝપાઝપી કરતી સંસ્થા તરીકે રહી છે. CAG સાથે જોડાયેલા લોકોની આ તસવીર હતી. મેં તમને 2019માં પણ આનો ઉલ્લેખ કર્યો હતો. મને આનંદ છે કે તમે ઝડપી પરિવર્તન લાવી રહ્યા છો, પ્રક્રિયાઓને આધુનિક બનાવી રહ્યા છો.”

‘ડેટા ભવિષ્ય નક્કી કરશે’ તેમણે કહ્યું, “કોન્ટેક્ટલેસ કસ્ટમ્સ, ઓટોમેટિક રિન્યુઅલ, ફેસલેસ એસેસમેન્ટ, સર્વિસ ડિલિવરી માટે ઓનલાઈન અરજી જેવા સુધારાએ સરકારની બિનજરૂરી દખલગીરી દૂર કરી છે. આજે તમે અદ્યતન એનાલિટિક્સ ટૂલ્સ, જીઓસ્પેશિયલ ડેટા અને સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરી રહ્યાં છો.

પીએમ મોદીએ કહ્યું, ‘જૂના સમયમાં વાર્તાઓ દ્વારા માહિતીનું પ્રસારણ થતું હતું. વાર્તાઓ દ્વારા ઇતિહાસ લખાયો. પરંતુ આજે 21મી સદીમાં ડેટા એ માહિતી છે અને આવનારા સમયમાં આપણો ઈતિહાસ પણ ડેટા દ્વારા જોવા અને સમજવામાં આવશે.

પ્રથમ સંવિધાન નિર્માતા ડૉ.ભીમ રાવ આંબેડકર અને મહાત્મા ગાંધીની પ્રતિમા CAG મુખ્યાલયમાં છે. સરદાર પટેલની આ પ્રતિમા દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર સ્થિત CAGના મુખ્યાલયમાં સ્થાપિત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ પણ હાજર રહ્યા. આ દિવસે CAGની રચના કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Delhi Pollution: કેન્દ્ર સરકારે પ્રદૂષણને લઈને બોલાવી ઈમરજન્સી બેઠક, થઈ શકે છે મોટી જાહેરાત

આ પણ વાંચોઃ Vadodara: 5 એજન્સી અને 35 ટીમો, છતાં યુવતીના આત્મહત્યા-દુષ્કર્મ કેસમાં આરોપીઓ કેમ પોલીસની પકડથી દૂર?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">