AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicrone Varient: વરિષ્ઠ રેડિયોલોજીસ્ટે કહ્યું ”ડર કરતાં વધુ સાવચેત રહેવાની જરૂર છે, હળવા લક્ષણોમાં HRCT ટેસ્ટ જરૂરી નહીં”

વરિષ્ઠ રેડિયોલોજીસ્ટ ડૉ. સંદીપ શર્માએ કહ્યું કે કોવિડના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. જો તમને કોઈ સમસ્યા હોય તો ડૉક્ટર પાસે જાઓ. તેમણે કહ્યું કે લોકોએ જાતે જ અનુમાનના આધારે કોઈ દવા ન લેવી જોઈએ''

Omicrone Varient: વરિષ્ઠ રેડિયોલોજીસ્ટે કહ્યું ''ડર કરતાં વધુ સાવચેત રહેવાની જરૂર છે, હળવા લક્ષણોમાં HRCT ટેસ્ટ જરૂરી નહીં''
Symbolic Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 7:38 PM
Share

દેશમાં નવા ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant)ની એન્ટ્રીથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. કોરોના (Corona)ની બીજી લહેર દરમિયાન એવું જાણવા મળ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓ (Infected patients)ના ફેફસાં ખરાબ રીતે પ્રભાવિત થાય છે. ત્યારે નવો વેરિઅન્ટ આવતા મોટો પ્રશ્ન એ છે કે શું તે પહેલાની જેમ ફેફસાંને અસર કરશે. વરિષ્ઠ રેડિયોલોજિસ્ટ (Radiologist) ડૉ. સંદીપ શર્માએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી જે ઓમિક્રોન જોવા મળી રહ્યો છે, તેની ફેફસાં પર એટલી ખરાબ અસર જોવા મળી નથી.

HRCT ટેસ્ટ ટાળવાની જરૂર

કોરોનાની બીજી લહેરમાં એવું જોવામાં આવ્યું કે મોટી સંખ્યામાં આરટીપીસીઆર ટેસ્ટમાં પણ દર્દીને કોવિડ છે કે નહીં તે જાણવા મળતુ ન હતુ. આવી સ્થિતિમાં HRCT ટેસ્ટ દ્વારા દર્દીને કોવિડ છે કે નહીં તે જાણી શકાતુ હતુ. જો કે ડો.સંદીપ શર્માએ જણાવ્યું હતું કે હાલમાં જે પ્રકારની નવી વેરિઅન્ટ સિસ્ટમ છે, તેમાં કોઈપણ પ્રકારની HRCT ટેસ્ટ ટાળવાની જરૂર છે.

હળવી સિસ્ટમમાં HRCT ટેસ્ટ જરૂરી નથી

ડૉ. સંદીપ શર્માએ કહ્યું કે જો કોરોનાનો કોઈ પ્રકાર આવે છે અને કેસ હળવો છે તો HRCT ટેસ્ટની જરૂર નથી. જો તમને તાવ આવે છે તો તમારા ડૉક્ટર છાતીનો એક્સ-રે જોઈને જ કહી શકે છે કે રોગની સ્થિતિ શું છે, આવી સ્થિતિમાં HRCT ટેસ્ટ કરાવવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે શક્ય છે કે આવનારા દિવસોમાં જો વાયરસ વધુ મ્યુટેશન કરે અને તેનું સ્વરૂપ બદલી નાખે તો એ જોવાનું રહેશે કે બદલાયેલા મ્યુટેશનમાં વાયરસ કેટલો ખતરનાક છે.

સમયસર ડૉક્ટર પાસે જાઓ

ડૉક્ટર સંદીપ શર્માએ કહ્યું કે કોવિડના પ્રોટોકોલનું પાલન કરો. જો તમને કોઈ સમસ્યા હોય તો ડૉક્ટર પાસે જાઓ. તેમણે કહ્યું કે લોકોએ અનુમાન પ્રમાણે જાતે કોઈ દવા ન લેવી જોઈએ. અત્યાર સુધી દેશમાં એવી કોઈ સ્થિતિ નથી આવી, જેમાં દર્દીને HRCTC ટેસ્ટની જરૂર હોવાનું જાણવા મળે. આવી સ્થિતિમાં ડરવા કરતાં વધુ સતર્ક રહેવું જરૂરી છે.

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">