Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha: જગન્નાથ મંદિર પ્રશાસને આ વર્ષનું બજેટ રજૂ કર્યું, ગયા વર્ષ કરતાં 47 કરોડ વધુ

સૂત્રોએ જણાવ્યું હતું કે બજેટ(Budget) પસાર થઈ શક્યું નથી, ત્યારબાદ હવે તેને આગામી 25 એપ્રિલે મળનારી બેઠકમાં મંજૂરી માટે રાખવામાં આવશે. ત્રણ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી, પરંતુ જગન્નાથ મંદિર(Jagannath Temple) માટે તૈયાર કરાયેલા આ બજેટ પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Odisha: જગન્નાથ મંદિર પ્રશાસને આ વર્ષનું બજેટ રજૂ કર્યું, ગયા વર્ષ કરતાં 47 કરોડ વધુ
Odisha: Jagannath temple administration presented this year's budget (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 1:56 PM

શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (Shree Jagannath Temple Authority) એ નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 237.58 કરોડનું વાર્ષિક બજેટ(Annual Budget) રજૂ કર્યું છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીએ રૂ. 47.24 કરોડનો વધારો છે. પુરીના ગજપતિ મહારાજ દિવ્યાસિંહ દેબની અધ્યક્ષતામાં મંદિર પ્રબંધન સમિતિની બેઠકમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે મળેલી બેઠકમાં બજેટ પસાર થઈ શક્યું ન હતું, ત્યારબાદ હવે તેને આગામી 25 એપ્રિલે મળનારી બેઠકમાં મંજૂરી માટે રાખવામાં આવશે. ત્રણ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી, પરંતુ જગન્નાથ મંદિર માટે તૈયાર કરાયેલા આ બજેટ પર અંતિમ નિર્ણય લઈ શકાયો ન હતો.

આવી સ્થિતિમાં 25 એપ્રિલે ફરીથી બેઠક થશે અને આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23 માટે મંદિરના બજેટને રેવન્યુ સરપ્લસ કહી શકાય, કારણ કે મંદિરની આવક રૂ. 203.96 કરોડના અંદાજિત ખર્ચની સામે રૂ. 237.58 કરોડ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિર પાસે 33.26 કરોડ રૂપિયાની આવક સરપ્લસ હશે. પુરીમાં 12મી સદીના મંદિરને રાજ્ય સરકાર તરફથી 101.46 કરોડ રૂપિયાની મહત્તમ ગ્રાન્ટ મળશે.

મંદિર પ્રશાસન રથયાત્રા પાછળ આટલા કરોડનો ખર્ચ કરશે

જમીન સંપાદનમાંથી વળતર તરીકે 60 કરોડ રૂપિયા મળશે. તેવી જ રીતે, મંદિર વાર્ષિક રથયાત્રા અને સ્નાન પૂર્ણિમા ઉત્સવના આયોજન પર અંદાજિત રૂ. 14.76 કરોડનો ખર્ચ કરશે. SJTA કર્મચારીઓના પગાર પાછળ અન્ય રૂ. 29.22 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જ્યારે કર્મકાંડ માટે સેવાદારનો દૈનિક ખર્ચ રૂ.22.14 કરોડનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, 2021-22માં મેનેજમેન્ટ કમિટીએ 190.26 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું હતું.

આજનું રાશિફળ તારીખ 20-03-2025
ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કેવી રીતે કરવી ? જાણી લો
'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો

ભક્તોના પ્રવેશ માટે પશ્ચિમ દરવાજા ખોલવાનો નિર્ણય

દરમિયાન, બેઠકમાં મંદિરમાં ભક્તોના પ્રવેશ માટે પૂર્વમાં મુખ્ય સિંહ દરવાજો તેમજ પશ્ચિમનો દરવાજો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એસજેટીએના મુખ્ય પ્રશાસક વીર વિક્રમ યાદવે જણાવ્યું હતું કે ભક્તો ઉત્તર અને દક્ષિણ દરવાજામાંથી બહાર નીકળી શકે છે. તેમણે કહ્યું કે વાર્ષિક રથયાત્રા માટે રથનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં ચંદન યાત્રા અને જગન્નાથ મંદિરની અન્ય ધાર્મિક વિધિઓ માટેની નીતિ પેટા સમિતિના નિર્ણયને પણ મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો-આ વખતે PMOથી થશે કેદારનાથ યાત્રાનું મોનિટરિંગ, વડાપ્રધાન મોદીના નામે થશે પ્રથમ પૂજા

રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">