AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nuh Violence: ‘ઉપદ્રવીઓએ પ્લાનિંગથી નલહાર મંદિર પર કર્યો હતો હુમલો’, નૂહ હિંસા અંગે નોંધાયેલી ચાર FIR સામે આવી

નલહર મંદિર અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા બાદ નોંધાયેલી એફઆઈઆરની વિશેષ વિગતો સામે આવી છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે બંન્ને સ્થળે બદમાશોએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે હુમલો કર્યો હતો. ઘટના અંગે ચાર એફઆઈઆરમાં નોંધાયેલી માહિતી સામે આવી છે. જેમાં હુમલામાં સંડોવાયેલા લોકોની સાથે સંપૂર્ણ પ્લાનિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Nuh Violence: 'ઉપદ્રવીઓએ પ્લાનિંગથી નલહાર મંદિર પર કર્યો હતો હુમલો', નૂહ હિંસા અંગે નોંધાયેલી ચાર FIR સામે આવી
nuh violence
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 7:53 AM
Share

હરિયાણાના નૂહમાં હિંસા દરમિયાન નલહર મંદિર અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા બાદ નોંધાયેલી એફઆઈઆરની વિશેષ વિગતો સામે આવી છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે બંન્ને સ્થળે બદમાશોએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે હુમલો કર્યો હતો. ઘટના અંગે ચાર એફઆઈઆરમાં નોંધાયેલી માહિતી સામે આવી છે. જેમાં હુમલામાં સંડોવાયેલા લોકોની સાથે સંપૂર્ણ પ્લાનિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

FIR નંબર 253 માં, હિંસાની દરેક વિગતો નૂહ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પીએસઆઈ સૂરજ વતી આ એફઆઈઆર નોંધવામાં આવી છે. FIR મુજબ હજારોની ભીડે પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. પોલીસ સ્ટેશન પર પથ્થરમારો શરૂ કર્યો અને હિંસક ટોળાએ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવાના નારા લગાવ્યા. તોફાનીઓએ બસ અને પોલીસ સ્ટેશનની દિવાલો અને મુખ્ય દરવાજા તોડી નાખ્યા હતા.

જ્યારે પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેમનો જીવ બચાવવા 125 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેથી બદમાશો અંદર ન આવે, પરંતુ એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે ભીડ એટલી મોટી હતી કે, બદમાશો હુમલો કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે પોલીસકર્મીઓને જીવતા સળગાવી દો. અન્ય લોકોને ઉશ્કેરી રહ્યા હતા અને સાયબર પોલીસ સ્ટેશનોને નિશાન બનાવ્યું હતું.

આ સિવાય પોલીસ સ્ટેશન પર હુમલાની એફઆઈઆરમાં પણ ફાયરિંગની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યા બાદ ગેરકાયદેસર હથિયારો સાથે પોલીસકર્મીઓને મારવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. બદમાશોએ પથ્થરમારો અને આગચંપી ચાલુ રાખી હતી. જે બાદ સ્વરક્ષણ અને જાન-માલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસકર્મીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

મંદિર પર પૂર્વયોજિત હુમલો

સાયબર પોલીસ સ્ટેશનની સાથે સાથે નલહાર મહાદેવ મંદિર પર પણ બદમાશોએ સમજી વિચારીને હુમલો કર્યો હતો. એફઆઈઆર નંબર 398 એ જ વાત કહે છે, જે ASI ધર્મેન્દ્ર દ્વારા નોંધવામાં આવી છે. એફઆઈઆર મુજબ, એક ખાસ સમુદાયના 800-900 લોકો લાકડીઓ અને ગેરકાયદેસર હથિયારો લઈને આવ્યા હતા. બદમાશોનું ટોળું ધાર્મિક સૂત્રોચ્ચાર કરી રહ્યું હતું. હિંસક ભીડ જલાભિષેક યાત્રાને અવરોધવા મંદિર તરફ આગળ વધવા લાગી.

એફઆઈઆરમાં પોલીસકર્મીઓ અને શોત્રયાત્રામાં સામેલ લોકો પર બદમાશો દ્વારા ફાયરિંગ કરવાનો પણ ઉલ્લેખ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ પોલીસ અને મુસાફરો પર પથ્થરો વડે હુમલો કરવાનું શરૂ કર્યું, હથિયારોથી ફાયરિંગ કર્યું. હોમગાર્ડ જવાન ઘાયલ થયા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સત્તાવાર પિસ્તોલથી 3 એરિયલ ફાયરિંગ કરવામાં આવ્યા હતા.

બદમાશોએ પાર્ક કરેલા વાહનોમાં પેટ્રોલની બોટલોમાંથી પેટ્રોલ છાંટીને વાહનોને આગ ચાંપી દીધી હતી. આ હુમલો આયોજનબધ્ધ રીતે ગેરકાયદેસર હથિયારો, પથ્થરો વડે કરવામાં આવ્યો હતો. એટલે કે, એ સ્પષ્ટ છે કે નૂહમાં હિંસા અચાનક ફાટી નીકળી ન હતી, પરંતુ તે સંપૂર્ણ તૈયારી સાથે કરવામાં આવ્યુ હતું.

નલહાર મંદિર પર કોણે હુમલો કર્યો?

નલહાર મંદિર પર હુમલો કરવા આવેલા લોકો કોણ હતા, તેમના નામ શું હતા અને તેઓ શું કહેતા હતા. આ માહિતી FIR નંબર 252 અને FIR નંબર 399માં પણ સામે આવી છે. આ એફઆઈઆર મુકુલ કથુરિયાએ નોંધાવી છે, જે હિંસાના દિવસે ડ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત હતા. એફઆઈઆર મુજબ, આમાંના કેટલાક લોકો એકબીજાને આદિલ, તાલીમ, અરસદ, અઝરુદ્દીન, કાસિર, સકીલ, જુનૈદ, સલામુદ્દીન, ઈકબાલ, આઝાદ, ઈલ્યાસ, અકબર રાહુલ જેવા નામોથી સંબોધતા હતા.

એફઆઈઆરમાં આવા લગભગ 28 નામોનો ઉલ્લેખ છે. આ લોકો પર ષડયંત્ર હેઠળ મંદિર પર હુમલો કરવાનો આરોપ છે. આ લોકોએ યોજનાબદ્ધ રીતે બહારથી આવેલા ભક્તો અને મારી સાથે અન્ય કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે એફઆઈઆર નંબર 252 પર એક નજર કરીએ, જે ઈન્સ્પેક્ટર પંકજ કુમાર દ્વારા દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆરમાં અદબર ચોક નૂહ ઘટનાની દરેક વિગતો છે.

અસામાજિક લોકોએ ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા

તેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 600 થી 700 અસામાજિક લોકોએ ધાર્મિક નારા લગાવ્યા હતા. અસામાજિક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળાએ ગેરકાયદેસર હથિયારો સાથે પોલીસ દળ પર ગોળીબાર કર્યો હતો. ઈન્સ્પેક્ટર અનિલ કુમારના પેટમાં ગોળી વાગી હતી. ફાયરિંગ અને પથ્થરમારામાં ASI જગબીર પણ ઘાયલ થયા હતા. અમારી તરફથી પિસ્તોલ, AK-47 વડે એરિયલ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસને મારવાના ઈરાદે પથ્થરમારો અને ગોળીબાર સુચિત કાવતરા હેઠળ કરવામાં આવ્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">