AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના વાયરસ બાદ નોરો વાયરસનો ખતરો ! જાણો આ નવા વાયરસના લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો

નોરો વાયરસના સામાન્ય લક્ષણોમાં ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અથવા ઉબકા વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક દર્દીઓમાં તાવ, માથાનો દુખાવો અને શરીરના દુખાવાના લક્ષણો પણ જોવા મળે છે.

કોરોના વાયરસ બાદ નોરો વાયરસનો ખતરો ! જાણો આ નવા વાયરસના લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 5:22 PM
Share

Noro Virus : કોરોના બાદ કેરળના વાયનાડમાં નોરો વાયરસની પુષ્ટિ થતા લોકોની ચિંતા વધી છે. અત્યાર સુધીમાં વાયનાડ શહેરમાં નોરો વાયરસના 13 કેસની પુષ્ટિ થઈ છે. આ વાતની પુષ્ટિ કરતા કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે (Vina George) લોકોને આ વાયરસથી બચવા માટે સાવચેતી રાખવાની અપીલ કરી છે.

નોરો વાયરસ શું છે ? તેના લક્ષણો ક્યા છે ? આ વાયરસ શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને કેવી રીતે આ વાયરસથી બચી શકાય ? આ તમામ સવાલ હાલ લોકોને મુંઝવી રહ્યા છે, ત્યારે આજે અમે તમને જણાવીશુ આ નવા વાયરસ વિશે.

નોરો વાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે ?

યુએસ હેલ્થ એજન્સી સીડીસીના જણાવ્યા અનુસાર, આ એક ખતરનાક વાયરસ (Virus) છે. નોરો વાયરસના ઘણા પ્રકારો છે, તેથી વ્યક્તિ તેના સમગ્ર જીવનમાં ઘણી વખત આ વાયરસથી સંક્રમિત થઈ શકે છે. એકવાર સંક્રમિત થવાનો અર્થ એ નથી કે તમે બીજા પ્રકારના નોરો વાયરસથી સંક્રમિત થશે નહીં. સંક્રમણ બાદ આ વાયરસ સામે શરીરમાં બનેલી રોગપ્રતિકારક શક્તિ (Immunity) કેટલા સમય સુધી રહે છે તેની ચોક્કસ માહિતી હજુ સુધી મળી નથી.

કયા ઉંમરના લોકોને નોરો વાયરસનું સૌથી વધુ જોખમ ?

CDC ના જણાવ્યા અનુસાર, નોરો વાયરસ તમામ ઉંમરના લોકોને ચેપ (Noro Virus Infection) લગાવી શકે છે. તેથી તેના કોઈપણ લક્ષણોને અવગણશો નહીં. નોરો વાયરસથી સંક્રમિત દર્દીમાં તેના લાખો રજકણો હાજર હોય છે, પરંતુ વાયરસના અમુક કણો જ વ્યક્તિના બીમાર થવાનું કારણ બને છે.

નોરો વાયરસના લક્ષણો

નોરો વાયરસ ચેપ જઠરાંત્રિય રોગનું કારણ બને છે. જો સરળ ભાષામાં સમજીએ તો ઈન્ફેક્શન બાદ પેટના રોગને (Stomach) લગતા લક્ષણો જોવા મળે છે. સૌથી સામાન્ય લક્ષણોમાં ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અથવા ઉબકા તેમજ અમુક દર્દીઓમાં તાવ, માથાનો દુખાવો અને શરીરના દુખાવાના લક્ષણો પણ જોવા મળે છે.

આ વાયરસથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?

આ વાયરસને રોકવા માટે કેરળના આરોગ્ય મંત્રાલયે (Health Department) એક માર્ગદર્શિકા બહાર પાડી છે. ગાઈડલાઈન મુજબ સંક્રમિત લોકોને ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમજ ઉકાળેલું પાણી પીવુ, જમતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથને સાબુથી સારી રીતે ધોઈ લો. આ સિવાય પ્રાણીઓના સંપર્કથી દુર રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, કોરોના કરતા વધુ મૃત્યુ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાથી થયા, 60 લોકોએ જીવ ગુમાવ્યા

આ પણ વાંચો: ગુજરાત સરકારનું આરોગ્ય ક્ષેત્રે વધુ એક પગલું, રાજ્યમાં આજથી નિરામય ગુજરાત આરોગ્ય યોજનાની શરૂઆત થઇ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">