AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કાચા તેલની અછત નહીં સર્જાય! દેશની તેલ રિઝર્વ ક્ષમતા વધારવા માટે સરકારે લીધો ‘મોટો નિર્ણય’

ઈરાન યુદ્ધ દરમિયાન કાચા તેલના સપ્લાય પર આવેલા સંકટને જોતા ભારતે પોતાની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારી તેલ કંપનીએ કર્ણાટકના મંગલુરુમાં એક નવું સ્ટ્રેટેજિક ક્રૂડ ઓઈલ રિઝર્વ બનાવવાની મંજૂરી આપી દીધી છે, જેની ક્ષમતા 17.5 લાખ ટન હશે.

Breaking News: કાચા તેલની અછત નહીં સર્જાય! દેશની તેલ રિઝર્વ ક્ષમતા વધારવા માટે સરકારે લીધો 'મોટો નિર્ણય'
| Updated on: Jul 10, 2026 | 9:45 PM
Share

ઈરાન યુદ્ધ દરમિયાન કાચા તેલના સપ્લાય પર આવેલા સંકટ બાદ ભારતે એનર્જી સિક્યોરિટી મજબૂત કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. સરકારી કંપની ONGC એ કર્ણાટકના મંગલુરુમાં સ્ટ્રેટેજિક ક્રૂડ ઓઈલ રિઝર્વ વધારવાની મંજૂરી આપી દીધી છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત 17.5 લાખ ટનની નવી રિઝર્વ ક્ષમતા વિકસાવવામાં આવશે. સરકારનું માનવું છે કે, આનાથી ભવિષ્યમાં કોઈ પણ વૈશ્વિક સંકટ દરમિયાન દેશમાં કાચા તેલની ઉપલબ્ધતા જળવાઈ રહેશે.

મંગલુરુમાં બનશે નવું ‘સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વ’

રિપોર્ટ અનુસાર, કર્ણાટકના મંગલુરુમાં 17.5 લાખ ટનની ક્ષમતાવાળા નવા સ્ટ્રેટેજિક ક્રૂડ ઓઈલ રિઝર્વને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અંડરગ્રાઉન્ડ રિઝર્વ સુવિધા વિકસાવવામાં આવશે. જો કે, કંપનીએ હજુ આના ખર્ચ અને પ્રોજેક્ટ પૂરો થવાની સમય મર્યાદા વિશે માહિતી આપી નથી. આ ભંડાર દેશની એનર્જી સિક્યોરિટીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ઈરાન યુદ્ધ બાદ લેવાયો ‘નિર્ણય’

તાજેતરમાં ઈરાન યુદ્ધ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) લગભગ બંધ થવાની સ્થિતિમાં પહોંચી ગયું હતું. આનાથી ભારત સહિત ઘણા દેશો માટે કાચા તેલનો સપ્લાય પ્રભાવિત થયો હતો.

ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયામાંથી આયાત કરે છે. આ અનુભવ બાદ સરકાર અને ONGC એ વ્યૂહાત્મક (સ્ટ્રેટેજિક) તેલ રિઝર્વ ક્ષમતા વધારવાનો નિર્ણય લીધો છે, જેથી ભવિષ્યમાં આવા સંકટની અસર ઓછી કરી શકાય.

દેશની ઓઈલ રિઝર્વ ક્ષમતા થશે ‘મજબૂત’

હાલમાં Indian Strategic Petroleum Reserves Limited પાસે દેશના ત્રણ સ્થળો પર કુલ 53.3 લાખ ટનની સ્ટ્રેટેજિક રિઝર્વ ક્ષમતા છે. આ સિવાય 65 લાખ ટનની ક્ષમતાવાળા બે નવા રિઝર્વ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ONGC નો નવો પ્રોજેક્ટ પૂરો થયા બાદ દેશની કુલ સ્ટ્રેટેજિક રિઝર્વ ક્ષમતામાં વધુ વધારો થશે.

EPFO Breaking News : તમારા પગારમાંથી PF કપાતો હશે તો તમને હવે મળશે 7 લાખનો વીમો, રૂ. 1 લાખનો વધારાનો લાભ પણ ખરો

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">