AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી પહેલા એક્શનમાં મોદી સરકાર, ત્રણ મહિનામાં દેશના રસ્તાઓ પરથી ખાડાઓ થઈ જશે ગાયબ

નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે સરકાર આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખાડામુક્ત બનાવવાની નીતિ પર કામ કરી રહી છે. સરકાર બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT)પોલિસી હેઠળ રોડ બાંધકામને પ્રાથમિકતા આપી રહી છે.

ચૂંટણી પહેલા એક્શનમાં મોદી સરકાર, ત્રણ મહિનામાં દેશના રસ્તાઓ પરથી ખાડાઓ થઈ જશે ગાયબ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 10:52 PM
Share

મોદી સરકારના કાર્યકાળમાં રસ્તાઓનું ઘણું કામ થયું છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં હાઈવે અને એક્સપ્રેસ વેનું નેટવર્ક બિછાવવાનું કામ કર્યું છે. હવે, ઘણા રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર સુધીમાં દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ખાડામુક્ત થઈ જશે.

આ પણ વાંચો: Ahmedabad: ગણેશ પર્વના છેલ્લા દિવસે ભક્તોએ બપ્પાને આપી ભાવભરી વિદાય, ભક્તિભાવ પૂર્ણ રીતે બપ્પાનું વિસર્જન- જુઓ Photos

નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે સરકાર આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખાડામુક્ત બનાવવાની નીતિ પર કામ કરી રહી છે. સરકાર બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT)પોલિસી હેઠળ રોડ બાંધકામને પ્રાથમિકતા આપી રહી છે.

ડિસેમ્બર સુધીનો નિયત લક્ષ્યાંક

સરકારે આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખાડામુક્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ સાથે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય કામગીરી આધારિત જાળવણી અને ટૂંકા ગાળાના જાળવણી માટેના કરારને પણ મજબૂત બનાવી રહ્યું છે. સામાન્ય રીતે, દેશમાં રસ્તાઓનું નિર્માણ BOT સિવાય એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) અને હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (HAM)ના આધારે કરવામાં આવે છે.

નીતિન ગડકરીએ અહીં એક કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે EPC દ્વારા બનેલા રસ્તાઓની જાળવણીની જરૂરિયાત ઘણી વહેલી શરૂ થાય છે. જ્યારે બીઓટી દ્વારા રસ્તાઓ વધુ સારા બને છે કારણ કે કોન્ટ્રાક્ટર પણ જાણે છે કે તેણે આગામી 15-20 વર્ષ સુધી મેઈન્ટેનન્સનો ખર્ચ ઉઠાવવો પડશે. તેથી અમારી સરકારે બીઓટી દ્વારા મોટા પાયા પર રસ્તા બનાવવાનો નિર્ણય કર્યો છે.

રસ્તાઓ પરથી ખાડાઓ દૂર થશે

આ અવસરે નીતિન ગડકરીએ કહ્યું કે વરસાદના કારણે હાઈવેને નુકસાન થવાની અને ખાડાઓ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મંત્રાલય રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું સેફ્ટી ઓડિટ કરી રહ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો ખાડાઓથી મુક્ત રહે તે માટે નીતિ બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે યુવા એન્જિનિયરોને બોર્ડમાં લેવામાં આવી રહ્યા છે.

મંત્રાલયે અત્યાર સુધીમાં સમગ્ર 1,46,000 કિમી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કને મેપ કર્યું છે. હવે સરકાર આ વર્ષના ડિસેમ્બર સુધીમાં આ રસ્તાઓ પરથી ખાડાઓ દૂર કરવાનું કામ કરવા જઈ રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">