Night Curfew: કોરોના કેસમાં ઘટાડો નોંધાતા નાઈટ કરફ્યુને લઈ યોગી સરકારે લીધો મોટો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના 11 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,710,047 થઈ છે. 16 દર્દીને છેલ્લા 24 કલાકમાં હોસ્ટિપટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

Night Curfew: કોરોના કેસમાં ઘટાડો નોંધાતા નાઈટ કરફ્યુને લઈ યોગી સરકારે લીધો મોટો નિર્ણય
Big Decision Regarding the Night Curfew in Uttar Pradesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 8:05 PM

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર તમામ જિલ્લામાં કોરોના વાયરસ (Corona Virus)ના સંક્રમણને રોકવા માટે લગાવેલા નાઈટ કરફ્યુ (Night Curfew) ને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશમાં રાત્રે 11 વાગ્યાથી સવાર 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ લાગૂ હતો. અધિક મુખ્ય સચિવ, ગૃહ અવનીશ કુમાર અવસ્થી દ્વારા તમામ ડિવિઝનલ કમિશ્નર, ADGP, IG અને DIG રેન્જ, તમામ પોલીસ કમિશ્નર અને તમામ જિલ્લા કલેક્ટરને આજ રાત્રિથી કોરોના નાઈટ કરફ્યુ સમાપ્ત કરવાનું કહેવામાં આવ્યું છે.

કોરોના કેસમાં ઘટાડાને કારણે કરાયો નિર્ણય

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે. જેને ધ્યાને લઈ આ નિર્ણય કરાયો છે. ત્યારે અવનીશ કુમાર અવસ્થી સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે, તેઓ કોરોના સંક્રમણને અટકાવા અને તેના ઈલાજની વ્યવસ્થાઓને સતત મજબૂત કરે અને તમામ તહેવારોને કોવિડના નિયમો અંતર્ગત શાંતિપૂર્ણ રીતે આયોજીત કરે.

ઉત્તર પ્રદેશમાં કોરોના કેસ

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના 11 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,710,047 થઈ છે. 16 દર્દીને છેલ્લા 24 કલાકમાં હોસ્ટિપટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી 1,687,031 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં કોઈ પણ દર્દીનું મૃત્યુ થયું નથી. પરંતુ અત્યાર સુધીમાં 22,898 દર્દીઓના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં અત્યારે 118 એક્ટિવ કેસ છે. મંગળવારે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ જલ્દી જ 12 કરોડ વેક્સિન ડોઝનો આંકડો પૂરો કરી લેશે.

આ જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નહીં

અમરોહા, અયોધ્યા, બદાયું, બાગપત, બલિયા, બારાબંકી, બસ્તી, બહરાઈચ, બિજનૌર, ચિત્રકૂટ, દેવરિયા, એટા, ઈટાવા, ફર્રુખાબાદ, ફતેહપુર, ગોંડા, હમીરપુર, હાપુડ, હરદોઈ, હાથરસ, જૌનપુર, ઝાંસી, કાનપુર, દેહાત, કાનપુર નગર, કાસગંજ, કૌશામ્બી, કુશીનગર, લખીમપુર-ખીરી, લલિતપુર, મહોબા, મિર્જાપુર, મૈનપુરી, મઉ, પ્રતાપગઢ, રામપુર, સંત કબીર નગર, શામલી, શ્રાવસ્તી, સીતાપુર, ઉન્નાવ અને સોનભદ્રમાં કોરોનાના એક પણ દર્દી નથી.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">