Night Curfew in Rajsthan :રાજસ્થાનના તમામ શહેરોમાં 16 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ, CM અશોક ગેહલોતે કરી જાહેરાત

Night Curfew in Rajsthan :16 એપ્રિલથી તમામ શહેરોમાં સાંજે 6 થી 6 સવારે દરમિયાન Night Curfew લાગુ

Night Curfew in Rajsthan :રાજસ્થાનના તમામ શહેરોમાં 16 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ, CM અશોક ગેહલોતે કરી જાહેરાત
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 9:28 PM

Night Curfew in Rajsthan : રાજસ્થાનમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે રાજસ્થાન સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજસ્થાનમાં કોરોનાના વધતા જતા કેસોથી ચિંતિત મુખ્યપ્રધાન અશોક ગેહલોતે અધિકારીઓને નવી ગાઇડલાઈન બનાવવાની સૂચના આપી હતી અને હવે રાજ્યના તમામ શહેરોમાં Night Curfewની જાહેરાત કરી છે.

16 થી 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે રાજ્યના તમામ શહેરોમાં નાઇટ કર્ફ્યુ (Night Curfew in Rajsthan) લાદવાનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ નાઇટ કર્ફ્યુ 16 થી 30 એપ્રિલ સુધી સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી તમામ શહેરોમાં લાગુ રહેશે. રાજસ્થાનમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થતાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થતા દર્દીઓની સંખ્યા પણ દરરોજ વધી રહી છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે પરિસ્થિતિ હજી નિયંત્રણ હેઠળ છે પરંતુ જે ગતિએ રોજ નવા કેસ આવી રહ્યા છે તે જોતા પરિસ્થિતિન વધુ વણસી શકે છે.

CM ગેહલોતે અધિકારીઓ સાથે કરી બેઠક રાજસ્થાનમાં નાઈટ કર્ફ્યુ (Night Curfew in Rajsthan) ની જાહેરાત પહેલા CM અશોક ગેહલોતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.CM ગેહલોતે રાજ્યના લોકોને લોકડાઉન જેવું વર્તન કરવા અપીલ કરી હતી. આ કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે, પરંતુ આપણા જીવની રક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપવી જોઈએ. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગૃહસચિવ અભય કુમારને જરૂરી ગાઈડલાઈન તૈયાર કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે કોરોનાનું સંક્રમણ અટકાવવા કડક પગલા ભરવા જરૂરી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાજસ્થાનમાં ધો.10 અને 12ની પરીક્ષાઓ સ્થગિત કોરોનના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાજસ્થાન બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા મુલતવી રાખી છે. આ સાથે 8 થી 11 ના વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપી આગળના ધોરણમાં મોકલવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે શિક્ષણ પ્રધાન ગોવિંદ દત્તોસરા સાથે આ મુદ્દે ચર્ચા કર્યા પછી જ આ આદેશ આપ્યો છે.

રાજસ્થાનમાં 62૦૦ નવા કેસ, 28 મૃત્યુ રાજસ્થાનમાં 14 એપ્રિલને બુધવારે કોરોના વાયરસના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. રાજધાની જયપુરમાં 1325 જયારે સમગ્ર રાજ્યમાં 6200 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં જયપુર પછી,ઉદયપુરમાં 918, જોધપુરમાં 820 અને કોટામાં 646 કેસ નોંધાયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">