New Omicron Varient: 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ નહીં થાય, ભારત સરકારે નિર્ણય મોકૂફ રાખ્યો

|

Dec 01, 2021 | 4:51 PM

ગયા મહિનાના અંતમાં એક બેઠકમાં કેન્દ્ર સરકારે 15 ડિસેમ્બરથી કોમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જો કે નવા કોવિડ વેરિઅન્ટ ઓમિક્રોનના ઉદભવને ધ્યાનમાં રાખીને આ અંગેનો નિર્ણય હાલ ટાળવામાં આવ્યો છે.

New Omicron Varient: 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ નહીં થાય, ભારત સરકારે નિર્ણય મોકૂફ રાખ્યો
Symbolic Photo

Follow us on

વિશ્વભરમાં નવા કોરોનાના વેરિયન્ટ (new Corona Variants)ને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વેરિઅન્ટ્સના જોખમને ધ્યાનમાં રાખીને ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ (International flights) ફરીથી શરૂ કરવાની યોજના હાલ પુરતી મોકૂફ રાખી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ બુધવારે ભારતમાંથી સુનિશ્ચિત કોમર્શિયલ ઈન્ટરનેશનલ પેસેન્જર એરલાઈન (Commercial International Passenger Airline) સેવાઓ ફરી શરૂ કરવામાં વિલંબની જાહેરાત કરી.

 

કોમર્શિયલ ફ્લાઈટ શરુ કરવા પર પછી નિર્ણય

ડીજીસીએએ કહ્યું કે તેણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે તે તેના નિર્ણયને યોગ્ય સમયે જણાવશે. ગયા મહિનાના અંતમાં એક બેઠકમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે 15 ડિસેમ્બરથી કોમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ફરી શરૂ થશે. 20 મહિનાથી વધુના લાંબા અંતરાલ પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

 

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

સરકારની ફરીથી વિચારણા

અગાઉ ગયા રવિવારે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ 15 ડિસેમ્બરથી કોમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યારે ઓમિક્રોનના ઉદભવના અહેવાલોને પગલે સરકારે હવે ફરીથી વ્યૂહરચનાની સમીક્ષા કરી હતી.

 

પરિસ્થિતિ પર નજર: DGCA

ડીજીસીએના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે વેરિએન્ટ ઓફ કન્સર્નના ઉદભવ અને વિકાસને ધ્યાનમાં રાખીને તમામ હિતધારકો સાથે ચર્ચા કરીને વ્યાપારી આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓ ફરી શરૂ કરવા માટે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સરકાર વર્તમાન મહામારીની પરિસ્થિતિ વચ્ચે સલામત સ્થિતિ જોશે તે સમયે વ્યાપારી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવા અંગેનો નિર્ણય લેશે.

 

મહત્વનું છે તે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે કોરોનાને કારણે ગયા વર્ષે 23 માર્ચથી ભારતમાં અને ત્યાંથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર સેવાઓનું સંચાલન સ્થગિત કરી દીધું હતું. જે બાદ સરકારે ફરીથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ સેવા શરુ કરવાની વાત કરી હતી. જો કે હવે ફરીથી સરકાર આ અંગે સમય અને સંજોગો પ્રમાણે નિર્ણય લેશે.

 

આ પણ વાંચોઃ Gram Panchayat Election : ચીખલી ગ્રામ પંચાયત માટે રાજકીય પક્ષોની ખેંચતાણ, ભાજપની સમરસ માટે કવાયત, તો કોંગ્રેસની ચૂંટણીલક્ષી કવાયત

 

આ પણ વાંચોઃ ગ્રાન્ડ એન્ટ્રીના ચક્કરમાં થઈ ગ્રાઉન્ડ એન્ટ્રી ! JCBની ટ્રોલીએ દગો આપતા દુલ્હા-દુલ્હનના હાલ થયા બેહાલ,જુઓ VIDEO

 

આ પણ વાંચોઃ Afghanistan: તાલિબાનની ક્રુરતા યથાવત, 100થી વધુ ભૂતપૂર્વ સૈન્ય અધિકારી ગાયબ થઈ ગયા અથવા હત્યા થઇ ગઈ હોવાની આશંકા

 

Next Article