Mann Ki Baatમાં PM મોદીએ હિમાચલની અનોખી સાઇકલ રેલીનો ઉલ્લેખ કર્યો, જાણો કેમ છે ખાસ
Mann Ki Baat: આ રેલીમાં બાળકોથી લઈને વૃદ્ધો પણ જોડાયા છે. આ રેલીમાં 64 વર્ષીય રાઇડર મહેશ્વર દત્ત અને કેટલાક અન્ય વડીલો સહિત 10 થી 13 વર્ષના ઘણા રાઇડર્સ પણ ભાગ લઇ રહ્યા છે.
PM Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 90મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યા. તેમણે ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન લાદવામાં આવેલી ઈમરજન્સી માટે કોંગ્રેસની ઘણી ટીકા કરી હતી. આ સિવાય તેમણે ઘણા સકારાત્મક મુદ્દાઓ પર વાત કરી. તેમણે સ્પેસ પ્રોગ્રામમાં દેશની વધતી જતી સિદ્ધિઓ માટે ઘણા સ્ટાર્ટઅપ્સની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ ક્રિકેટર મિતાલી રાજ, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનું નામ લેતા ખેલાડીઓ વિશે પણ વાત કરી. આ ક્રમમાં, વડાપ્રધાને હિમાચલ પ્રદેશની અનોખી સાયકલ રેલીની ચર્ચા કરી.
પહાડોમાં સ્વચ્છતાનો સંદેશો લઈને નીકળેલી આ અનોખી રેલી અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે,
“આ સમયે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, ત્યારે હિમાચલ પ્રદેશમાં એક અનોખી સાયકલ રેલી ચાલી રહી છે. હું તમને આ વિશે પણ જણાવવા માંગુ છું કે સ્વચ્છતાના સંદેશ સાથે શિમલાથી મંડી સુધી સાઇકલ સવારોનું એક જૂથ નીકળ્યું છે. પહાડી રસ્તાઓ પર લગભગ 175 કિલોમીટરનું આ અંતર આ લોકો સાઇકલ ચલાવીને જ પૂરું કરશે. આ જૂથમાં બાળકોની સાથે સાથે વૃદ્ધો પણ છે.”
પીએમ મોદીએ સ્વચ્છતાની જાગૃતિ સંદર્ભે આ સાયકલ રેલીની ખૂબ પ્રશંસા કરી. ચાલો જાણીએ, પર્વતો પર કાઢવામાં આવેલી આ સાયકલ રેલીમાં શું ખાસ છે અને તે કઈ રીતે અનોખી છે…
માઉન્ટેન બાઈકિંગ સાયકલ રેલી શા માટે ખાસ છે?
હિમાચલ પ્રદેશના શિમલાથી શરૂ થયેલી માઉન્ટેન બાઇકિંગ સાઇકલ રેલી ઘણી રીતે ખાસ છે. આ રેલી શિમલાથી જંજેહલી સુધીની 180 કિમીની છે, જેમાં 60 સાઇકલ સવારો સામેલ છે. રાજ્યના મુખ્ય સચિવ રામસુભાગ સિંહે ગુરુવારે તેને લીલી ઝંડી આપી હતી. 23 થી 26 જૂન એટલે કે આજે સાંજે 60 બાઇકર્સ આ રેલીમાં 180 કિમીની સફર પૂર્ણ કરશે.
1) આ રેલીનું આયોજન હિમાલયન એડવેન્ચર સ્પોર્ટ્સ એન્ડ ટુરિઝમ પ્રમોશન એસોસિએશન અને હિમાચલ ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સહયોગથી કરવામાં આવ્યું છે. માઉન્ટેન બાઈકિંગ રેલી 23 જૂને શિમલાથી શરૂ થઈ છે, જ્યારે તે આજે 26 જૂને જંજેહલી ખાતે સમાપ્ત થશે.
2) આ રેલીમાં રાજ્યના છ જિલ્લા શિમલા, સોલન, બિલાસપુર, કાંગડા, મનાલી અને કુલ્લુ ઉપરાંત ઉત્તરાખંડ, હરિયાણા, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરના બાઇકર્સે પણ ભાગ લીધો છે.
3) મધ્યપ્રદેશના રાજ્ય અને રાષ્ટ્રીય ચેમ્પિયન પૃથ્વી રાજ સિંહ રાઠોડ, રામ કૃષ્ણ પટેલ, પ્રચંડ પર્વતો અને ખીણોમાંથી સાયકલ ચલાવવા માટે ઉત્સાહી હતા.
4) આ રેલીમાં બાળકોથી લઈને વૃદ્ધો પણ જોડાયા છે. શિમલા ફાગુના કૌસ્તવ અને તેની બહેન સંભવી સહિત 10 થી 13 વર્ષની વય જૂથમાં ઘણા રાઇડર્સ પણ છે. તે જ સમયે, 64 વર્ષીય રાઇડર મહેશ્વર દત્ત સહિત કેટલાક અન્ય વડીલોએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો.
5) બાઈકર્સ પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતાના સંદેશ સાથે સાઈકલ રેલીમાં નિકળ્યા હતા. તેનો હેતુ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો છે.
વાતાવરણ સ્વચ્છ હશે તો સ્વાસ્થ્ય પણ સારું રહેશે
સાયકલ રેલીનો પ્રથમ તબક્કો મશોબરાથી સિન્ડી સુધીનો હતો અને 24 જૂને સિન્ડી ખાતે નાઇટ હોલ્ટ હતો. બીજા તબક્કામાં, ચિંદીથી જંજેહલી સુધીની યાત્રા 25મી જૂને થઈ હતી અને જંજેહલી ખાતે નાઈટ હોલ્ટ કરવામાં આવ્યો હતો. બાઇકિંગનો ત્રીજો તબક્કો 26 જૂને એટલે કે આજે જંજેહલીમાં પૂર્ણ થઈ રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આ રેલીની પ્રશંસા કરી હતી. આ માઉન્ટેન બાઈકિંગ સાયકલ રેલીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે જો આપણું વાતાવરણ સ્વચ્છ રહે, આપણા પર્વતો અને નદીઓ, સમુદ્રો સ્વચ્છ રહે તો આરોગ્ય પણ સારું રહે છે. તેમણે લોકોને આવા પ્રયાસો વિશે લખતા રહેવા અપીલ કરી હતી.