Covid-19 Vaccination: દેશમાં 50 ટકાથી વધુ લોકો રસીકરણથી સુરક્ષિત, અત્યાર સુધીમાં 47.71 કરોડ લોકોએ કોવિડ-19 રસીના બંને ડોઝ મેળવ્યા

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ-19 રસીના 127 કરોડથી વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. તેમાંથી, ઓછામાં ઓછો એક ડોઝ 79.90 કરોડ લોકોને આપવામાં આવ્યો છે અને બંને ડોઝ 47.71 કરોડ લોકોને આપવામાં આવ્યા

Covid-19 Vaccination: દેશમાં 50 ટકાથી વધુ લોકો રસીકરણથી સુરક્ષિત, અત્યાર સુધીમાં 47.71 કરોડ લોકોએ કોવિડ-19 રસીના બંને ડોઝ મેળવ્યા
Union Health Minister Mansukh Mandaviya (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 8:39 AM

Covid-19 Vaccination: ભારતમાં, કોરોના વાયરસ (Covid-19 Vaccination) સામે ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ 50 ટકાથી વધુ લોકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. એટલે કે, તેઓએ કોવિડ-19 રસીના બંને ડોઝ લીધા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Union Health Minister Mansukh Mandvia) એ રવિવારે કહ્યું કે આ ગૌરવની ક્ષણ છે કે 50 ટકાથી વધુ પાત્ર વસ્તી હવે સંપૂર્ણ રસીકરણ પામી ચૂકી છે. તેમણે કહ્યું કે અમે કોવિડ-19 સામેની લડાઈ એકજૂથ થઈને જીતીશું. 

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ-19 રસીના 127 કરોડથી વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. તેમાંથી, ઓછામાં ઓછો એક ડોઝ 79.90 કરોડ લોકોને આપવામાં આવ્યો છે અને બંને ડોઝ 47.71 કરોડ લોકોને આપવામાં આવ્યા છે. શનિવારે, દેશભરમાં 1.04 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે તેમાં બીજો ડોઝ મેળવનારા લોકોની સંખ્યા 75.12 લાખ છે. આ પહેલા પણ એક દિવસમાં રસીકરણની સંખ્યા ઘણી વખત 1 કરોડને વટાવી ચૂકી છે. 

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અગાઉ ટ્વીટ કર્યું હતું કે, ભારતમાં આજે (શનિવારે) કોવિડ-19ની એક કરોડ રસી આપવામાં આવી હતી. હર ઘર દસ્તક અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને નવી સિદ્ધિઓ મેળવી રહ્યું છે. 

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સરકારી ડેટા મુજબ નવેમ્બરમાં સરેરાશ 59.32 લાખ ડોઝ પ્રતિદિન આપવામાં આવી રહ્યા હતા, જ્યારે મે મહિનામાં સરેરાશ 19.69 લાખ ડોઝ પ્રતિદિન આપવામાં આવી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ભારતની વસ્તીના લગભગ 84.8 ટકા પુખ્તોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 50 ટકા પુખ્તોને બીજો ડોઝ પણ મળ્યો છે. 

રાજ્યો પાસે 21.13 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ

છે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 138 કરોડથી વધુ ડોઝ પૂરા પાડ્યા છે. આમાં 21.13 કરોડથી વધુ વધારાના અને બિનઉપયોગી ડોઝનો સમાવેશ થાય છે, જેનું સંચાલન થવાનું છે. 

દેશમાં 16 જાન્યુઆરીના રોજ કોવિડ-19 રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ પ્રાથમિકતા આરોગ્યસંભાળ કાર્યકરોને આપવામાં આવી હતી. આ પછી, 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કરોનું રસીકરણ શરૂ થયું. રસીકરણનો આગળનો તબક્કો 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ વયના બીમાર લોકો માટે 1 માર્ચથી શરૂ કરવામાં આવ્યો હતો. આ પછી, 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું અને એક મહિના પછી, 1 મેથી, 18 વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">