AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Vs Mamata: CM મમતા બેનર્જી ફરી PM મોદી પર ગુસ્સે થયા, વર્ચ્યુઅલ મીટિંગમાં બોલવાની તક ન મળી

Mamata Banerjee Angry With PM Modi: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય અને વહીવટી મુદ્દાઓ પર સતત વિવાદ ચાલી રહ્યો છે. સીએમ મમતા બેનર્જીને પીએમ નરેન્દ્ર મોદીની નીતિઓના કટ્ટર ટીકાકાર માનવામાં આવે છે.

Modi Vs Mamata:  CM મમતા બેનર્જી ફરી PM મોદી પર ગુસ્સે થયા, વર્ચ્યુઅલ મીટિંગમાં બોલવાની તક ન મળી
PM Narendra Modi and West Bengal CM Mamata Banerjee (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 10:54 AM
Share

Modi Vs Mamata: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) અને પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વચ્ચેની રાજકીય ખેંચતાણ અટકવાનું નામ નથી લેતી. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની virtual meeting દરમિયાન મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ બે કલાકથી વધુ રાહ જોવી પડી હતી, પરંતુ તેમને બોલવાની તક મળી ન હતી. જેના કારણે સીએમ મમતા બેનર્જી ફરી એકવાર કેન્દ્ર સરકારથી નારાજ થયા છે.

તમને જણાવી દઈએ કે, મમતા બેનર્જી પીએમ નરેન્દ્ર મોદીની કટ્ટર ટીકાકાર માનવામાં આવે છે અને કેન્દ્ર સરકારની નીતિઓ પર સતત પ્રહારો કરતી રહે છે, પરંતુ તાજેતરના દિલ્હી પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

રાજ્ય સચિવાલયના ટોચના સૂત્રએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે, બેનર્જીને ‘આઝાદી કે અમૃત મહોત્સવ’ સભામાં બોલવાની તક આપવામાં આવી ન હતી કારણ કે તેમનું નામ વક્તાઓની યાદીમાં નહોતું. સૂત્રએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે, જેનાથી રાજ્યના સમગ્ર વહીવટને પણ નુકસાન થયું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર હતા.

અમૃત મહોત્સવની સભામાં મમતા બેનર્જીએ બે કલાક સુધી રાહ જોઈ

ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતાના અમૃત પર્વને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મમતા બેનર્જી પણ વર્ચ્યુઅલ મીટિંગમાં સામેલ થયા હતા. પરંતુ લગભગ બે કલાકની રાહ જોયા બાદ પણ તેમને બોલવાનો મોકો મળ્યો ન હતો. આ અંગે રાજ્ય સચિવાલયનું કહેવું છે કે વક્તાઓની યાદીમાં મમતાનું નામ સામેલ નથી. આ મામલે મમતા બેનર્જી કેન્દ્ર સરકારથી નારાજ છે. મમતા બેનર્જીને બોલવા ન દેવાનું કારણ એ પણ વધુ છે કે, આ પહેલા પણ તેમને 10 રાજ્યોના સીએમ સાથે કોરોનાને લઈને યોજાયેલી બેઠકમાં બોલવાની તક મળી ન હતી. તેમણે બેઠક બાદ કહ્યું કે કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓને જ બોલવાની તક આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે માત્ર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને જ બોલવાની તક મળી છે.

ભાજપ સાથે કડવાશ

તમને જણાવી દઈએ કે, એક સમયે ભાજપ સાથે સરકારમાં સામેલ મમતા બેનર્જીના સંબંધો સમય જતાં ભાજપ સાથે કડવાશ આવી ગયા હતા. બંગાળની ચૂંટણીમાં આ વખતે ટીએમસી અને ભાજપ વચ્ચે રાજકીય દ્વંદ્વયુદ્ધ તેમજ હિંસક અથડામણ થઈ હતી. મમતા બેનર્જી પણ લોકસભા ચૂંટણી 2024માં ભાજપ વિરુદ્ધ વિપક્ષને એક કરીને અલગ મોરચો બનાવવામાં વ્યસ્ત છે. દરરોજ બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થાય છે.

આ પણ વાંચો : ચિલીને મળશે સૌથી યુવા રાષ્ટ્રપતિ, દુનિયાના આ 11 રાષ્ટ્ર જ્યાં માત્ર 30 પાર નેતાઓને જ મળી દેશની કમાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">