અનલોક 5ની ગાઈડલાઈન્સ કેન્દ્ર સરકારે કરી જાહેર, 15 ઓક્ટોબરથી ખુલશે સિનેમાહોલ-મલ્ટીપ્લેક્સ
કેન્દ્ર સરકારે અનલોક 5 માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેની હેઠળ 15 ઓક્ટોબરથી સિનેમા થિએટર, મલ્ટીપ્લેક્સને તેમની બેઠક ક્ષમતાના 50 ટકા સુધી ખોલવાની પરવાનગી હશે. તેના માટે આઈબી મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે. ત્યારે સ્વિમિંગ પૂલનો ઉપયોગ સ્પોર્ટસપર્સનની ટ્રેનિંગ માટે અને એન્ટરટેઈનમેન્ટ પાર્કને પણ 15 ઓક્ટોબરથી ફરીથી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. Home […]
કેન્દ્ર સરકારે અનલોક 5 માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેની હેઠળ 15 ઓક્ટોબરથી સિનેમા થિએટર, મલ્ટીપ્લેક્સને તેમની બેઠક ક્ષમતાના 50 ટકા સુધી ખોલવાની પરવાનગી હશે. તેના માટે આઈબી મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે. ત્યારે સ્વિમિંગ પૂલનો ઉપયોગ સ્પોર્ટસપર્સનની ટ્રેનિંગ માટે અને એન્ટરટેઈનમેન્ટ પાર્કને પણ 15 ઓક્ટોબરથી ફરીથી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.
Home Secretary Ajay Bhalla writes to Chief Secretaries of all States and UTs asking them to ensure compliance of the guidelines of re-opening and their strict implementation (ANI) #TV9Newspic.twitter.com/rSZuvhKkND
— tv9gujarati (@tv9gujarati) September 30, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
15 ઓક્ટોબર પછી સ્કુલો અને કોચિંગ સંસ્થાઓને ફરીથી ખોલવા માટે રાજ્ય સરકારને નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે. માતા-પિતાની સહમતિ જરૂરી છે. સામાજિક, શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય સંમેલન અને અન્ય મંડળીઓને કન્ટેન્મેન્ટ ઝોનની બહાર 100 વ્યક્તિઓથી વધારેની ક્ષમતા સાથે મંજૂરી હશે. 31 ઓક્ટોબર સુધી કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉન કડક રીતે લાગૂ રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો