AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MGNREGA: મનરેગા હેઠળ વચેટિયા અને લાભાર્થીઓ વચ્ચેની સાંઠગાંઠ અંગે સરકાર ગંભીર, યોજનાને વધુ કડક બનાવાશે

ભારત સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમના નિયમોને પહેલા કરતા વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. આ યોજના હેઠળના ગ્રામીણ રોજગાર કાર્યક્રમમાં છેલ્લા બે વર્ષમાં ઘણી બધી ગેરરીતિઓ થયાની માહિતી સામે આવી છે.

MGNREGA: મનરેગા હેઠળ વચેટિયા અને લાભાર્થીઓ વચ્ચેની સાંઠગાંઠ અંગે સરકાર ગંભીર, યોજનાને વધુ કડક બનાવાશે
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 4:34 PM
Share

ભારત સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA – Mahatma Gandhi National Rural Employment Guarantee Act) ના નિયમોને પહેલા કરતા વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. વાસ્તવમાં, આ યોજના હેઠળના ગ્રામીણ રોજગાર કાર્યક્રમમાં છેલ્લા બે વર્ષમાં ઘણી બધી ગેરરીતિઓ અથવા લીકેજ જોવામાં આવ્યા છે. એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે મનરેગા હેઠળ રૂ. 73,000 કરોડની ફાળવણી કરી છે, જે વર્તમાન નાણાકીય વર્ષના સુધારેલા અંદાજમાં આપવામાં આવેલા રૂ. 98,000 કરોડ કરતાં 25 ટકા ઓછી છે. આગામી નાણાકીય વર્ષ માટેની ફાળવણી વર્તમાન નાણાકીય વર્ષના બજેટ અંદાજ જેટલી છે.

વચેટિયાઓ લાભાર્થીઓના નામ નોંધાવવા પૈસા લઈ રહ્યા છે

અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સંશોધિત અંદાજ બજેટના અંદાજ કરતાં ઘણો વધારે છે અને તેમાં ભારે ‘ગેરમેચ’ હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર, વચેટિયાઓ યોજના હેઠળ લાભાર્થીઓના નામ નોંધવા માટે પૈસા લઈ રહ્યા છે.

અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી પૈસા સીધા વ્યક્તિને મેળવવામાં સફળતા મળી છે, પરંતુ હજુ પણ એવા મધ્યસ્થીઓ છે જે લોકોને કહી રહ્યા છે કે, હું તમારું નામ મનરેગાની સૂચિમાં મૂકીશ, પરંતુ તમને રોકડ ટ્રાન્સફર મળશે. અને રકમ મને પાછી આપવી પડશે. આ મોટા પાયે થઈ રહ્યું છે.” તેમણે કહ્યું કે, ગ્રામીણ વિકાસ મંત્રાલય આ અંગે કડક કાર્યવાહી કરશે.

લાભાર્થીઓ પૈસા આપીને વચેટિયાઓ સાથે મિલીભગત કરી રહ્યા છે

અધિકારીએ કહ્યું કે, લાભાર્થી અને વચેટિયાઓ વચ્ચે એવી સાંઠગાંઠ છે કે લાભાર્થી વચેટિયાને અમુક હિસ્સો આપતો હોવાથી તે કામ પર પણ જશે નહીં અને તેથી કોઈ કામ થઈ રહ્યું નથી.

અધિકારીએ કહ્યું કે, “સરકાર છેલ્લા બે વર્ષમાં મનરેગા ભંડોળની ફાળવણીમાં ખૂબ ઉદાર રહી છે. અમે 2014-15માં રૂ. 35,000 કરોડની સરખામણીએ 2020-21માં રૂ. 1.11 લાખ કરોડ બહાર પાડ્યા હતા.”

આ પણ વાંચો: IGNOU Admissions 2022: IGNOU જાન્યુઆરી સત્ર માટે પ્રવેશની તારીખ લંબાવાઈ, 21 ફેબ્રુઆરી સુધી થશે અરજી

આ પણ વાંચો: શું તમે બેરોજગાર છો? સરકારની આ યોજના તમને આર્થિક સહાય આપશે, જાણો યોજના અને અરજી કરવાની પ્રક્રિયા વિશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">