AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meghalaya: દેશમાં પ્રથમવાર ડ્રોનથી કરાઈ દવાઓની ડિલિવરી, 25 મિનિટમાં 25 કિમીની કાપ્યું અંતર

મેઘાલયમાં પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લા મુખ્યાલયથી 25 કિમી દૂર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રોન દ્વારા દવાઓ સફળતાપૂર્વક સપ્લાય કરવામાં આવી હતી. આવું કરનાર મેઘાલય દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

Meghalaya: દેશમાં પ્રથમવાર ડ્રોનથી કરાઈ દવાઓની ડિલિવરી, 25 મિનિટમાં 25 કિમીની કાપ્યું અંતર
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 11:45 AM
Share

મુખ્ય પ્રધાન કોનરાડ કે સંગમાએ જણાવ્યું હતું કે, શુક્રવારે મેઘાલયમાં પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લા મુખ્યાલયથી 25 કિમી દૂર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રોન દ્વારા દવાઓ સફળતાપૂર્વક સપ્લાય કરવામાં આવી હતી. આવું કરનાર મેઘાલય દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

કોનરાડે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, ‘આજે અમે મેઘાલયના માવેત ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નોંગસ્ટોઈનથી ઈ-વીટીઓએલ ડ્રોન દ્વારા દવાઓ સપ્લાય કરી છે. આ પ્રકારના પ્રથમ કાર્યક્રમમાં ડ્રોને 25 મિનિટથી પણ ઓછા સમયમાં 25 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ભારતમાં આ પ્રકારનો આ પહેલો કાર્યક્રમ છે. તેમણે કહ્યું, ‘ડ્રોન ટેક્નોલોજી હેલ્થકેરનું ભવિષ્ય બદલી શકે છે’. આ એક અનોખો પ્રોજેક્ટ છે જે મુશ્કેલ વિસ્તારોમાં દવાઓના સપ્લાયને સરળ બનાવશે.

ગયા મહિને જ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ડ્રોન દ્વારા પૂર્વોત્તરના અંતરિયાળ વિસ્તારોમાં કોવિડ-19 રસીની સપ્લાયને સરળ બનાવવા માટે એક પહેલ શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ICMR નો ડ્રોન રિસ્પોન્સ એન્ડ આઉટરીચ ઇન ધ નોર્થઇસ્ટ (i-Drone), જીવન રક્ષક કોવિડ રસી દરેક વ્યક્તિ સુધી પહોંચે તેની ખાતરી કરવા માટેનું સપ્લાય મોડલ છે. આ સ્વાસ્થ્યમાં ‘અંત્યોદય’ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે, જેનો હેતુ દેશના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવાનો છે.

માંડવિયાએ કહ્યું, ‘આ પ્રથમ વખત છે કે દક્ષિણ એશિયામાં ‘મેક ઇન ઇન્ડિયા’ ડ્રોનનો ઉપયોગ કોવિડ-19 રસી 12-15 મિનિટમાં 15 કિમીના હવાઈ અંતરે સ્થિત સ્થળે પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. આ રસીઓ મણિપુરની બિષ્ણુપુર જિલ્લા હોસ્પિટલથી PHCમાં લાભાર્થીઓને ઈન્જેક્શન આપવા માટે લોકટક તળાવ, કરંગ દ્વીપ સુધી પહોંચાડવામાં આવી હતી.

માંડવિયાએ કહ્યું, “આ સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર 26 કિમી છે. આજે PHCમાં 10 લાભાર્થીઓને પહેલો ડોઝ મળશે અને 8 લોકોને બીજો ડોઝ મળશે.” કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને કહ્યું, ‘તેમના નેતૃત્વમાં દેશ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે એક ઐતિહાસિક દિવસ છે, જેણે અમને બતાવ્યું કે કેવી રીતે ટેકનોલોજી જીવનને સરળ બનાવી રહી છે અને સામાજિક પરિવર્તન લાવી રહી છે.

આ પણ વાંચો: UGC NET Admit Card 2021: 29 નવેમ્બરથી યોજાનારી UGC NET પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: BPNL Recruitment 2021: ભારતના પશુપાલન નિગમ લિમિટેડમાં બમ્પર વેકેન્સી, 30 નવેમ્બર સુધીમાં કરો અરજી

Follow Us
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
તમારા કામની પ્રશંસા થશે, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે
તમારા કામની પ્રશંસા થશે, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે
સુરત ખાડીપુર મામલે કોંગ્રેસના પ્રહાર, તંત્રની નિષ્ફળતા
સુરત ખાડીપુર મામલે કોંગ્રેસના પ્રહાર, તંત્રની નિષ્ફળતા
સુરતમાં વરસાદનો વિરામ છતા પૂરની સ્થિતિ, ખાડી પૂરનુ હજુ પણ સંકટ
સુરતમાં વરસાદનો વિરામ છતા પૂરની સ્થિતિ, ખાડી પૂરનુ હજુ પણ સંકટ
તંત્રની નબળી કામગીરી સામે કોંગ્રેસ અને જનતા મેદાને
તંત્રની નબળી કામગીરી સામે કોંગ્રેસ અને જનતા મેદાને
g clip-path="url(#clip0_868_265)">