દેશમાં કૃષિ ખાતે સંકળાયેલા ત્રણ કાયદા વિરુદ્ધ ખેડૂતોના ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 35 મો દિવસ છે. જયારે આજે સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે સાતમાં તબક્કાની બેઠક યોજવવાની છે. આ પૂર્વે કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ મળી છે. જેમાં ત્રણ કૃષિ કાયદાને લઇને ચાલી રહેલા ગતિરોધને પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામા આવી.
જેમાં ખેડૂતો એમએસપીની લેખિત બાંહેધરી ઉપરાંત ત્રણ કૃષિ કાયદા પરત લેવાની મુખ્ય માંગ કરી રહ્યા છે. આ પૂર્વે સરકાર અને ખેડૂતો વચ્ચે યોજાયેલી એક પણ બેઠકમાં કોઇ સમાધાન થયું ન હતું. ખેડૂતો સાથે પ્રથમ બેઠક કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે 14 ઓકટોબરના રોજ કરી હતી. જેમાં ખેડૂત સંગઠનો તેમની સાથે વાતચીતનો ઇનકાર કરી બેઠકનો બોયકોટ કર્યો હતો.
તેની બાદ ખેડૂતો અને સરકાર વચ્ચે 13 નવેમ્બર, 1 ડિસેમ્બર, 3 ડિસેમ્બર , 5 ડિસેમ્બર અને 8 ડિસેમ્બરના રોજ પણ બેઠક મળી હતી. જો આ તમામ બેઠક કોઇ પણ સમજૂતી થઈ ન હતી.
Published On - 1:29 pm, Wed, 30 December 20